‘તમારી પાસે વોટ છે, તો મારી પાસે..’, માલેગાંવમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અજિત પવારનું વિવાદાસ્પદ નિવેદન

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે શનિવારે માલેગાંવ નગર પંચાયત ચૂંટણી માટે પોતાનો પ્રચાર શરૂ કર્યો હતો. તેમના ભાષણ દરમિયાન અજિત પવારે એક એવું નિવેદન આપી દીધું જેને કારણે વિવાદ ઊભો થઈ ગયો થયો છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના અને કોંગ્રેસે અજિત પવારને ઘેર્યા છે.

નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે, ‘તમે મને માલેગાંવ નગર પંચાયતમાં 18 ઉમેદવારો (મહાયુતિ) જીતાડી બતાવો, હું મારા બધા વચનો અને માગણીઓ પૂર્ણ કરીશ, પરંતુ જો તમે કટ મારી તો હું પણ કટ મારીશ. તમારી પાસે મત છે, મારી પાસે ફંડ છે. હવે, નક્કી કરો કે શું કરવાનું છે.

Sadhana-Mahajan2
etvbharat.com

અજિત પવારના નિવેદન પર ઉદ્ધવ ઠાકરે, શિવસેના અને કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. વિપક્ષી પાર્ટીઓએ કહ્યું કે, જો અજિત પવાર આવી ધમકીઓ આપી રહ્યા છે, તો ચૂંટણી પંચે તેમના નિવેદનની નોંધ લેવી જોઈએ અને તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ. સત્તામાં રહેલા લોકો દબાણની રણનીતિનો ઉપયોગ કરી રહ્યા છે.

વિપક્ષના વળતા પ્રહાર પછી, અજિત પવાર તેમના નિવેદન પર અડગ રહ્યા અને સમર્થન પણ આપ્યું છે. અજિત પવારે કહ્યું કે, ‘ચૂંટણી દરમિયાન, નેતાઓ મત માગતી વખતે લોકોને વચનો આપે છે. આપણે બિહારમાં પણ જોયું છે. મેં કોઈને ધમકી આપી નથી, મેં ફક્ત એટલું જ કહ્યું છે કે જો તેઓ મને જીતાડશે, તો તેઓ ફંડ આપશે અને વિકાસ કરશે.

વિવાદ બાદ અજિત પવારની સ્પષ્ટતા

પોતાના નિવેદનમાં અજિત પવારે કહ્યું કે વિપક્ષી પાર્ટીઓને ટિપ્પણી કરવાનો અધિકાર છે, પરંતુ તેઓ માત્ર શું થાય છે તેના પર જ બોલે છે. તેઓ નેતાઓની વાતો પર ધ્યાન આપતા નથી, પરંતુ વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપે છે. વિકાસ માટે પછી ભલે તે કેન્દ્રની નિધિ હોય કે રાજ્યની, તે યોગ્ય ક્ષેત્રોમાં ખર્ચવા જોઈએ અને દરેકને સાથે લેવા જોઈએ.

નાયબ મુખ્યમંત્રી અજિતે બિહારની પરિસ્થિતિ પર પણ ટિપ્પણી કરતા કહ્યું કે દરેક વ્યક્તિ કહે છે કે તેમની સરકાર સત્તામાં આવવા દો, પરંતુ વાસ્તવિક નિર્ણય જનતાનો છે. તેમણે તેજસ્વી યાદવના નિવેદનનો ઉલ્લેખ કર્યો, જેમાં તેજસ્વીએ કહ્યું હતું કે, કે જો તેમની સરકાર બનશે તો દરેક ઘરને સરકારી નોકરી મળશે. નાયબ મુખ્યમંત્રીનું માનવું છે કે દરેકને બોલવાનો અધિકાર છે, પરંતુ આખરે, જનતાનો વિશ્વાસ જ મહત્ત્વપૂર્ણ છે.

ajit
indiatoday.in

તેમણે એમ પણ કહ્યું કે જેઓ બિનહરીફ ચૂંટાય છે, તેમાં કોઈ ફોર્મ ભરતું નહીં હોય અને કોઈ ધાકધમકીની વાત થઈ નથી. ઉદાહરણ તરીકે, બારામતીમાં તેમના 8 ઉમેદવારો કોઈપણ વિરોધ વિના જીત્યા. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ શક્ય હોય ત્યાં સાથે મળીને લડશે. અનુભવી અને નવા ઉમેદવારો બંનેને તક મળશે, એટલે ઉમેદવારી માગનારાઓની સંખ્યા વધુ છે. ત્રણેય પાર્ટીઓએ સાથે મળીને સમજદારીપૂર્વક નિર્ણયો લીધા છે.

વિપક્ષનો આરોપ છે કે, આ નિવેદન મતદારોને દબાણ કરવાનો પ્રયાસ છે, જ્યારે પવારના સમર્થકો તેને ચૂંટણી રણનીતિ કહે છે. આગામી દિવસો મતદારોનો નિર્ણય નક્કી કરશે, પરંતુ પવારની ટિપ્પણીએ ચૂંટણી ચર્ચાને એક નવા સ્તરે પહોંચાડી દીધી છે.

About The Author

Top News

હર્ષ સંઘવીએ મેવાણીના ગઢમાં જઇને નામ લીધા વગર 3 મુદ્દા પર ચાબખા મારી દીધા

કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીનો ગઢ વડ ગામ છે, કારણકે તેઓ વિધાનસભા અહીંથી જીત્યા છે. મેવાણી છેલ્લાં કેટલાંક દિવસથી દારુ...
Politics 
હર્ષ સંઘવીએ મેવાણીના ગઢમાં જઇને નામ લીધા વગર 3 મુદ્દા પર ચાબખા મારી દીધા

DGVCLના આ ભાઈને 85000નો પગાર ઓછો પડ્યો તે ખેડૂત પાસે લાંચ માંગવી પડી

દક્ષિણ ગુજરાતના કઠોર DGVCLના સબ ડિવીઝનમાં 23 વર્ષથી નોકરી કરતો સીનિયર કલાર્ક 70000 રૂપિયાની લાંચના કેસમાં ACBના હાથે...
Gujarat 
DGVCLના આ ભાઈને 85000નો પગાર ઓછો પડ્યો તે ખેડૂત પાસે લાંચ માંગવી પડી

ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ટાટા ગ્રુપે રાજકીય પાર્ટીઓને મોટા પ્રમાણમાં ફંડ આપ્યું હતું. કુલ 914 કરોડ રૂપિયાના ફંડમાંથી ભાજપને...
Politics 
ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.