પત્ની જો જાતીય તકલીફ બાબતે ઉહાપોહ કરે તો પતિની સમસ્યા વકરી શકે ખરી

પ્રશ્ન: મેં વાંચ્યા પ્રમાણે પતિની જાતીય તકલીફ બાબતે વધુ પડતી ચિંતા, ફરિયાદ કે ઊહાપોહ કરવા ઠીક નથી. તેનાથી પતિની જાતીય સમસ્યા વધારે વકરી શકે છે. તો શું મારા પતિ વધુ પડતો શરાબ લે, ભાગ્યે જ કામચેષ્ટા કરે અને જયારે કરે ત્યારે બે જ મિનિટ સમાગમ પૂરતા જ નજીક આવે તે વિષે કઈં પગલાં લેવાં કે નહીં? શું તેમ કરવાથી તેમની તકલીફમાં વધારો થઈ જશે?

ઉત્તર: જી ના. કદાચ મારા લખાણના અર્થઘટનનું આપે સરળીકરણ કરી નાખ્યું છે. ઘણી પત્નીઓ વધુ પડતી કચકચ, ઉચાટ કર્યા કરતી હોય છે. તેઓ આક્ષેપોમાંથી ઊંચી નથી આવતી. તો કેટલાક પતિ મહાશયો પણ આરોપ, કકળાટ, માનહાનિ તથા ત્રાસદાયક વર્તન કરતા રહે છે. જેનું કારણ પાર્ટનરની જાતીય ક્ષતિ કે ઊણપ હોય છે. તેઓના કકળાટનું કારણ સાચું ભલે હોય...

કકળાટથી કોઈ સમસ્યા ઉકલતી નથી, બલકે વધી જ જાય છે. તેથી જ મેં તેમ ન કરવા સૂચવ્યું હતું. પણ એનો અર્થ એવો હરગિજ નથી કે, કામજીવનમાં તમારે (કે કોઈપણ વ્યક્તિએ) ગુલામી, પરાધીનતા વહોરી લેવી. જેમ પતિ કે પત્નીની જાતીય ઉણપોથી અકળાઈને ફરિયાદો કર્યા કરવી ઠીક નથી, તે જ રીતે આવી ઊણપોને વર્ષો સુધી 'એ તો નસીબ મારાં' એમ સમજીને મુંગે મોઢે સહન કર્યા કરવું ય ઠીક નથી. આક્ષેપો અને વધુ પડતી ફરિયાદોમાં સંબંધો કથળવાનું 

અને સરવાળે કામજીવન બગડવાનું જોખમ રહેલું છે. તો સામે છેડે પતિ કે પત્નીની અસામાન્ય જાતીય વર્તણૂકોને બેરોકટોક ચલાવી લેવાની વૃત્તિ ય ઠીક નથી. આ સમયે સ્વસ્થ સંવાદ, મનમેળ, સમજ અને યોગ્ય સારવાર એ જ શ્રેષ્ઠ વિકલ્પ બની રહે છે.

Related Posts

Top News

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.