શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?

આમ આદમી પાર્ટી દિલ્હીથી ઉદય પામી પંજાબમાં સત્તારૂઢ થઈ. જીતહારની થપાટો વચ્ચે આપ ગુજરાતમાં પોતાની સ્થિતિ મજબૂત કરી રહી છે. પણ કાર્યકર્તાઓની ખોટ અને સત્તાની લાલચ રાખનારા કાર્યકર્તાઓ આપનો સાથ છોડતા રહે છે. આ નાજુક સમીકરણો વચ્ચે આમ આદમી પાર્ટી પોતાના ૫ ધારાસભ્યોને લઈને સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતમાં પોતાની ડિજિટલ હાજરી પુરાવી રહી છે.

ધરાતલ પર સમર્પિત અનુભવી કાર્યકર્તાઓની ખોટ અને સામે ભાજપ પાસે ગુજરાતના પ્રત્યેક ઘર સુધી સંપર્ક કરનાર કાર્યકર્તાઓની ફોજ. આમ જોઈએ તો ફિલ્ડ પર કોઈ સરખામણી થઈ શકે નહીં પરંતુ યુગ સોશિયલ મીડિયાનો છે અને અહીં આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત જણાઈ રહી છે.

aap-gujarat2
khabarchhe.com

હાલમાં વિસાવદરના મતદારોએ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય પદે ચૂંટ્યા છે. પાટીદાર મતોનું અહીં ભાજપ અને આપમાં બે ભાગમાં ધ્રુવીકરણ થયું છે. ગોપાલ ઇટાલિયાની આંદોલનાત્મક આવડત પાટીદાર સમાજના મતદારોને આકર્ષી રહી છે એ સ્પષ્ટ જણાય રહ્યું છે. ખેડૂતોને લાગુ પ્રશ્નો બાબતે ગોપાલ ઈટાલિયા ગંભીરતા પૂર્વક વિષયો ઉપાડી રહ્યા છે અને પાટીદાર ખેડૂતો ખાસ કરીને સોશિયલ મીડિયામાં સક્રિય ખેડૂતો આમ આદમી પાર્ટી અને ગોપાલ ઈટાલિયાને બહુમત સમર્થન આપી રહ્યા છે. ધારાસભ્ય તરીકે ગોપાલ ઈટાલિયા સ્થાનિક પ્રશ્નો ઉજાગર કરે એ યોગ્ય છે પરંતુ ગોપાલ ઇટાલિયાને આગળ કરી આમ આદમી પાર્ટી પાટીદાર સમાજની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહી છે અને જો એમ મહદઅંશે પણ સફળતા મળે તો આમ આદમી પાર્ટી માટે સત્તા પર આવવાના દરવાજા ખુલતા જણાશે. હાલતો આપની સ્થિતિ ગુજરાતમાં વિરોધપક્ષને યોગ્ય પણ નથી પરંતુ આવનારા સમયમાં જો સામાજિક વિષયો આગળ કરીને આમ આદમી પાર્ટી મતોનું ધ્રુવીકરણ કરી શકી તો ચોક્કસ મજબૂત વિરોધપક્ષ તરીકે ગુજરાતમાં હાજરી નોંધાવી શકશે.

આ સંદર્ભે એક મહત્વનો પ્રશ્ન એ છે કે શું આ રણનીતિ ખરેખર પાટીદાર સમાજના હિતની છે કે માત્ર ચૂંટણીલક્ષી લાભ માટેનું સાધન છે? ૨૦૧૫-૧૭ના પાટીદાર આંદોલન પછી પાટીદાર સમાજમાં ભાજપ પ્રત્યે નારાજગી હતી પરંતુ ભાજપે સમય જતાં સંગઠન અને સરકારી યોજનાઓ દ્વારા તેને મોટા ભાગે ઉકેલી લીધી છે. આજે પાટીદાર મતો ફરી એકવાર ખુલ્લા મેદાનમાં નથી. ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓની આંદોલનાત્મક શૈલી યુવા અને સોશિયલ મીડિયા સક્રિય યુવાવર્ગને આકર્ષે છે પરંતુ ગામડેગામડે હજુ પણ ભાજપનું ધરાતલનું નેટવર્ક અજેય છે.

aap-gujarat1
khabarchhe.com

AAP ની સૌથી મોટી મર્યાદા એ છે કે તે હજુ સુધી પાટીદાર સમાજને આખેઆખું લોભાવી શકી નથી માત્ર એક ભાગને નારાજ કરીને બીજા ભાગને લલચાવવાનો પ્રયાસ કરી રહી છે. આ રણનીતિ લાંબા ગાળે નિષ્ફળ જશે તો પાટીદાર સમાજ ફરી પૂર્ણ રીતે ભાજપ તરફ વળી શકે છે અને આપ ફરી એકવાર માર્જિનલ પ્લેયર બની જશે.

ટૂંકમાં હા એ વાત ચોક્કસ છે કે AAP પાટીદાર સમાજને લોભાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ ગુજરાતની ધરાતલની હકીકત અને ભાજપની સંગઠનાત્મક તાકાતને જોતાં સફળ થશે નહીં. ગુજરાતમાં લોભામણી રાજનીતિ હજુ ઘણી લાંબી ચાલવાની છે. કોને કેટલી સફળતા મળશે એ તો ૨૦૨૭ની ચૂંટણી જ નક્કી કરશે.

About The Author

Top News

ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને...
National 
ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન, સાઉદી અરેબિયા, કુવૈત અને સાયપ્રસ સહિતના દેશો અત્યારે યુદ્ધની...
World 
ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે કોલકાતામાં રમાયેલી T20 વર્લ્ડ કપની કરો યા મરો સુપર-8 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી કચડી...
Sports 
કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.