શું વિજય રૂપાણીના પત્ની અંજલીબેનને ભાજપ મોટી જવાબદારી આપવાના છે?

ગુજરાતમાં CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારમાં મંત્રીમંડળમાં કરવામાં આવેલા મોટા ફેરબદલ પછી પણ નવી હલચલ સામે આવી છે. રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે સ્વર્ગસ્થ પૂર્વ CM વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી રાજકારણમાં પ્રવેશ કરી શકે છે. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતાં પૂર્વ CM વિજય રૂપાણીનું અવસાન થયું હતું. BJPના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) ગુજરાતની મુલાકાત દરમિયાન અંજલી રૂપાણીને મળ્યા હતા, ત્યાર પછી આ ચર્ચાઓને વધુ વેગ મળ્યો છે. BL સંતોષ સાથેની મુલાકાત દરમિયાન વિજય રૂપાણીના પુત્ર પણ હાજર હતા. રાજ્ય સંગઠન મહાસચિવ રત્નાકર અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં BL સંતોષે પૂર્વ CMની પત્ની અને પુત્ર સાથે વાત કરી.

Anjali Rupani
deshgujarat.com

BJPના કેન્દ્રીય નેતૃત્વનો ભાગ રહેલા BL સંતોષને મળ્યા પછી, અંજલી રૂપાણીએ જણાવ્યું હતું કે, તેઓ પક્ષ જે કહેશે તે જ કરશે. તેમણે BL સંતોષ સાથેની તેમની મુલાકાતને ઔપચારિક ગણાવી હતી. મતદાર યાદી સુધારણા વચ્ચે ગુજરાત પહોંચેલા BL સંતોષે મધ્ય ઝોનના કેન્દ્ર વડોદરામાં પણ પાર્ટી નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. ઘણા સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. રણનીતિકારો કહે છે કે, વિજય રૂપાણીના અકાળ અવસાનથી સૌરાષ્ટ્રમાં BJPને મોટો ફટકો પડ્યો છે. પક્ષના કેટલાક રણનીતિકારો માને છે કે, જો અંજલી રૂપાણી રાજકારણમાં પ્રવેશ કરશે, તો તે વિજય રૂપાણીના સમર્થકો સાથે સૌરાષ્ટ્રમાં પાર્ટીને મજબૂત બનાવશે.

અંજલી રૂપાણી ગુજરાતમાં BJP સાથે સંકળાયેલા છે. તે BJPના મહિલા મોરચામાં સક્રિય છે. તેમના જીવનની શરૂઆતમાં, તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને તેની વિદ્યાર્થી પાંખ, ABVP સાથે સંકળાયેલા હતા. તેમણે અનેક ચૂંટણી પ્રચારમાં પ્રચાર કર્યો છે, જોકે વિજય રૂપાણી જીવતા હતા ત્યારે તેમણે મર્યાદિત રાજકીય સંડોવણી જાળવી રાખી હતી. જ્યારે વિજય રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું ત્યારે તેઓ લંડનમાં હતા. તેમના મૃત્યુ પછી તેઓ ભારત પરત ફર્યા. અંજલી બેન રૂપાણીને નજીકથી જાણનારાઓ કહે છે કે, તેઓ પહેલાથી જ સમાજ સેવામાં સંકળાયેલા છે. તેથી, BJPમાં સક્રિય થવું તેમના માટે કોઈ સમસ્યા નહીં હોય. અત્રે ઉલ્લેખનીય છે કે, નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક છતાં ગુજરાત માટેની રાજ્ય ટીમ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

About The Author

Related Posts

Top News

LPGના કાળાબજારને રોકવા માટે બુકિંગ નિયમોમાં ફેરફાર! જાણો હવે કેટલા દિવસમાં મળશે બીજો સિલિન્ડર

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ઇંધણ પુરવઠાને લઈને મચેલી અફરાતફરીની અસર ભારતીય રસોડા સુધી ન પહોંચે તે માટે...
National 
LPGના કાળાબજારને રોકવા માટે બુકિંગ નિયમોમાં ફેરફાર! જાણો હવે કેટલા દિવસમાં મળશે બીજો સિલિન્ડર

25થી વધુ નવા ફેરફાર સાથે લોન્ચ થઈ નવી Hyundai Verna, કિંમત જાણી લો

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડે ભારતમાં Hyundai Vernaના અપડેટેડ મોડલને લોન્ચ કરી છે. આ કારને 10.98 લાખ રૂપિયા (એક્સ-શૉરૂમ)ની શરૂઆતી...
Tech and Auto 
25થી વધુ નવા ફેરફાર સાથે લોન્ચ થઈ નવી Hyundai Verna, કિંમત જાણી લો

જય શાહ: શાંત, સંયમી અને લક્ષ્ય કેન્દ્રિત વ્યક્તિત્ત્વ

(ઉત્કર્ષ પટેલ)જય શાહ એક એવું નામ છે જે યુવા વયે વૈશ્વિક ક્રિકેટના નેતૃત્વમાં પોતાનું અસ્તિત્વ સાબિત કર્યું છે. માત્ર...
Opinion 
જય શાહ: શાંત, સંયમી અને લક્ષ્ય કેન્દ્રિત વ્યક્તિત્ત્વ

ભારત રશિયા પાસેથી તેલ ખરીદી શકે છે, પરંતુ હવે પહેલા જેવી વાત કેમ નથી રહી?

અમેરિકાએ કહ્યું કે, ‘તે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાની મંજૂરી આપે છે.’ કોંગ્રેસ સહિત વિપક્ષે અમેરિકાના નિવેદન...
Business 
ભારત રશિયા પાસેથી તેલ ખરીદી શકે છે, પરંતુ હવે પહેલા જેવી વાત કેમ નથી રહી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.