KCAએ શ્રીસંત પર 3 વર્ષનો પ્રતિબંધ મુક્યો, કારણ છે સંજુ સેમસન, જાણો આખો મામલો

ભારતીય ટીમમાંથી સંજુ સેમસનને બાકાત રાખવા અંગે 'અપમાનજનક' ટિપ્પણી કરવા બદલ ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર S શ્રીસંતને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જ્યારે, સંજુ સેમસનના પિતાને પણ કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA) તરફથી કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA)એ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર S શ્રીસંતને ચેમ્પિયન્સ ટ્રોફી માટે સંજુ સેમસનને ભારતીય ટીમમાંથી બાકાત રાખવાના વિવાદના સંદર્ભમાં તેના (KCA)ના વિરુદ્ધ ખોટા અને અપમાનજનક નિવેદનો આપવા બદલ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે. KCA દ્વારા બહાર પડાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 30 એપ્રિલના રોજ કોચીમાં તેની જનરલ બોડીની ખાસ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Sreesanth
cricket.one

શ્રીસંત હાલમાં કેરળ ક્રિકેટ ટીમમાં કોલ્લમ એરીઝ ટીમનો સહ-માલિક છે. આ અગાઉ તેના વિવાદાસ્પદ નિવેદનના સંદર્ભમાં શ્રીસંત, કોલ્લમ ટીમ, અલપ્પુઝા ટીમ લીડ અને અલપ્પુઝા રિપલ્સને કારણદર્શક નોટિસ મોકલી આપવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'ફ્રેન્ચાઇઝી ટીમોએ નોટિસનો સંતોષકારક જવાબ આપ્યો છે, તેથી તેમની સામે કોઈ વધુ કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, ટીમ મેનેજમેન્ટના સભ્યોની નિમણૂક કરતી વખતે અત્યંત સાવધાની રાખવી સલાહભર્યું રહેશે.'

Sreesanth
sports.ndtv.com

તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સંજુ સેમસનના પિતા સેમસન વિશ્વનાથ અને અન્ય બે લોકો સામે સંજુ સેમસનના નામે પાયાવિહોણા આરોપો લગાવવા બદલ વળતરનો દાવો દાખલ કરવામાં આવશે. KCAએ મલયાલમ TV ચેનલ પર ચર્ચા દરમિયાન સેમસન અને KCA સંબંધિત ટિપ્પણીઓ બદલ બે વખતના વર્લ્ડ કપ વિજેતા શ્રીસંતને નોટિસ ફટકારી છે. KCAએ નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે, નોટિસ સેમસનને સમર્થન આપવા બદલ નહીં, પરંતુ KCA વિરુદ્ધ ભ્રામક અને અપમાનજનક ટિપ્પણીઓ કરવા બદલ આપવામાં આવી છે.

Sreesanth
msn.com

શ્રીસંતે TV પર સંજુ સેમસનને કથિત રીતે સમર્થન આપતી વખતે KCA પર આરોપો લગાવ્યા હતા. તેણે સંજુ સેમસન અને કેરળના અન્ય ખેલાડીઓના બચાવ વિશે પણ વાત કરી. વિજય હજારે ટ્રોફી માટે કેરળ ટીમમાંથી સંજુ સેમસનને બાકાત રાખવા બદલ KCAની ટીકા વચ્ચે તેમણે આ નિવેદન આપ્યું હતું. એવું માનવામાં આવે છે કે, KCAના આ નિર્ણયથી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં સંજુ સેમસનની પસંદગીની શક્યતાઓ પર અસર પડી.

Top News

કેન્દ્રના નિયમના ભાજપના નેતાએ જ ધજાગરા ઉડાવ્યા, RTEના વિદ્યાર્થીઓ પાસે ફી લીધી

કોઇ પણ ગરીબમાં ગરીબ પરિવારના સંતાનો પૈસાના અભાવે શિક્ષણથી વંચિત ન રહી જાય તેના માટે કેન્દ્ર સરકારે વર્ષ 2009માં...
Education 
કેન્દ્રના નિયમના ભાજપના નેતાએ જ ધજાગરા ઉડાવ્યા, RTEના વિદ્યાર્થીઓ પાસે ફી લીધી

કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે ગુજરાતની એક દિવસની મુલાકાત આવ્યા હતા. આણંદમાં કોંગ્રેસના એક પ્રશિક્ષણ કાર્યક્રમનું તેમણે ઉદઘાટન કર્યું. રાહુલ...
Politics 
કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ

આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું

ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આવેલા ગૌરી ગોપાલ આશ્રમના સ્થાપક, કથાવાચક અને આધ્યાત્મિક સંત અનિરુદ્ધચાર્યના એક નિવેદનને કારણે ઉત્તર પ્રદેશમાં ભડકો...
National 
આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું

ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સંપત્તિના કેન્દ્રીકરણ પર ચિંતા વ્યક્ત કરી છે. એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું...
National 
ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'
Copyright (c) Khabarchhe All Rights Reserved.