KCAએ શ્રીસંત પર 3 વર્ષનો પ્રતિબંધ મુક્યો, કારણ છે સંજુ સેમસન, જાણો આખો મામલો

ભારતીય ટીમમાંથી સંજુ સેમસનને બાકાત રાખવા અંગે 'અપમાનજનક' ટિપ્પણી કરવા બદલ ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર S શ્રીસંતને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જ્યારે, સંજુ સેમસનના પિતાને પણ કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA) તરફથી કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA)એ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર S શ્રીસંતને ચેમ્પિયન્સ ટ્રોફી માટે સંજુ સેમસનને ભારતીય ટીમમાંથી બાકાત રાખવાના વિવાદના સંદર્ભમાં તેના (KCA)ના વિરુદ્ધ ખોટા અને અપમાનજનક નિવેદનો આપવા બદલ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે. KCA દ્વારા બહાર પડાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 30 એપ્રિલના રોજ કોચીમાં તેની જનરલ બોડીની ખાસ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Sreesanth
cricket.one

શ્રીસંત હાલમાં કેરળ ક્રિકેટ ટીમમાં કોલ્લમ એરીઝ ટીમનો સહ-માલિક છે. આ અગાઉ તેના વિવાદાસ્પદ નિવેદનના સંદર્ભમાં શ્રીસંત, કોલ્લમ ટીમ, અલપ્પુઝા ટીમ લીડ અને અલપ્પુઝા રિપલ્સને કારણદર્શક નોટિસ મોકલી આપવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'ફ્રેન્ચાઇઝી ટીમોએ નોટિસનો સંતોષકારક જવાબ આપ્યો છે, તેથી તેમની સામે કોઈ વધુ કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, ટીમ મેનેજમેન્ટના સભ્યોની નિમણૂક કરતી વખતે અત્યંત સાવધાની રાખવી સલાહભર્યું રહેશે.'

Sreesanth
sports.ndtv.com

તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સંજુ સેમસનના પિતા સેમસન વિશ્વનાથ અને અન્ય બે લોકો સામે સંજુ સેમસનના નામે પાયાવિહોણા આરોપો લગાવવા બદલ વળતરનો દાવો દાખલ કરવામાં આવશે. KCAએ મલયાલમ TV ચેનલ પર ચર્ચા દરમિયાન સેમસન અને KCA સંબંધિત ટિપ્પણીઓ બદલ બે વખતના વર્લ્ડ કપ વિજેતા શ્રીસંતને નોટિસ ફટકારી છે. KCAએ નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે, નોટિસ સેમસનને સમર્થન આપવા બદલ નહીં, પરંતુ KCA વિરુદ્ધ ભ્રામક અને અપમાનજનક ટિપ્પણીઓ કરવા બદલ આપવામાં આવી છે.

Sreesanth
msn.com

શ્રીસંતે TV પર સંજુ સેમસનને કથિત રીતે સમર્થન આપતી વખતે KCA પર આરોપો લગાવ્યા હતા. તેણે સંજુ સેમસન અને કેરળના અન્ય ખેલાડીઓના બચાવ વિશે પણ વાત કરી. વિજય હજારે ટ્રોફી માટે કેરળ ટીમમાંથી સંજુ સેમસનને બાકાત રાખવા બદલ KCAની ટીકા વચ્ચે તેમણે આ નિવેદન આપ્યું હતું. એવું માનવામાં આવે છે કે, KCAના આ નિર્ણયથી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં સંજુ સેમસનની પસંદગીની શક્યતાઓ પર અસર પડી.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.