ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને તે પરણિત હોવાની જાણ થયા પછી આ ઘટના બની હતી. પીડિતનો આરોપ છે કે તેને દૂધમાં નશીલો પદાર્થ ભેળવીને પીવરાવી દેવામાં આવ્યો હતો અને પછી અર્ધ બેભાન અવસ્થામાં તીક્ષ્ણ હથિયારથી પ્રેમિકાએ ઘાયલ કરી દીધો હતો. તે પોતે જ હોસ્પિટલમાં ગયો અને ત્યાર પછી તેની સર્જરી કરાવી. પોલીસે ફોજદારી કાર્યવાહી સંહિતા (CrPC)ની કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને આરોપી, અમીના ખાતૂનની શોધ શરૂ કરી છે.

આ ચોંકાવનારી ઘટના ઉત્તર દિલ્હીના વઝીરાબાદ વિસ્તારમાં બની છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રેમિકાએ 22 વર્ષીય નકલી ડોક્ટરનું ગુપ્તાંગ કાપીને ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે છોકરીએ તેનો પ્રેમી પહેલાથી જ પરણિત છે, તેવી જાણ થયા પછી આ પગલું ભર્યું હતું.

Woman Cuts-Private Part
jansatta.com

ઘાયલ પુરુષની ઓળખ વિસરજીત તરીકે થઈ છે, જે ઉત્તર પ્રદેશના રામપુરનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે છેલ્લા બે વર્ષથી વઝીરાબાદની રહેવાસી આરોપી અમીના ખાતૂન સાથે સંબંધમાં હતો. 25 ફેબ્રુઆરીના રોજ, પોલીસને એક ઘાયલ યુવાનને હિન્દુ રાવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી. ત્યારપછી પોલીસ હોસ્પિટલમાં પહોંચી અને તેનું નિવેદન નોંધ્યું, જેમાં મેડિકલ-લીગલ સર્ટિફિકેટ પણ લેવામાં આવ્યું હતું.

પીડિતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તે 24 ફેબ્રુઆરીના રોજ દિલ્હી આવ્યો હતો અને અમીના સાથે રહેતો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે તેની ગર્લફ્રેન્ડે તે રાત્રે તેને આપવામાં આવેલા દૂધમાં નશીલી દવા ભેળવી દીધી હતી. પીડિતના જણાવ્યા અનુસાર, લગભગ 2:30 વાગ્યે, જ્યારે તે અર્ધબેભાન અવસ્થામાં હતો, ત્યારે મહિલાએ તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો, જેનાથી તેનું ગુપ્તાંગ કાપીને તેને ગંભીર ઇજા પહોંચી. પીડિતનો દાવો છે કે મહિલાને તેના લગ્ન વિશે ખબર પડી ગઈ હતી અને તેના કારણે જ આ હુમલો કરવામાં આવ્યો હતો.

Woman Cuts-Private Part
tv9hindi.com

પોલીસે બતાવ્યું કે, ઘાયલ યુવાન કોઈપણ રીતે જાતે જ હિન્દુ રાવ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. ત્યાંથી, તેને વધુ સારવાર માટે સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી.

પીડિતના નિવેદન અને તબીબી પુરાવાના આધારે, પોલીસે જણાવ્યું હતું કે, ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 118(2) (ખતરનાક હથિયારો અથવા તેના માધ્યમોથી સ્વેચ્છાએ ગંભીર ઇજા પહોંચાડવી) અને 123 (ગુનો કરવાના ઇરાદાથી ઝેર વગેરે દ્વારા ઇજા પહોંચાડવી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું હતું કે, આરોપી મહિલા મૂળ બિહારના કટિહારની છે અને હાલમાં વઝીરાબાદમાં રહેતી હતી. તેની ધરપકડ માટે પ્રયાસો ચાલી રહ્યા છે.

About The Author

Top News

ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને...
National 
ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન, સાઉદી અરેબિયા, કુવૈત અને સાયપ્રસ સહિતના દેશો અત્યારે યુદ્ધની...
World 
ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે કોલકાતામાં રમાયેલી T20 વર્લ્ડ કપની કરો યા મરો સુપર-8 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી કચડી...
Sports 
કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.