પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયા આ 4 કારણે મુશ્કેલીમાં મુકાઇ શકે છે

T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ પહેલાથી જ રાજકીય વિવાદો અને બહિષ્કારની ચીમકીઓને કારણે ખૂબ ચર્ચામાં રહી છે, પરંતુ હવે મેચ રમાશે તે નક્કી થઇ ગયું છે. જોકે, આ હાઇ-વોલ્ટેજ મેચમાં ટીમ ઇન્ડિયાને કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. નામિબિયા સામે તાજેતરમાં મળેલી જીત છતા ટીમ ઇન્ડિયા આ 4 કારણે મુશ્કેલીમાં મુકાઇ શકે છે.

abhhishek3

અભિષેક શર્માની ફિટનેસ અંગે પ્રશ્નો

ટીમનો વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા, પેટના ઇન્ફેક્શન સામે ઝઝૂમી રહ્યો છે. પ્રથમ મેચ બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેના કારણે તેને નામિબિયા સામેની મેચ ગુમાવવા પડી હતો. જોકે, હવે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, અને ટીમ મેનેજમેન્ટ સતર્ક છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવે એવો પણ સંકેત આપ્યો હતો કે તેને પાછા ફરવામાં એક કે બે મેચ વધુ લાગી શકે છે. જો અભિષેક શર્મા પાકિસ્તાન સામે પણ નહીં રમે તો ટીમની ચિંતા વધી શકે છે.

rinku
BCCI

રિંકૂ સિંહનું ખરાબ ફોર્મ

મિડલ-ઓર્ડર ફિનિશરની ભૂમિકા ભજવનાર રિંકૂ સિંહે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું નથી. ટૂર્નામેન્ટની પહેલી મેચમાં, તેણે 14 બોલમાં માત્ર 6 રન બનાવ્યા હતા અને એક પણ ચોગ્ગો કે છગ્ગો ફટકાર્યો નહોતો. બીજી મેચમાં તેણે 6 બોલમાં માત્ર 1 રન બનાવ્યો, જે ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે. રિંકૂ સામાન્ય રીતે તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે, પરંતુ હાલમાં તેનું બેટ શાંત નજરે પડી રહ્યું છે.

team-india1
BCCI

સ્પિનરો સામે બેટ્સમેન ફસાયા

નામિબિયા સામેની મેચમાં, ભારતે 209 રન બનાવ્યા હતા, પરંતુ ટીમને મિડલ ઓવરોમાં સ્પિનરો વિરુદ્ધ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બર્નાર્ડ સ્કોલ્ટ્ઝ અને ગેરહાર્ડ ઇરાસ્મસ જેવા નામિબિયાના સ્પિનરોએ વિકેટ લીધી અને મિડલ ઓવરોમાં ભારતને રોકી દીધું. આ ફરી એકવાર સ્પિન સામે ભારતીય બેટ્સમેનોની નબળાઈ છતી કરે છે. પાકિસ્તાન પાસે મજબૂત સ્પિન આક્રમણ છે, અને કોલંબોની પીચ સ્પિન-ફ્રેન્ડલી હોઈ શકે છે, જે ટીમ ઈન્ડિયા માટે જોખમી સાબિત થઈ શકે છે.

team-india2
BCCI

પાવરપ્લેમાં નબળી બોલિંગ

નામિબિયાએ પાવરપ્લેમાં ઝડપી શરૂઆત કરી હતી, અને ભારતના બોલરો શરૂઆતમાં મોંઘા સાબિત થયા હતા. પાવરપ્લેમાં નામિબિયાએ પ્રથમ 6 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 57 રન બનાવ્યા હતા. પાકિસ્તાન સામે પાવરપ્લે મહત્ત્વપૂર્ણ બની શકે છે, જ્યાં તેમના ઓપનર્સ આક્રમક બની શકે છે. ભારતના બોલરોને વધુ સારા નિયંત્રણની જરૂર છે, નહીં તો પાકિસ્તાન મોટો સ્કોર બનાવી શકે છે.

About The Author

Related Posts

Top News

બાળકની માતા LC લેવા ગઈ, આચાર્યએ કહ્યું- હોટેલમાં આવીને લેવું પડશે, મહિલા પરિવાર સાથે હોટેલ પહોંચી...

અમદાવાદથી એક એવી ઘટના સામે આવી છે જેણે શિક્ષણજગતને હચમચાવી દીધું છે, નડિયાદમાં એક લંપટ આચાર્યએ 2 બાળકોના લિવિંગ...
Gujarat 
બાળકની માતા LC લેવા ગઈ, આચાર્યએ કહ્યું- હોટેલમાં આવીને લેવું પડશે, મહિલા પરિવાર સાથે હોટેલ પહોંચી...

રૂ. 5000નું સ્કૂટર, 1.5 લાખનો દંડ! ટ્રાફિક પોલીસે રોક્યો તો માલિકના ઉડી ગયા હોશ

ટ્રાફિક નિયમ ભંગ કરનારાઓ પર નજર રાખવા માટે બિહારની રાજધાની પટનામાં લગાવવામાં આવેલા CCTV કેમેરા સતત કાર્યવાહી કરી રહ્યા છે....
National 
રૂ. 5000નું સ્કૂટર, 1.5 લાખનો દંડ! ટ્રાફિક પોલીસે રોક્યો તો માલિકના ઉડી ગયા હોશ

પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયા આ 4 કારણે મુશ્કેલીમાં મુકાઇ શકે છે

T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. આ...
Sports 
પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયા આ 4 કારણે મુશ્કેલીમાં મુકાઇ શકે છે

ભારતીય પાસપોર્ટની સ્થિતિમાં સુધારો, હવે 56 દેશોમાં મળશે વીઝા વગર એન્ટ્રી

જો તમે વિદેશ પ્રવાસના શોખીન છો, તો તમારા માટે એક શાનદાર સમાચાર છે. વૈશ્વિક સ્તરે ભારતીય પાસપોર્ટની શક્તિમાં મોટો...
Lifestyle 
ભારતીય પાસપોર્ટની સ્થિતિમાં સુધારો, હવે 56 દેશોમાં મળશે વીઝા વગર એન્ટ્રી

Opinion

હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરવામાં આગળ રહેલા યુવાનો હાલ ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચામાં રહે છે. આંદોલનના અંતે પાટીદાર...
એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.