એક કિલો સોનું, 2 કિલો ચાંદી, અઢળક રૂપિયા; લાંચિયા સરકારી અધિકારીના ઘરેથી ખજાનો મળી આવ્યો

ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરતા રાજસ્થાન ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ પંચાયતી રાજ વિભાગમાં જૂનિયર આસિસ્ટન્ટ શુભકરણ પરિહાર (છિપા) વિરુદ્ધ આવકથી વધુ સંપત્તિના કેસના સંદર્ભમાં આજે વહેલી સવારે 5 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં લાખોની ગેરકાયદેસર સંપત્તિનો મોટો ખુલાસો થયો છે, જેમાં એક કિલોથી વધુ સોનું, બે કિલો ચાંદી, તેમજ રૂપિયાઓનો ઢગલો મળી આવ્યો હતો.

લાંચ લેનાર જૂનિયર આસિસ્ટન્ટના ઘરે દરોડામાં બિકાનેર શહેરમાં 3 આલીશાન ઘરો, પુનરસર ગામમાં એક આલીશાન ઘર અને આશરે 17 હેક્ટર ખેતીલાયક જમીનનો ખુલાસો થયો છે. ACBને મળેલી ગુપ્ત ફરિયાદની ચકાસણીમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ તેની કાયદેસર આવક કરતા લગભગ 938 ટકા વધુ કિંમતની સંપત્તિ એકઠી કરી હતી. ત્યારબાદ, કેસ નોંધવામાં આવ્યો હતો અને બિકાનેર અને ફલોદીમાં એક સાથે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કાર્યવાહી બિકાનેર શહેરના ઘણા સ્થળો સાથે સાથે પુનરાસર ગામ અને કાનાસર (પંચાયત સમિતિ બાપ, ફલોદી)માં કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી ઉપમહાનિર્દેશક સ્તરની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી.

jr-assistant1
indiatv.in

દરોડા દરમિયાન શું-શું મળ્યું? (ખુલાસાઓની યાદી)

ACB ટીમોએ બિકાનેર શહેર, ગંગાસાગર, પુનરાસર અને ફલોદીમાં સ્થળોએ દરોડા પાડ્યા હતા. અત્યાર સુધી જપ્ત કરાયેલી સંપત્તિની વિગતો ફિલ્મી કહાની જેવી છે:

બિકાનેરમાં તેના નિવાસસ્થાન પરથી આશરે ₹75 લાખ રોકડ મળી આવી હતી.

આરોપી પાસેથી 1 કિલોથી વધુ સોનું અને આશરે 2 કિલો ચાંદી મળી આવી હતી.

બિકાનેર શહેરમાં 3 અને પુનરાસરમાં 1 એટલે કે આ જૂનિયર આસિસ્ટન્ટ કુલ 4 વૈભવી ઘરોનો માલિક નીકળ્યો છે.

આરોપીના નામ પર લગભગ 17 હેક્ટર ખેતી લાયક જમીનની પુષ્ટિ થઈ છે. વહેલી સવારે કાર્યવાહી શરૂ થઈ હતી, જેનાથી ગભરાટ ફેલાયો હતો. ACB રેન્જ બિકાનેરના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ભુવન ભૂષણ યાદવની દેખરેખ હેઠળ વિવિધ ટીમોએ એકસાથે દરોડો પાડ્યો હતો. હાલમાં, બિકાનેરના જયનારાયણ વ્યાસ કોલોની અને ગંગાશહેરમાં સ્થિત સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. બ્યુરોના એડિશનલ ડિરેક્ટર જનરલ શ્રીમતી સ્મિતા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની અપેક્ષા છે.

jr-assistant
indiatv.in

બ્યૂરોના ડિરેક્ટર ગોવિંદ ગુપ્તાએ જણાવ્યું હતું કે આરોપીએ પોતાના પદનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાની સંપત્તિ એકઠી કરી હતી. વિગતવાર તપાસ ચાલી રહી છે, અને સમગ્ર આવક અને ખર્ચના હિસાબોની તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, નાના પદ પર તૈનાત કર્મચારી પાસેથી મળેલી આ અઢળક સંપત્તિએ સિસ્ટમમાં ફેલાયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. ACB હવે આરોપીના બેંક લોકર અને અન્ય દસ્તાવેજોની તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

હાથ મેળવશે કે નહીં? ઉસ્માન તારિકની બોલિંગ... સૂર્યાએ પાકિસ્તાન સામેની મેચને લગતા દરેક પ્રશ્નોના જવાબ આપ્યા

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે શનિવારે ભારત-પાકિસ્તાન મેચ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કોન્ફરન્સ દરમિયાન, તેમણે મેચને લગતા અનેક...
Sports 
હાથ મેળવશે કે નહીં? ઉસ્માન તારિકની બોલિંગ... સૂર્યાએ પાકિસ્તાન સામેની મેચને લગતા દરેક પ્રશ્નોના જવાબ આપ્યા

'મને ફક્ત 10 મિનિટ આપો, સાહેબ...' 19 વર્ષીય વિદ્યાર્થીએ વકીલ બન્યા વગર પોતાનો કેસ રજૂ કર્યો, સુપ્રીમ કોર્ટમાં નિર્ણય પલટી ગયો!

ફેબ્રુઆરીમાં એક બપોરે, જ્યારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પુરી થવાની હતી, ત્યારે 19 વર્ષીય વિદ્યાર્થીએ કોર્ટ પાસે 10 મિનિટનો...
National 
'મને ફક્ત 10 મિનિટ આપો, સાહેબ...' 19 વર્ષીય વિદ્યાર્થીએ વકીલ બન્યા વગર પોતાનો કેસ રજૂ કર્યો, સુપ્રીમ કોર્ટમાં નિર્ણય પલટી ગયો!

એક કિલો સોનું, 2 કિલો ચાંદી, અઢળક રૂપિયા; લાંચિયા સરકારી અધિકારીના ઘરેથી ખજાનો મળી આવ્યો

ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરતા રાજસ્થાન ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ પંચાયતી રાજ વિભાગમાં જૂનિયર આસિસ્ટન્ટ શુભકરણ પરિહાર (છિપા)...
National 
એક કિલો સોનું, 2 કિલો ચાંદી, અઢળક રૂપિયા; લાંચિયા સરકારી અધિકારીના ઘરેથી ખજાનો મળી આવ્યો

વેલેન્ટાઇન ડે પર બગીચામાં આવેલા યુવક-યુવતીઓને VHP-બજરંગ દળના કાર્યકરો જય શ્રી રામ નારા લગાવી ભગાવ્યા

4 ફેબ્રુઆરીએ દેશ સહિત વિશ્વભરમાં વેલેન્ટાઈન્સ ડેના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ શહેરના રેસકોર્સ ખાતે આવેલા...
Gujarat 
વેલેન્ટાઇન ડે પર બગીચામાં આવેલા યુવક-યુવતીઓને VHP-બજરંગ દળના કાર્યકરો જય શ્રી રામ નારા લગાવી ભગાવ્યા

Opinion

હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરવામાં આગળ રહેલા યુવાનો હાલ ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચામાં રહે છે. આંદોલનના અંતે પાટીદાર...
એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.