ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સંપત્તિના કેન્દ્રીકરણ પર ચિંતા વ્યક્ત કરી છે. એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે, દેશમાં ગરીબોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. જ્યારે પૈસા થોડા ધનિક લોકોના હાથમાં એકઠા થઈ રહ્યા છે.

મીડિયા અહેવાલો અનુસાર, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી. તેમણે કહ્યું કે, પૈસાના વિકેન્દ્રીકરણની જરૂર છે. ગડકરીએ કહ્યું, 'ધીમે ધીમે ગરીબોની સંખ્યા વધી રહી છે અને પૈસા કેટલાક ધનિક લોકોના હાથમાં એકઠા થઈ રહ્યા છે. આવું ન થવું જોઈએ.'

Nitin Gadkari
amarujala.com

તેમણે ભાર મૂક્યો કે, અર્થતંત્રનો વિકાસ એવી રીતે થવો જોઈએ કે રોજગારીનું સર્જન થાય અને ગ્રામીણ વિસ્તારોનો વિકાસ થાય. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું, 'અમે એક એવા આર્થિક વિકલ્પ પર વિચાર કરી રહ્યા છીએ, જે રોજગારીનું સર્જન કરશે અને અર્થતંત્રના વિકાસને પ્રોત્સાહન આપશે. પૈસાના વિકેન્દ્રીકરણની જરૂર છે અને આ દિશામાં ઘણા ફેરફારો થયા છે.'

તેમણે ભૂતપૂર્વ વડા પ્રધાનો P.V. નરસિંહ રાવ અને મનમોહન સિંહની ઉદાર આર્થિક નીતિઓની પ્રશંસા કરી. તેમણે અનિયંત્રિત કેન્દ્રીકરણ સામે પણ ચેતવણી આપી.

Nitin Gadkari
aajtak.in

કેન્દ્રીય મંત્રીએ એ તરફ નિર્દેશ કર્યો કે વિવિધ ક્ષેત્રો કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)માં ફાળો આપે છે. પરંતુ તેમની વચ્ચે કોઈ સંતુલન નથી. પોતાના મુદ્દાને સ્પષ્ટ કરતા તેમણે કહ્યું, 'ઉત્પાદન GDPમાં 22-24 ટકા ફાળો આપે છે, સેવા 52-54 ટકા ફાળો આપે છે, જ્યારે કૃષિ ક્ષેત્ર, જે ગ્રામીણ વસ્તીના 65-70 ટકા પર આધાર રાખે છે, તે ફક્ત 12 ટકા ફાળો આપે છે.'

સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કરીને, ગડકરીએ કહ્યું કે, જેનું પેટ ખાલી છે, તેને ફિલસૂફી શીખવી શકાતી નથી.

કેન્દ્રીય મંત્રીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA)ની ભૂમિકા વિશે પણ વાત કરી. તેમણે કહ્યું, 'CA અર્થતંત્રના વિકાસ એન્જિન બની શકે છે. આપણી અર્થવ્યવસ્થા ઝડપથી બદલાઈ રહી છે. તે ફક્ત આવકવેરા રિટર્ન ભરવા અને GST જમા કરાવવા સુધી મર્યાદિત નથી.'

Nitin Gadkari
currentcrime.com

પરિવહન ક્ષેત્રમાં તેમની પહેલનો ઉલ્લેખ કરતા, તેમણે દાવો કર્યો કે, સૌથી પહેલા તેમણે જ રોડ બાંધકામ માટે બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર સિસ્ટમ (BOTS) રજૂ કરનારા હતા. તેમણે કહ્યું કે, રસ્તાના વિકાસ માટે પૈસાની કોઈ અછત નથી. ગડકરીએ વધુમાં કહ્યું, 'ક્યારેક હું કહું છું કે, મારી પાસે પૈસાની નથી, પણ કામની અછત છે.'

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, હાલમાં તેઓ ટોલ બૂથમાંથી લગભગ 55,000 કરોડ રૂપિયા કમાય છે અને આગામી બે વર્ષમાં આ આવક વધીને 1.40 લાખ કરોડ રૂપિયા થઈ જશે. તેમણે કહ્યું કે નવા ટોલથી સરકારી તિજોરીમાં વધુ પૈસા આવશે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.