આવું કેમ? છોકરી જો શાંત હોય તો ગાય કહેવાય અને છોકરો જો શાંત તો ગધેડો!

On

કેમ બાકી ખરું કહ્યું કે?

આપણે ત્યાં આ વાત સંભળાવવામાં (sarcasm) અનેકવાર ઉપયોગમાં લેવાય છે.

છોકરી જ્યારે કહ્યાગરી શાંત હોય ત્યારે વખાણ રૂપે કહેવાય કે... ગાય જેવી છે.

છોકરો જ્યારે શાંત કહ્યાગરો હોય ત્યારે નિંદા રૂપે કહેવાય કે... ગધેડા જેવો છે, જેમ હંકારો એમ જાય અને જેમ કહો એમ ભાર ઉપાડે!

હવે હું મારો સ્પષ્ટ દૃષ્ટિકોણ રજૂ કરું...

દીકરીના વખાણ થાયને કે ગાય જેવી છે ત્યારે હું સમજી જાઉં છું કે એ દીકરીના બધા જ સપનાં રગદોડાય ગયા હાશે, એ ક્યાંક મન મનાવતી હશે, ક્યાંક મજબૂર હશે... એટલે એ ગાય જેવી કહેવાય છે! દીકરીને ગાય જેવી પવિત્ર ઉપમા અપાય તે સારું પણ મજબૂર કરીને ગાય જેવી ઉપમા અપાય એનો હું સ્પષ્ટ પણે નિંદક છું અને એવી દીકરીઓને હું એક ભાઈ વાલી તરીકે સાથ આપવામાં કંઈ જ ખોટુ સમાજતો નથી.

દીકરીઓને જીવવા દો... એમના સપનાં પૂરા કરવા દો.

હવે વાત કરીએ શાંત કહ્યાગરા છોકરાની. આવા સહજ સરળ સ્વભાવના છોકરાઓને ગધેડાની ઉપમા નિંદાત્મક રીતે આપવામાં આવે છે! આ સારા સંસ્કારને નિંદાત્મક રીતે ગધેડા જેવા મૂગા પશુ સાથે શું કામે સરખાવામાં આવે છે એ મને આજ સુધી નથી સમજાતું.

વાત કરવી જોઈશે મુંગા નિર્દોષ ગધેડાની.

ગધેડું શબ્દનો આપણો સમાજ નિંદાત્મક રીતે એની ઉપમા આપવા માટે ઉપયોગ કરે. ખરું ને? તમે પણ ક્યારેક ગુસ્સામાં કોઇકને કહ્યું કે કહેતા હશો... ગધેડા જેવો છે!

કેમ ભાઈ આ ગધેડા સાથે તમને શું વાંધો છે?

એક મુંગા પશુ ગધેડાએ તમારું શું બગાડ્યું?

ગધેડાએ તમારા સામાનનું વજન ઉપાડી તમારી વ્યવસ્થાઓ સાચવી એ તમને નથી દેખાતું?

પાવાગઢ, અંબાજી ગબ્બર, વૈષ્ણોદેવી કંઇક બીજા ગિરીમથકો પર ગધેડા સામાન પહોચાડી પ્રવાસન સ્થળો અને માતાજીના સ્થાનકોની વ્યવસ્થા જાળવે એ તમે નથી જોયું?

આ કહ્યાગરું મુંગુ પ્રાણી જેને આપણે ગધેડું નામ આપ્યું છે એને પ્રેમથી ગધેડું કહોને. એ ખૂબ સારું છે. નિર્દોષ છે. શાકાહારી છે. તમને ઉપયોગી સેવા કરે તેવું છે.

તમે ઘોડો પાળો તો તમારો સમાન ભાર ઉંચકે?

તમે કૂતરાને પાળો તો તમારું વજન ઊંચકે?

સૌના ગુણ અલગ... ઘોડો સારો, કૂતરો પણ સારો પણ ગધેડું પણ સારું છે. કહોને ગધેડું સારું, બિચારાની નિંદા શું કામ કરો. વફાદારીમાં ગધેડું પણ કંઈ ઓછું નથી.

હું આપને જણાવું, ગુજરાત સરકારમાં એક ખુબ ઉચ્ચ અધિકારી શ્રી જેમનું અહીં નામ નથી જણાવી રહ્યો તેઓ એમના ઘરે ગધેડા પાળતા. એવા સરસ ચોખ્ખા, નિર્દોષ અને ખુશ ખુશાલ રમતા ગધેડા જોઈને અને એમના ઉછેર વિશે સંભાળીને મને આશ્ચર્ય થતું!

એમના એ પાલકભાવને ખૂબ આદરભાવે હું સદૈવ મારી લાગણીઓથી બિરદાવું છું. ગર્વ થાય આવા લોકો પર જેઓ લાગણીઓને સમજે.

મારી એક વ્યક્તિગત્વ વાત પણ અહીં કહીશ.

જેમની સાથે મારે કંઈ જ લેવા-દેવા નથી, નથી હું જેમનો પ્રતિસ્પર્ધી, નથી મારે કોઇ વેપારી લેવડ-દેવડ કે બીજું કંઈ છતાં મને કેટલાક લોકો અવારનવાર ગધેડો કહે છે!

મારા જીવનમાં મારા આદર્શ એવા આપણા દેશના હાલના બે શિર્ષસ્થ નેતૃત્વના કહ્યાગરા ગધેડા તરીકે કેટલાક નિંદકો અવારનવાર મારી નિંદા કરે અને કહે કે...

ઉત્કર્ષ પટેલ તો ***** નું કહ્યાગરું ગધેડું છે! એ લોકો જેમ કહે તેમ મજૂરી કરે અને ભાર ઉપાડે.

મારા નીંદકો આવું કહે ત્યારે એ નીંદકો માટે ગુસ્સાનો ભાવ કે તિરસ્કારનો ભાવ હું રાખતો નથી કેમકે હું સમજું છું કે મારે મારી સંબંધોની ખાનદાની વફાદારી નિભાવવાની છે અને મારા માટે ગધેડાની ઉપમા એ વખાણ બરાબર છે નહીં કે નિંદા, તિરસ્કાર.

અગત્યનું...

જ્યારે જ્યારે

છોકરી ગાય જેવી કહેવાય ત્યારે એ દીકરીની ચિંતા કરવી

અને

છોકરો ગધેડા જેવો કહેવાય ત્યારે સમજી જવું કે એ છોકરો સંયમી, કહ્યાગરો અને સારો જ હશે.

વિશેષમાં મૂંગા પ્રાણીને વધુ તિરસ્કાર ના કરશો, એને પ્રેમથી જતન કરજો.

(સુદામા)

Related Posts

Top News

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે રેલવેમાં ભરતીને લઈને ભ્રામક નિવેદનો ન આપવા...
National  Politics 
છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.