અહીં કૂવારાઓ રાત્રે મંદિરમાંથી પાર્વતીની મૂર્તિ ચોરી જાય, લગ્ન બાદ પરત મૂકી જાય

દેશના દરેક રાજ્યમાં અનેક પ્રકારની અનોખી પ્રણાલીઓ જોવા મળે છે. જેનું સ્થાનિકો અનુકરણ કરતા હોય છે. પાડોશી રાજ્ય રાજસ્થાનના બુંદી જિલ્લાના હિંડૌલી ગામે એક અનોખી પ્રથા પ્રવર્તે છે. લગ્નોત્સુક યુવકો અહીં મંદિરમાંથી પાર્વતી માતાની મૂર્તિને ચોરી જાય છે અને લગ્ન થયા બાદ મૂર્તિને પરત મંદિરમાં મૂકી જાય છે. જેવી મૂર્તિ મંદિરમાં આવે એટલે બીજો કુંવારો ફરી એને ચોરી જાય છે.

હિંડૌલી ગામે આવેલા શિવમંદિરમાંથી મૂર્તિ ચોરવા બદલ કોઈ પ્રકારનો પોલીસકેસ પણ થતો નથી. આ મંદિર રામસાગર સરોવરના કાંઠે રધુનાથ ઘાટ પર આવેલું છે. મૂર્તિ ચોરવા પાછળનું કારણ પણ અનોખું છે. અહીં એવી માન્યતા છે કે, જે યુવકના લગ્ન ન થતા હોય તે આ મંદિરમાંથી ચોરીછુપીથી પાર્વતીજીની મૂર્તિ ચોરી જાય છે. આમ કરવાથી એના લગ્ન ઝડપથી થઈ જાય છે. આ જ કારણે અહીં ગામના કુંવારાઓ મૂર્તિ ચોરી જાય છે અને લગ્ન થઈ જતા પરત મૂકી જાય છે. મૂર્તિ રાત્રે જ ચોરવાની હોય છે. મંદિરમાં શિવલીંગની બાજુમાં પાર્વતીજીની મૂર્તિ સ્થાપિત હોય છે. પણ શિવ સાથે શક્તિ ભાગ્યે જ જોવા મળે છે.

કુંવારા યુવકો એ ધ્યાન રાખીને બેઠા હોય છે કે, ક્યારે અહીં મૂર્તિ આવે. આમ મંદિરમાંથી શક્તિ-શિવથી કેટલાય દિવસો સુધી વિખૂટા પડી જાય છે. તેઓ કુંવારા યુવાનોના ઘરે હોમ ક્વોરેન્ટાઈન થઈ જાય છે. પણ આ વખતે અખાત્રીજ જેવા શુભ દિવસે પણ કોઈ લગ્ન ન થવા પાછળનું કારણ લૉકડાઉન છે. લૉકડાઉન ખુલ્યું નથી અને લગ્ન પણ થયા નથીં. જુલાઈ મહિનાથી ચાર મહિના સુધી દેવ પોઢી જશે. એવામા શિવ પાસે શક્તિ પરત આવે એવી શક્યતાઓ ઓછી છે. લાઈનમાં રહેલા કુંવારાઓએ મૂર્તિ માટે આ વખતે લાંબા સમય સુધી રાહ જોવી પડે એવી સ્થિતિ છે. અત્યાર સુધીમાં 15થી 20 વખત પાર્વતીજીની મૂર્તિ ચોરાઈ ચૂકી છે. જે યુવાનોએ ચોરી એમને લગ્ન પણ થઈ ચૂક્યા છે. એવું અહીં મંદિરના પૂજારીએ જણાવ્યું હતું. વર્ષમાં એક કે બે મહિના સુધી માંડ આ મૂર્તિ શિવજીની પાસે રહે છે.

 

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.