પરિણીતિના લગ્નમાં કેમ ન આવી બહેન પ્રિયંકા, માતાએ કર્યો ખુલાસો

ફિલ્મ અભિનેત્રી પરિણીતિ ચોપરા (ParineetiChopra) અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાના લગ્ન રવિવારે રાજસ્થાનના ઉદયપુરમાં થઇ ગયા. આ લગ્નમાં ઘણાં સગા સંબંધીઓ, બોલિવુડના કલાકારો અને રાજકરણીઓ સામેલ થયા હતા. આ બધાની વચ્ચે પરિણીતિની બહેન પ્રિયંકા ચોપરા (PriyankaChopra) લગ્નમાં નજર આવી નહીં. તે લગ્નમાં સામેલ થઇ નહોતી. હવે પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ કારણ આપ્યું કે શા માટે પ્રિયંકા બહેન પરિણીતિના લગ્નમાં સામેલ થઇ શકી નહીં.

લગ્ન પછી પ્રિયંકાની માતા મધુ ચોપરા પરત ફરી રહ્યા હતા. ત્યારે જ એરપોર્ટ પર પત્રકારોએ તેમને પ્રિયંકાના ગેરહાજર રહેવાનું કારણ પૂછી લીધું. જેના પર મધુ ચોપરાએ કહ્યું કે, તે કામ કરી રહી છે ત્યાં. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે લગ્ન ખૂબ જ સરસ રહ્યા. સાથે જ તેમણે કહ્યું કે, લગ્નમાં કોઇ પણ રીતના ગીફ્ટ લેવામાં આવ્યા નહીં. તેમના અનુસાર કોઇ લેવડ-દેવડ થઇ નથી. માત્ર આશીર્વાદ જ પૂરતા છે. તેમને પૂછવામાં આવ્યું કે લગ્નમાં પરિણીતિ કેવી લાગી રહી હતી તો તેમણે જવાબ આપ્યો કે, પરિણીતિ એમ પણ સુંદર છે અને લગ્નમાં વધારે સારી લાગી રહી હતી.

પરિણીતિએ શેર કરી લગ્નની તસવીરો

પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન ખૂબ જ ધૂમધામથી થયા. લગ્નનાં સ્થળ પર સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘણાં સુરક્ષાકર્મીઓ વેન્યૂની આસપાસ હતા. બોટથી વરઘોડો લઇ રાઘવ પરિણીતિની પાસે પહોંચ્યા અને લગ્નની વિધિઓ શરૂ થઇ. ફેન્સ રવિવારથી લગ્નની તસવીરોની રાહ જોઇ રહ્યા હતા. જોકે સોમવારે સવારે પરિણીતિએ તેના લગ્નની તસવીરો ફેન્સ સાથે શેર કરી.

 
 
 
View this post on Instagram

A post shared by Varinder Chawla (@varindertchawla)

પ્રિયંકા ચોપરા લગ્નમાં હાજર તો ન રહી પણ તેણે લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવ્યા બાદ બહેન પરિણીતિને કમેન્ટ દ્વારા શુભકામના પાઠવી. પ્રિયંકાએ કહ્યું કે, મારી દુઆઓ તારી સાથે છે. આ ઉપરાંત પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર એક તસવીર પણ શેર કરી જેમાં તે તેની દીકરી માલતી સાથે સ્વીમિંગ પૂલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે.

About The Author

Related Posts

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.