કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે કોલકાતામાં રમાયેલી T20 વર્લ્ડ કપની કરો યા મરો સુપર-8 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી કચડી નાખ્યું. 196 રનના લક્ષ્યનો પીછો કરતા ટીમ ઇન્ડિયાએ સેમસનના 50 બોલમાં અણનમ 97 રનની મદદથી આ ટોટલ હાંસલ કર્યું અને સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું. પરંતુ ભારતની ભવ્ય જીત બાદ ચર્ચા માત્ર સેમસન ન રહી. ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીર પણ પ્રેસ કોન્ફરન્સમાં છવાઇ ગયા, જેમણે ઘણા પ્રશ્નોના નિખાલસતાથી જવાબ આપ્યા. તેમણે એમ પણ કહ્યું કે, સારું લાગ્યું કે મેચમાં નાના યોગદાનને પણ પ્રશંસા મળી રહી છે, જ્યારે લાંબા સમયથી શ્રેય માત્ર થોડા જ વ્યક્તિઓને મળ્યો છે.

gambhir
sports.ndtv.com

ટૂર્નામેન્ટની શરૂઆતમાં સેમસનને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. બહારથી જોતા એવું લાગતું હતું કે તેને ખરાબ ફોર્મને કારણે દૂર કરવામાં આવ્યો છે. પરંતુ ગંભીરે સ્પષ્ટતા કરી કે આ નિર્ણય સારી રીતે વિચારીને લેવામાં આવ્યો હતો. ગંભીરે કહ્યું કે, ‘અમને ખબર હતી કે સંજુમાં કેટલી ક્ષમતા છે. તેના નામે 3 T20 સદી છે. દરેક ખેલાડી ખરાબ સમયમાંથી પસાર થાય છે. ક્યારેક-ક્યારેક તેને દબાણમાંથી કાઢવો જરૂરી છે. અમને વિશ્વાસ હતો કે જરૂર પડ્યે તે વર્લ્ડ કપમાં પ્રદર્શન કરશે.

પ્રેસ કોન્ફરન્સમાં સૌથી આશ્ચર્યજનક વાત ત્યારે આવી જ્યારે ગંભીરે સ્પષ્ટપણે કહ્યું કે તેમને આંકડાઓ પર વધુ વિશ્વાસ નથી. હું આંકડાઓમાં માનતો નથી. T20 ક્રિકેટ સમજણ અને આત્મવિશ્વાસની રમત છે. જે અનુભવ છે તે જ કેપ્ટન સાથે શેર કરું છું. અંતિમ નિર્ણય કેપ્ટનનો હોય છે.

આ મેચમાં ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહનો જૂદા જૂદા સમયે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગંભીરે કહ્યું કે, ‘વેસ્ટ ઇન્ડીઝનો મિડલ ઓર્ડર ખૂબ જ મજબૂત છે. એટલે અમને મિડલ ઓવરોમાં બુમરાહની જરૂર હતી. તે અમારા માટે એક વિશ્વસનીય બોલર છે.

ગંભીરે કોના પર કટાક્ષ કર્યો?

પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ગંભીરને તિલક અને શિવમ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે, ‘મને ખુશી છે કે તમે દરેક યોગદાન વિશે વાત કરી રહ્યા છો, કારણ કે વર્ષોથી આપણે માત્ર ખાસ યોગદાનની વાત કરતા આવ્યા છીએ. મારા માટે, શિવમના તે બે ચોગ્ગા એટલા જ મહત્ત્વપૂર્ણ છે, જેટલા સંજુના 97 રન.

તેમણે કહ્યું કે, ‘મોટા યોગદાન હાઇલાઇટ મેળવે છે. નાના યોગદાન, જે ટીમને જીતવામાં મદદ કરે છે, તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. આ વાત કોઇથી છૂપી નથી કે ગંભીરે 2007 T20 વર્લ્ડ કપ ફાઇનલ અને 2011ની ફાઇનલમાં ટીમ માટે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. પરંતુ તેનો મોટાભાગનો શ્રેય તત્કાલીન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને મળ્યો. ભારત હવે 5 માર્ચે મુંબઇમાં સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે.

About The Author

Related Posts

Top News

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન, સાઉદી અરેબિયા, કુવૈત અને સાયપ્રસ સહિતના દેશો અત્યારે યુદ્ધની...
World 
ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે કોલકાતામાં રમાયેલી T20 વર્લ્ડ કપની કરો યા મરો સુપર-8 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી કચડી...
Sports 
કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

આનંદીબેને એમ કેમ કહ્યું કે- આપણે ક્યાં સુધી લેઉઆ અને કડવા પટેલના નામે વહેચાયેલા રહીશું?

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુરુવારે સુરતની મુલાકાતે આવ્યા હતા. તેમના દીકરી અનાર પટેલના ક્રાફ્ટ રૂટ...
Gujarat 
આનંદીબેને એમ કેમ કહ્યું કે- આપણે ક્યાં સુધી લેઉઆ અને કડવા પટેલના નામે વહેચાયેલા રહીશું?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.