પાકિસ્તાન હાર્યું તો કદાચ સેમિફાઈનલ બહાર થશે? જાણો સમીકરણ, કંઈ ટીમના કેટલા ચાન્સ

ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023 હવે ખૂબ જ રોમાંચક વળાંક પર પહોંચી ગયો છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે તેની તમામ પ્રથમ 5 મેચ જીતી છે. આ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે ટોપ પર આવી ગઈ છે.

આ સાથે જ ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં સેમીફાઈનલના આંગણે પહોંચી ગઈ છે. ટીમે તેની આગામી એટલે કે છઠ્ઠી મેચ 29 ઓક્ટોબરે લખનઉમાં ઈંગ્લેન્ડ સામે રમવાની છે. જો ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવશે તો સેમીફાઈનલમાં જગ્યા લગભગ નિશ્ચિત કરી લેશે.

જો આ પછી ભારતીય ટીમ શ્રીલંકા સામેની તેની 7મી મેચ પણ જીતી લે છે તો સેમીફાઈનલમાં તેનું સ્થાન નિશ્ચિત થઈ જશે. ભારતીય ટીમને 14 પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પહોંચતા કોઈ રોકી શકશે નહીં. ભારતીય ટીમ 2 નવેમ્બરે મુંબઈમાં શ્રીલંકા સામે તેની 7મી મેચ રમવાની છે.

ભારતીય ટીમે તેની 5મી મેચમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું છે. આ મેચ રવિવારે (22 ઓક્ટોબર) ધર્મશાલામાં રમાઈ હતી. આ હાર સાથે કિવી ટીમનો વિજય રથ થંભી ગયો છે. ટીમને 4 મેચ પછી પહેલી હાર મળી છે. ન્યુઝીલેન્ડ હવે બીજા સ્થાને છે. તેણે સેમિફાઇનલમાં જવા માટે તેની બાકીની 4 મેચમાંથી 2-3 જીતવી પડશે.

બીજી તરફ પાકિસ્તાનની ટીમ આજે (23 ઓક્ટોબર) અફઘાનિસ્તાન સામે મહત્વની મેચ રમવાની છે. આ મેચ ચેન્નાઈના મેદાન પર યોજાવાની છે, જ્યાં અફઘાનિસ્તાનના સ્પિનરો પાકિસ્તાની બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. બાબર આઝમની કેપ્ટન્સીમાં પાકિસ્તાને અત્યાર સુધી 4માંથી 2 મેચ જીતી છે અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. જો તેને સેમિફાઇનલમાં પ્રવેશ કરવો હોય તો તેને બાકીની તમામ 5 મેચ જીતવી પડશે.

જો પાકિસ્તાનની ટીમ એક પણ મેચ હારે છે, તો તેને નેટ રન રેટ અને અન્ય ટીમોની જીત અને હાર પર નિર્ભર રહેવું પડી શકે છે. હાલ આ પાકિસ્તાની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે.

https://khabarchhe.com/uploads/mc_path/169804194603.jpg

બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમ ત્રીજા સ્થાને છે. તેણે 4માંથી 3 મેચ જીતી છે. નેધરલેન્ડ સામે એક મેચ હારી. ચોથા નંબર પર 5 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા છે, જેણે તેની 4 મેચમાંથી 2 જીતી છે અને 2 હારી છે. જો કોઈ પણ ટીમ આ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચવા ઈચ્છે છે તો તેને તેની 9 મેચમાંથી ઓછામાં ઓછી 6 કે 7 મેચ જરૂર જીતવી પડશે.

6 મેચ જીતનારી ટીમને નેટ રન રેટ અને બાકીની મેચોના પરિણામો પર આધાર રાખવો પડી શકે છે. પરંતુ 7 મેચ સાથેની ટીમ સીધી સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. પરંતુ ટોપ-4 ટીમો માટે 7 મેચ જીતવી ઘણી મુશ્કેલ છે. ત્રીજા અથવા ચોથા સ્થાન અથવા બંને માટે નેટ રન રેટ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવશે.

Related Posts

Top News

મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, ઇન્દોર ફેમિલી કોર્ટે કરોડોની મિલકતની માલિકી ધરાવતી મહિલા ડોક્ટરની વચગાળાના ભરણપોષણ માટેની અરજી ફગાવી દીધી હતી....
National 
મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે ...
Lifestyle  Health 
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
Tech and Auto 
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
Business 
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની
Copyright (c) Khabarchhe All Rights Reserved.