પરિણીતિના લગ્નમાં કેમ ન આવી બહેન પ્રિયંકા, માતાએ કર્યો ખુલાસો

ફિલ્મ અભિનેત્રી પરિણીતિ ચોપરા (ParineetiChopra) અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાના લગ્ન રવિવારે રાજસ્થાનના ઉદયપુરમાં થઇ ગયા. આ લગ્નમાં ઘણાં સગા સંબંધીઓ, બોલિવુડના કલાકારો અને રાજકરણીઓ સામેલ થયા હતા. આ બધાની વચ્ચે પરિણીતિની બહેન પ્રિયંકા ચોપરા (PriyankaChopra) લગ્નમાં નજર આવી નહીં. તે લગ્નમાં સામેલ થઇ નહોતી. હવે પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ કારણ આપ્યું કે શા માટે પ્રિયંકા બહેન પરિણીતિના લગ્નમાં સામેલ થઇ શકી નહીં.

લગ્ન પછી પ્રિયંકાની માતા મધુ ચોપરા પરત ફરી રહ્યા હતા. ત્યારે જ એરપોર્ટ પર પત્રકારોએ તેમને પ્રિયંકાના ગેરહાજર રહેવાનું કારણ પૂછી લીધું. જેના પર મધુ ચોપરાએ કહ્યું કે, તે કામ કરી રહી છે ત્યાં. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે લગ્ન ખૂબ જ સરસ રહ્યા. સાથે જ તેમણે કહ્યું કે, લગ્નમાં કોઇ પણ રીતના ગીફ્ટ લેવામાં આવ્યા નહીં. તેમના અનુસાર કોઇ લેવડ-દેવડ થઇ નથી. માત્ર આશીર્વાદ જ પૂરતા છે. તેમને પૂછવામાં આવ્યું કે લગ્નમાં પરિણીતિ કેવી લાગી રહી હતી તો તેમણે જવાબ આપ્યો કે, પરિણીતિ એમ પણ સુંદર છે અને લગ્નમાં વધારે સારી લાગી રહી હતી.

પરિણીતિએ શેર કરી લગ્નની તસવીરો

પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન ખૂબ જ ધૂમધામથી થયા. લગ્નનાં સ્થળ પર સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘણાં સુરક્ષાકર્મીઓ વેન્યૂની આસપાસ હતા. બોટથી વરઘોડો લઇ રાઘવ પરિણીતિની પાસે પહોંચ્યા અને લગ્નની વિધિઓ શરૂ થઇ. ફેન્સ રવિવારથી લગ્નની તસવીરોની રાહ જોઇ રહ્યા હતા. જોકે સોમવારે સવારે પરિણીતિએ તેના લગ્નની તસવીરો ફેન્સ સાથે શેર કરી.

 
 
 
View this post on Instagram

A post shared by Varinder Chawla (@varindertchawla)

પ્રિયંકા ચોપરા લગ્નમાં હાજર તો ન રહી પણ તેણે લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવ્યા બાદ બહેન પરિણીતિને કમેન્ટ દ્વારા શુભકામના પાઠવી. પ્રિયંકાએ કહ્યું કે, મારી દુઆઓ તારી સાથે છે. આ ઉપરાંત પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર એક તસવીર પણ શેર કરી જેમાં તે તેની દીકરી માલતી સાથે સ્વીમિંગ પૂલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે.

About The Author

Top News

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
National 
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.