Gen Z ને રાજકારણીઓ અને વિચારધારાઓ પોતાના એજન્ડા માટે ઉપયોગ કરવા માંગે છે

(ઉત્કર્ષ પટેલ)

આજના ડિજિટલ યુગમાં Gen Z એટલે કે ૧૯૯૭ પછી જન્મેલા યુવાનો ઘણીવાર રાજકીય ઉપદ્રવના કાચા માલ તરીકે જોવામાં આવે છે. કેટલાક રાજકારણીઓ અને વિચારધારાઓ તેમને પોતાના એજન્ડા માટે ઉપયોગ કરવા માંગે છે. તેમને ભડકાવીને વિરોધ પ્રદર્શનો, સોશિયલ મીડિયા કેમ્પેઈન અને વિદેશી વિચારધારાઓના પ્રચારમાં ધકેલવાના પ્રયાસ થાય છે. પરંતુ ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો આ પેઢી પોતાની ગુજરાતની સાંસ્કૃતિક જડો સાથે જોડાયેલી રહીને સ્ટાર્ટઅપ અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આનું મુખ્ય કારણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા જેમણે ગુજરાતથી શરૂ કરીને આખા દેશને આત્મનિર્ભરતાનો મંત્ર આપ્યો છે.

01

ગુજરાત જે વેપાર અને ઉદ્યોગનું કેન્દ્ર છે તેમાં Gen Z  યુવાનો પીએમ મોદીના વિઝનથી પ્રેરિત થઈને પોતાની સાંસ્કૃતિક વારસાને આધારે આગળ વધી રહ્યા છે. અહીંના યુવાનો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સક્રિય છે. તેઓ ડિજિટલ માર્કેટિંગ, એઆઈ અને ગ્રીન ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં પરિવર્તન લાવી રહ્યા છે. પીએમ મોદીના 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' અને 'મેક ઇન ઇન્ડિયા' જેવા અભિયાનોથી પ્રેરિત થઈને અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં હજારો યુવા સ્ટાર્ટઅપમાં  જોડાયા છે. તેઓ માતૃભાષા ગુજરાતીમાં કન્ટેન્ટ ક્રિએશન કરીને વૈશ્વિક બજારમાં પ્રવેશ કરી રહ્યા છે. આ ઉપરાંત વડોદરા અને રાજકોટમાં સ્કિલ ઇન્ડિયા અને ગુજરાતની સ્ટાર્ટઅપ પોલિસી હેઠળ તેઓ ટ્રેનિંગ લઈ રહ્યા છે.

05

ગુજરાતની Gen Z પેઢીની સૌથી મોટી તાકાત તેની સાંસ્કૃતિક પરંપરા મુજબનું જીવન છે જે પીએમ મોદીના સંસ્કૃતિ અને વિકાસના સંદેશાથી વધુ મજબૂત બને છે. ગુજરાતના યુવાનો નવરાત્રિ, ઉત્તરાયણ અને દિવાળી જેવા તહેવારોમાં સક્રિય ભાગ લે છે પરંતુ તેને આધુનિક રીતે જોડે છે. તેઓ યોગ, આયુર્વેદ અને વેદિક ગણિત જેવી પરંપરાઓને સ્ટાર્ટઅપમાં સમાવી રહ્યા છે. ઉદાહરણ તરીકે કેટલાક Gen Z યુવાનોએ આયુર્વેદિક પ્રોડક્ટ્સના ઓનલાઈન પ્લેટફોર્મ બનાવ્યા છે જે વૈશ્વિક બજારમાં સફળ થયા છે. પીએમ મોદીના ગુજરાત મોડલથી પ્રેરિત થઈને તેઓ રાજકીય ઉપદ્રવથી દૂર રહીને આત્મનિર્ભર બની રહ્યા છે.

પડકારો પણ છે. સોશિયલ મીડિયા પર વિદેશી વિચારધારાઓનો પ્રભાવ વધી રહ્યો છે જે યુવાનોને ભટકાવી શકે છે. પરંતુ ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી યોજનાઓ તેમને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડી રાખવામાં મહદંશે સફળ છે. પીએમ મોદીની પ્રેરણાથી આ પેઢીને વધુ પ્રોત્સાહન આપવું જરૂરી છે જેથી તેઓ ભારતને વિશ્વગુરુ બનાવે.

02

ગુજરાતના Gen Z રાજકારણના ઉપદ્રવનો શિકાર બનવાને બદલે પીએમ મોદીની પ્રેરણાથી પોતાની સાંસ્કૃતિ અને કૌશલ્યથી દેશનું નિર્માણ કરી રહ્યા છે. ગુજરાતના યુવાનો આનું ઉત્તમ ઉદાહરણ છે તેમની આ દિશા રાજ્ય અને દેશના વિકાસની ચાવી છે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Related Posts

Top News

ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને...
National 
ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન, સાઉદી અરેબિયા, કુવૈત અને સાયપ્રસ સહિતના દેશો અત્યારે યુદ્ધની...
World 
ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે કોલકાતામાં રમાયેલી T20 વર્લ્ડ કપની કરો યા મરો સુપર-8 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી કચડી...
Sports 
કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.