પાકિસ્તાન હાર્યું તો કદાચ સેમિફાઈનલ બહાર થશે? જાણો સમીકરણ, કંઈ ટીમના કેટલા ચાન્સ

ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023 હવે ખૂબ જ રોમાંચક વળાંક પર પહોંચી ગયો છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે તેની તમામ પ્રથમ 5 મેચ જીતી છે. આ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે ટોપ પર આવી ગઈ છે.

આ સાથે જ ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં સેમીફાઈનલના આંગણે પહોંચી ગઈ છે. ટીમે તેની આગામી એટલે કે છઠ્ઠી મેચ 29 ઓક્ટોબરે લખનઉમાં ઈંગ્લેન્ડ સામે રમવાની છે. જો ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવશે તો સેમીફાઈનલમાં જગ્યા લગભગ નિશ્ચિત કરી લેશે.

જો આ પછી ભારતીય ટીમ શ્રીલંકા સામેની તેની 7મી મેચ પણ જીતી લે છે તો સેમીફાઈનલમાં તેનું સ્થાન નિશ્ચિત થઈ જશે. ભારતીય ટીમને 14 પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પહોંચતા કોઈ રોકી શકશે નહીં. ભારતીય ટીમ 2 નવેમ્બરે મુંબઈમાં શ્રીલંકા સામે તેની 7મી મેચ રમવાની છે.

ભારતીય ટીમે તેની 5મી મેચમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું છે. આ મેચ રવિવારે (22 ઓક્ટોબર) ધર્મશાલામાં રમાઈ હતી. આ હાર સાથે કિવી ટીમનો વિજય રથ થંભી ગયો છે. ટીમને 4 મેચ પછી પહેલી હાર મળી છે. ન્યુઝીલેન્ડ હવે બીજા સ્થાને છે. તેણે સેમિફાઇનલમાં જવા માટે તેની બાકીની 4 મેચમાંથી 2-3 જીતવી પડશે.

બીજી તરફ પાકિસ્તાનની ટીમ આજે (23 ઓક્ટોબર) અફઘાનિસ્તાન સામે મહત્વની મેચ રમવાની છે. આ મેચ ચેન્નાઈના મેદાન પર યોજાવાની છે, જ્યાં અફઘાનિસ્તાનના સ્પિનરો પાકિસ્તાની બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. બાબર આઝમની કેપ્ટન્સીમાં પાકિસ્તાને અત્યાર સુધી 4માંથી 2 મેચ જીતી છે અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. જો તેને સેમિફાઇનલમાં પ્રવેશ કરવો હોય તો તેને બાકીની તમામ 5 મેચ જીતવી પડશે.

જો પાકિસ્તાનની ટીમ એક પણ મેચ હારે છે, તો તેને નેટ રન રેટ અને અન્ય ટીમોની જીત અને હાર પર નિર્ભર રહેવું પડી શકે છે. હાલ આ પાકિસ્તાની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે.

https://khabarchhe.com/uploads/mc_path/169804194603.jpg

બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમ ત્રીજા સ્થાને છે. તેણે 4માંથી 3 મેચ જીતી છે. નેધરલેન્ડ સામે એક મેચ હારી. ચોથા નંબર પર 5 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા છે, જેણે તેની 4 મેચમાંથી 2 જીતી છે અને 2 હારી છે. જો કોઈ પણ ટીમ આ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચવા ઈચ્છે છે તો તેને તેની 9 મેચમાંથી ઓછામાં ઓછી 6 કે 7 મેચ જરૂર જીતવી પડશે.

6 મેચ જીતનારી ટીમને નેટ રન રેટ અને બાકીની મેચોના પરિણામો પર આધાર રાખવો પડી શકે છે. પરંતુ 7 મેચ સાથેની ટીમ સીધી સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. પરંતુ ટોપ-4 ટીમો માટે 7 મેચ જીતવી ઘણી મુશ્કેલ છે. ત્રીજા અથવા ચોથા સ્થાન અથવા બંને માટે નેટ રન રેટ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવશે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.