‘તમારી પાસે વોટ છે, તો મારી પાસે..’, માલેગાંવમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અજિત પવારનું વિવાદાસ્પદ નિવેદન

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે શનિવારે માલેગાંવ નગર પંચાયત ચૂંટણી માટે પોતાનો પ્રચાર શરૂ કર્યો હતો. તેમના ભાષણ દરમિયાન અજિત પવારે એક એવું નિવેદન આપી દીધું જેને કારણે વિવાદ ઊભો થઈ ગયો થયો છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના અને કોંગ્રેસે અજિત પવારને ઘેર્યા છે.

નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે, ‘તમે મને માલેગાંવ નગર પંચાયતમાં 18 ઉમેદવારો (મહાયુતિ) જીતાડી બતાવો, હું મારા બધા વચનો અને માગણીઓ પૂર્ણ કરીશ, પરંતુ જો તમે કટ મારી તો હું પણ કટ મારીશ. તમારી પાસે મત છે, મારી પાસે ફંડ છે. હવે, નક્કી કરો કે શું કરવાનું છે.

Sadhana-Mahajan2
etvbharat.com

અજિત પવારના નિવેદન પર ઉદ્ધવ ઠાકરે, શિવસેના અને કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. વિપક્ષી પાર્ટીઓએ કહ્યું કે, જો અજિત પવાર આવી ધમકીઓ આપી રહ્યા છે, તો ચૂંટણી પંચે તેમના નિવેદનની નોંધ લેવી જોઈએ અને તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ. સત્તામાં રહેલા લોકો દબાણની રણનીતિનો ઉપયોગ કરી રહ્યા છે.

વિપક્ષના વળતા પ્રહાર પછી, અજિત પવાર તેમના નિવેદન પર અડગ રહ્યા અને સમર્થન પણ આપ્યું છે. અજિત પવારે કહ્યું કે, ‘ચૂંટણી દરમિયાન, નેતાઓ મત માગતી વખતે લોકોને વચનો આપે છે. આપણે બિહારમાં પણ જોયું છે. મેં કોઈને ધમકી આપી નથી, મેં ફક્ત એટલું જ કહ્યું છે કે જો તેઓ મને જીતાડશે, તો તેઓ ફંડ આપશે અને વિકાસ કરશે.

વિવાદ બાદ અજિત પવારની સ્પષ્ટતા

પોતાના નિવેદનમાં અજિત પવારે કહ્યું કે વિપક્ષી પાર્ટીઓને ટિપ્પણી કરવાનો અધિકાર છે, પરંતુ તેઓ માત્ર શું થાય છે તેના પર જ બોલે છે. તેઓ નેતાઓની વાતો પર ધ્યાન આપતા નથી, પરંતુ વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપે છે. વિકાસ માટે પછી ભલે તે કેન્દ્રની નિધિ હોય કે રાજ્યની, તે યોગ્ય ક્ષેત્રોમાં ખર્ચવા જોઈએ અને દરેકને સાથે લેવા જોઈએ.

નાયબ મુખ્યમંત્રી અજિતે બિહારની પરિસ્થિતિ પર પણ ટિપ્પણી કરતા કહ્યું કે દરેક વ્યક્તિ કહે છે કે તેમની સરકાર સત્તામાં આવવા દો, પરંતુ વાસ્તવિક નિર્ણય જનતાનો છે. તેમણે તેજસ્વી યાદવના નિવેદનનો ઉલ્લેખ કર્યો, જેમાં તેજસ્વીએ કહ્યું હતું કે, કે જો તેમની સરકાર બનશે તો દરેક ઘરને સરકારી નોકરી મળશે. નાયબ મુખ્યમંત્રીનું માનવું છે કે દરેકને બોલવાનો અધિકાર છે, પરંતુ આખરે, જનતાનો વિશ્વાસ જ મહત્ત્વપૂર્ણ છે.

ajit
indiatoday.in

તેમણે એમ પણ કહ્યું કે જેઓ બિનહરીફ ચૂંટાય છે, તેમાં કોઈ ફોર્મ ભરતું નહીં હોય અને કોઈ ધાકધમકીની વાત થઈ નથી. ઉદાહરણ તરીકે, બારામતીમાં તેમના 8 ઉમેદવારો કોઈપણ વિરોધ વિના જીત્યા. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ શક્ય હોય ત્યાં સાથે મળીને લડશે. અનુભવી અને નવા ઉમેદવારો બંનેને તક મળશે, એટલે ઉમેદવારી માગનારાઓની સંખ્યા વધુ છે. ત્રણેય પાર્ટીઓએ સાથે મળીને સમજદારીપૂર્વક નિર્ણયો લીધા છે.

વિપક્ષનો આરોપ છે કે, આ નિવેદન મતદારોને દબાણ કરવાનો પ્રયાસ છે, જ્યારે પવારના સમર્થકો તેને ચૂંટણી રણનીતિ કહે છે. આગામી દિવસો મતદારોનો નિર્ણય નક્કી કરશે, પરંતુ પવારની ટિપ્પણીએ ચૂંટણી ચર્ચાને એક નવા સ્તરે પહોંચાડી દીધી છે.

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.