પ્રયાગરાજમાં લેટે હનુમાન મંદિર કોરિડોર પર આર્મીએ પહોંચીને બંધ કરાવ્યું નિર્માણ કાર્ય

જ્યાં વિવાદ છે ત્યાં મંદિર છે. મંદિરની બાજુમાં મુઘલ કાળનો કિલ્લો બનેલો છે. આ કિલ્લા પર સેનાનો અધિકાર છે. હનુમાન મંદિર પણ કિલ્લાની નજીક છે અને તેનાથી એ સાબિત થઈ રહ્યું છે કે મંદિર પરિસરની જમીન સેનાની છે. બીજી તરફ ફેઝ-2ના નિર્માણ કાર્યમાં કોઈ ગરબડી હોત, તો તેના પર રોક લગાવવા માટે PWDની ટીમ જઈને ત્યાં નિર્માણ કાર્ય રોકી શકતી, પરંતુ સેનાએ ઉતરીને નિર્માણ કાર્ય રોકવું પડ્યું. કહેવામાં આવી રહ્યું છે કે, પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટી (PDA) અને સેના વચ્ચે જમીનને લઈને સમજૂતી થઈ હતી. આ સમજૂતી હેઠળ PDA ખરી ન ઉતરી. આ કારણે સેનાના જવાનોને ગ્રાઉન્ડ પર પહોંચીને નિર્માણ કાર્ય રોકવું પડ્યું.

Hanuman-temple-corridor3
hindi.news18.com

બુધવારે બપોરે 12:00 વાગ્યાની આસપાસ અડધા ડઝનથી વધુ જવાન મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. તેમણે નિર્માણ કાર્ય બંધ કરાવી દીધું. કહેવામાં આવ્યું હતું કે, જમીનને લઈને સેના અને PDA વચ્ચે થયેલી સમજૂતીમાં થઈ રહેલા વિલંબને કારણે કાર્ય બંધ કરવામાં આવ્યું છે. પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ અને સેનાના ઉચ્ચ અધિકારીઓ વચ્ચેની વાતચીત નિષ્ફળ ગઈ. PDA તરફથી 32 કરોડ રૂપિયાથી વધુની રકમ ખર્ચ કરીને સંગમ વિસ્તારમાં લેટે હનુમાન મંદિર કોરિડોરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

Hanuman-temple-corridor3
hindi.news18.com

 

કોરિડોરના નિર્માણમાં સેનાની જમીનનો ઉપયોગ થઈ રહ્યો છે. તેના બદલામાં, નેહરુ પાર્ક પાસે સેનાને જમીન આપવાની સમજૂતી થઇ હતી. અત્યાર સુધી PDA તરફથી સેનાને જમીનના બદલામાં જમીન આપવામાં આવી નથી. મહાકુંભ અગાઉ, લેટે હનુમાન મંદિર કોરિડોરના પ્રથમ ફેઝનું નિર્માણ PDA તરફથી લગભગ પૂર્ણ થઈ ગયું છે. ફિનિશિંગ કામ ચાલી રહ્યું છે, જે બંધ કરાવી દેવામાં આવ્યું છે. નિર્માણના બીજા ફેઝમાં, મંદિરનું ગર્ભગૃહ અને એક વિશાળ મંડપનું નિર્માણ થવાનું છે. PDA સચિવ અજીત સિંહે કહ્યું કે, ‘સેના તરફથી લેટે હનુમાન મંદિર કોરિડોરનું નિર્માણ બંધ કરાવવામાં આવ્યું છે. સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત ચાલી રહી છે. પરસ્પર સહમતિથી નિર્માણ ટૂંક સમયમાં જ ચાલુ થઈ જશે. જમીન અદલા-બદલીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.

wife
crimejunction.com

 

સમજૂતી મુજબ, નહેરુ પાર્ક પાસે વહેલી તકે સેનાને આપી દેવામાં આવશે. તપાસ કરતા જાણવા મળ્યું કે જે નિર્માણ કાર્ય કરવા માટે પહેલા 100થી વધુ કર્મચારી અને મજૂરો લાગેલા રહેતા હતા ત્યાં હવે સન્નાટો છે. એક પ્રોજેક્ટ મેનેજર અને 3 એન્જિનિયર સુપરવાઇઝર સ્થળ પર ઉપસ્થિત હતા. પ્રોજેક્ટ મેનેજરનું કહેવું છે કે અમે ઉપરથી આવેલા ઓર્ડરને ફોલો કરીએ છીએ. અત્યારે કામ બંધનો ઓર્ડર મળ્યો છે. અમને કામ ફરી ચાલું કરવાનો ઓર્ડર મળશે, તો કામ ચાલુ થઈ જશે.

About The Author

Related Posts

Top News

'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં ...
National 
'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તામાં આવ્યા ત્યારથી, યુરોપિયન દેશોથી તેમનું અંતર વધી રહ્યું છે. ટેરિફ, ગ્રીનલેન્ડ અને ઈરાન...
Business 
ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-04-2026 વાર: સોમવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)માં સીઝનની 18મી મેચ શનિવારે રાત્રે ચેન્નાઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે CSK અને ...
Sports 
CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.