અહીં કૂવારાઓ રાત્રે મંદિરમાંથી પાર્વતીની મૂર્તિ ચોરી જાય, લગ્ન બાદ પરત મૂકી જાય

દેશના દરેક રાજ્યમાં અનેક પ્રકારની અનોખી પ્રણાલીઓ જોવા મળે છે. જેનું સ્થાનિકો અનુકરણ કરતા હોય છે. પાડોશી રાજ્ય રાજસ્થાનના બુંદી જિલ્લાના હિંડૌલી ગામે એક અનોખી પ્રથા પ્રવર્તે છે. લગ્નોત્સુક યુવકો અહીં મંદિરમાંથી પાર્વતી માતાની મૂર્તિને ચોરી જાય છે અને લગ્ન થયા બાદ મૂર્તિને પરત મંદિરમાં મૂકી જાય છે. જેવી મૂર્તિ મંદિરમાં આવે એટલે બીજો કુંવારો ફરી એને ચોરી જાય છે.

હિંડૌલી ગામે આવેલા શિવમંદિરમાંથી મૂર્તિ ચોરવા બદલ કોઈ પ્રકારનો પોલીસકેસ પણ થતો નથી. આ મંદિર રામસાગર સરોવરના કાંઠે રધુનાથ ઘાટ પર આવેલું છે. મૂર્તિ ચોરવા પાછળનું કારણ પણ અનોખું છે. અહીં એવી માન્યતા છે કે, જે યુવકના લગ્ન ન થતા હોય તે આ મંદિરમાંથી ચોરીછુપીથી પાર્વતીજીની મૂર્તિ ચોરી જાય છે. આમ કરવાથી એના લગ્ન ઝડપથી થઈ જાય છે. આ જ કારણે અહીં ગામના કુંવારાઓ મૂર્તિ ચોરી જાય છે અને લગ્ન થઈ જતા પરત મૂકી જાય છે. મૂર્તિ રાત્રે જ ચોરવાની હોય છે. મંદિરમાં શિવલીંગની બાજુમાં પાર્વતીજીની મૂર્તિ સ્થાપિત હોય છે. પણ શિવ સાથે શક્તિ ભાગ્યે જ જોવા મળે છે.

કુંવારા યુવકો એ ધ્યાન રાખીને બેઠા હોય છે કે, ક્યારે અહીં મૂર્તિ આવે. આમ મંદિરમાંથી શક્તિ-શિવથી કેટલાય દિવસો સુધી વિખૂટા પડી જાય છે. તેઓ કુંવારા યુવાનોના ઘરે હોમ ક્વોરેન્ટાઈન થઈ જાય છે. પણ આ વખતે અખાત્રીજ જેવા શુભ દિવસે પણ કોઈ લગ્ન ન થવા પાછળનું કારણ લૉકડાઉન છે. લૉકડાઉન ખુલ્યું નથી અને લગ્ન પણ થયા નથીં. જુલાઈ મહિનાથી ચાર મહિના સુધી દેવ પોઢી જશે. એવામા શિવ પાસે શક્તિ પરત આવે એવી શક્યતાઓ ઓછી છે. લાઈનમાં રહેલા કુંવારાઓએ મૂર્તિ માટે આ વખતે લાંબા સમય સુધી રાહ જોવી પડે એવી સ્થિતિ છે. અત્યાર સુધીમાં 15થી 20 વખત પાર્વતીજીની મૂર્તિ ચોરાઈ ચૂકી છે. જે યુવાનોએ ચોરી એમને લગ્ન પણ થઈ ચૂક્યા છે. એવું અહીં મંદિરના પૂજારીએ જણાવ્યું હતું. વર્ષમાં એક કે બે મહિના સુધી માંડ આ મૂર્તિ શિવજીની પાસે રહે છે.

 

About The Author

Related Posts

Top News

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની...
Gujarat 
સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી
Copyright (c) Khabarchhe All Rights Reserved.