કેજરીવાલને રાજીનામું આપવું પડ્યું તો કોણ સંભાળશે CMની ખુરશી, આ 3 નામ ચર્ચામાં

2024ની લોકસભાની ચૂંટણીના થોડા દિવસ અગાઉ ગુરુવાર (21 માર્ચ)એ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડે દિલ્હીના રાજકારણમાં તોફાન લાવી દીધું છે. દિલ્હીના આબકારીનીતિ કૌભાંડ કેસ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં 2 કલાકની પૂછપરછ બાદ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી. ત્યારબાદ ચર્ચા શરૂ થઈ ગઈ કે, જો અરવિંદ કેજરીવાલ રાજીનામું આપે છે તો આગામી મુખ્યમંત્રી કોણ હશે? આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓનું તો એ જ કહેવું છે કે, અરવિંદ કેજરીવાલ જ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા રહેશે અને જેલમાં રહીને સરકાર ચલાવશે.

તેના પર જેલ પ્રશાસન અને કાયદાના જાણકારોનું કહેવું છે કે, કાયદાકીય રૂપે તેમાં કોઈ પરેશાની નથી, પરંતુ પ્રેક્ટિકલી એવું મુશ્કેલ છે કેમ કે મુખ્યમંત્રી હોવાના સંબંધે ફાઇલ સાઇન કરાવવા રોજ જેલમાં આવશે. એવામાં જેલ પ્રશાસન મુખ્યમંત્રી અને જેલની સિક્યોરિટી કંપ્રોમાઇઝ કરવા નહીં માગે. હવે સવાલ એ છે કે જો અરવિંદ કેજરીવાલ રાજીનામું આપે છે તો તમારી પાસે વિકલ્પ શું છે? એવામાં પાર્ટી સામે પડકાર યોગ્ય નેતા સામે લાવવાનો છે, જે અરવિંદ કેજરીવાલની ગેરાહાજરીમાં દિલ્હી સરકારની જવાબદારી સંભાળી શકે. બીજી તરફ ચૂંટણી માથે છે તો પાર્ટીની કમાન સંભાળવા માટે પણ યોગ્ય નેતાની જરૂરિયાત હશે.

કોણ હોય શકે છે દિલ્હીના આગામી મુખ્યમંત્રી:

અરવિંદ કેજરીવાલના રાજીનામું આપવાની સુરતમાં આગામી મુખ્યમંત્રી કોણ હશે, તેને લઈને 3 નામોની સૌથી વધુ ચર્ચા છે. દિલ્હી સરકારમાં મંત્રી આતિશી અને સૌરભ ભારદ્વાજ સાથે અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલનું નામ પણ ચર્ચમાં છે. સુનિતા કેજરીવાલ IRS અધિકારી રહી ચૂક્યા છે. બીજી તરફ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલમાં હોવાના કારણે સૌથી મજબૂત દાવેદાર આતિશી અને સૌરભ ભારદ્વાજ માનવામાં આવી રહ્યા છે. આતિશી દિલ્હી સરકારમાં શિક્ષણ, નાણાં, મહેસૂલ, PWD સહિત ઘણા વિભાગોની જવાબદારી સંભાળી રહ્યા છે તો સૌરભ ભારદ્વાજ પણ દિલ્હી મંત્રી મંડળના મુખ્ય સભ્ય છે. તેમની પાસે શહેરી વિકાસ અને સ્વાસ્થ્ય સહિત ઘણી જવાબદારીઓ છે.

કોણ સંભાળશે AAPની કમાન?

આમ આદમી પાર્ટીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં 'મેં ભી કેજરીવાલ' નામથી હસ્તાક્ષર કેમ્પેઇન ચલાવ્યું હતું અને લોકોને સવાલ કરવામાં આવ્યો કે શું કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું જોઈએ કે જેલમાંથી સરકાર ચલાવવી જોઈએ. તેના જવાબમાં 90 ટકા લોકોએ કહ્યું કે, કેજરીવાલ પાસે દિલ્હીનો જનાદેશ છે અને તેઓ ચૂંટાયેલા મુખ્યમંત્રી છે. તેઓ જેલમાં રહે કે ગમે ત્યાં, મુખ્યમંત્રી તેઓ જ રહેશે. તેને લઈને દિલ્હી સરકારે સર્વે પણ કરાવ્યો અને તેમ પણ લોકોના મંતવ્ય હતા કે અરવિંદ કેજરીવાલને જ દિલ્હીના મુખ્યમંત્રીના પદ પર રહેવું જોઈએ. તો પાર્ટીના સંયોજક તરીકે આતિશી, પંજાબ મુખ્યમંત્રી ભગવંત માન અને સુનિતા કેજરીવાલના નામની ચર્ચા છે.

Top News

દિલ્હી-NCRના તમામ રખડતા કૂતરાંઓને શેલ્ટર હોમમાં મોકલો: સુપ્રીમ કોર્ટ

રખડતા કૂતરાંઓનો સમસ્યાનો સામનો કરી રહેલા દિલ્હીવાસીઓ માટે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યુ કે, 8 સપ્તાહની અંદર...
National 
દિલ્હી-NCRના તમામ રખડતા કૂતરાંઓને શેલ્ટર હોમમાં મોકલો: સુપ્રીમ કોર્ટ

પાટીદારોની ચીમકી, બિન અનામતના હોદ્દા ભરો નહીં તો આંદોલન કરીશું

ગુજરાતમાં જ્યારે પાટીદાર અનામ આંદોલન પછી સરકારે પાટીદારોની માંગણી સ્વીકારી તે સમયે આર્થિક રીતે નબળા વર્ગો માટે EWSની જાહેરાત...
Gujarat 
પાટીદારોની ચીમકી, બિન અનામતના હોદ્દા ભરો નહીં તો આંદોલન કરીશું

પાટીદારો 100 કાર લઇને આવી શકતા હોય તો આપણે રબારી સમાજ...

સૌરાષ્ટ્રના વલ્લભીપુરમાં 7 ઓગસ્ટના દિવસે એક ખેડુતને માર મારવાની ઘટના પછી સુરતથી પાટીદાર સમાજના લોકો 100થી વધુ કાર લઇને વલ્લભીપુરના...
Gujarat 
પાટીદારો 100 કાર લઇને આવી શકતા હોય તો આપણે રબારી સમાજ...

'કૌન બનેગા કરોડપતિ'નું પુનરાગમન: અમિતાભ બચ્ચન 'અકલ સાથે અકડ'ના નવા અંદાજમાં

'કૌન બનેગા કરોડપતિ'ની નવી સીઝન, કેબીસી 17, ગઈકાલથી શરૂ થઈ છે. આ શો હંમેશની જેમ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન...
Entertainment 
 'કૌન બનેગા કરોડપતિ'નું પુનરાગમન: અમિતાભ બચ્ચન 'અકલ સાથે અકડ'ના નવા અંદાજમાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.