ન વર્દીમાં રીલ્સ બનાવો, ન કોઈ બીજો વીડિયો.., આ રાજ્યના પોલીસકર્મીઓને ફરમાન

રાજસ્થાન પોલીસે મંગળવારે પોતાના કર્મચારીઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે, એ મુજબ, તેમણે વર્દીમાં સોશિયલ મીડિયા પર એવા વીડિયો, રીલ કે સ્ટોરી પોસ્ટ કરતા દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે, જે પોલીસના કામ સાથે જોડાયેલા નથી. આ એડવાઇઝરીનું ઉલ્લંઘન કરતા પકડાવા પર પોલીસકર્મીઓને સખત વિભાગીય કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. રાજસ્થાન પોલીસના DGP યુ.આર. સાહૂ તરફથી બધા જિલ્લાના પોલીસ અધિકારીઓને આ સંબંધમાં નિર્દેશ આપવામાં આવ્યા છે.

DGP સાહૂએ કહ્યું કે, પોલીસકર્મીઓ માટે વર્દીમાં પોતાના વીડિયો, રીલ્સ અને સ્ટોરી પોસ્ટ કરવી કે અપલોડ કરવી નિયમો વિરુદ્ધ છે. જેનો પોલીસના કામ સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું કે, તેનાથી વિભાગની ગરિમા અને છબી પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે. કંટ્રોલિંગ ઓફિસર એવી પોસ્ટ કરનારા કર્મચારીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી સુનિશ્ચિત કરે. યુઆર સાહૂએ રાજ્યના બધા અધિક્ષકો, કમાન્ડેન્ટ્સ અને અન્ય પોલીસ અધિકારીઓને નિર્દેશિત કર્યા છે કે ભવિષ્યમાં કોઈ પણ પોલીસકર્મી પોલીસ સાથે સંબંધિત કાર્ય સિવાય કોઈ પણ પ્રકારના વીડિયો, રીલ્સ, સ્ટોરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ ન કરે.

DGP સાહૂ તરફથી જાહેર કરવામાં આવેલા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે પોલીસની વર્દી જનતા પ્રત્યે પ્રતિબદ્ધતા, સમર્પણ અને જવાબદારીનું પર્યટક છે. આપણે તેનો ઉપયોગ કરતી વખત અત્યંત સાવધાની અને ગંભીરતા રાખવી જોઈએ. DGP યુઆર સાહૂએ નિર્દેશમાં કહ્યું કે, સોશિયલ મીડિયા પર વર્દીમાં અનુચિત સામગ્રી પ્રસારિત કરવી, ન માત્ર અનુશાસનહીના સંકેત છે, પરંતુ એ જનતા વચ્ચે વિશ્વાસ પણ નબળો કરે છે. કોટા પોલીસે સૌથી પહેલા આ આદેશ જાહેર કર્યો હતો. તો હવે તેને રાજ્ય સ્તર પર જાહેર કરી દેવામાં આવ્યો છે. હવે રાજસ્થાનના પોલીસકર્મી વર્દીમાં સોશિયલ મીડિયા પર રીલ બનાવતા નજરે નહીં પડે.

About The Author

Related Posts

Top News

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.