સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની અરજીને કડક થઇને ફગાવી દીધી હતી.

જસ્ટિસ B.V. નાગરત્નાની આગેવાની હેઠળની બેન્ચે અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો અને અરજદાર પર 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. રિટ પિટિશન દ્વારા પ્રામતિ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયામાં બંધારણીય બેન્ચના નિર્ણયને પડકારવાના પ્રયાસ પર બેન્ચે ભારે નારાજગી વ્યક્ત કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, RTE કાયદો લઘુમતી સંસ્થાઓને લાગુ પડતો નથી.

Supreme Court-Madarsa
ndtv.in

જસ્ટિસ R. મહાદેવન, જે આ બેન્ચના સભ્ય પણ છે, તેમણે અરજદારને ઠપકો આપતા કહ્યું, 'તમે સુપ્રીમ કોર્ટ સાથે આવું ન કરી શકો. અમે ખૂબ ગુસ્સે છીએ.' બેન્ચે ચેતવણી આપી હતી કે, આ પ્રકારની અરજીઓ ન્યાયતંત્રના પાયાને નબળો પાડે છે.

સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દેતાં ટિપ્પણી કરી હતી કે, 'તમે રિટ પિટિશન દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્ણયને કેવી રીતે પડકારી શકો છો? આવા કેસ દાખલ કરીને દેશમાં ન્યાયતંત્રને નીચે ન લાવો. અમે એક લાખ રૂપિયાના દંડ સુધી મર્યાદિત છીએ. અમે અવમાનનોનો આરોપ લગાવી રહ્યા નથી.'

બંધારણની કલમ 32 હેઠળ દાખલ કરાયેલી PILમાં RTE કાયદાની કલમ 12(1)(c) હેઠળ લઘુમતી સંસ્થાઓને આપવામાં આવેલી મુક્તિ પર ન્યાયિક પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી હતી. આ કલમ ખાનગી શાળાઓમાં આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગના બાળકો માટે 25 ટકા અનામત ફરજિયાત બનાવે છે.

Supreme Court-Madarsa
panchjanya.com

અરજદારે દલીલ કરી હતી કે, પ્રામતિના નિર્ણયથી 'વિવિધ, સમાવિષ્ટ વાતાવરણમાં મફત અને ફરજિયાત શિક્ષણના તેમના મૂળભૂત અધિકારથી બાળકોનો એક ભાગ વંચિત રહ્યો' અને શિક્ષણ પ્રણાલીમાં સમાંતર, અલગ અલગ ક્ષેત્રો બનાવવામાં આવ્યા.

અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, લઘુમતી સંસ્થાઓ, સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓને વ્યાપારી અને નફા-આધારિત ધોરણે પ્રવેશ આપતી વખતે, નબળા વર્ગના બાળકોને સમાવવાની તેમની કાનૂની અને બંધારણીય જવાબદારી જાણી જોઈને ટાળે છે.

About The Author

Related Posts

Top News

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.