મારુતિ લઈ આવી 'બ્લેક બ્યુટી', એક સાથે 5 નવી કાર લોન્ચ, કિંમત 5.35 લાખથી શરૂ

મારુતિ તેની 40મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. આથી, કંપનીએ તેના પ્રીમિયમ રિટેલ નેટવર્ક નેક્સા દ્વારા વેચવામાં આવી રહેલી તમામ પાંચ કારના બ્લેક એડિશન લોન્ચ કર્યા છે. નેકશાની નવી બ્લેક એડિશન રેન્જમાં ઈગ્નિસ, બલેનો, સિયાઝ, XL6 અને ગ્રાન્ડ વિટારા છે. આ તમામ કાર હવે નવા પર્લ મિડનાઈટ બ્લેક શેડમાં ઉપલબ્ધ થશે. પ્રીમિયમ મેટેલિક બ્લેક કલર સ્કીમથી ગ્રાહકોને આકર્ષવામાં મદદ મળશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ટાટા મોટર્સ પહેલાથી જ તેના ઘણા મોડલ્સનું ડાર્ક એડિશન વેચે છે, પરંતુ મારુતિ પાસે આવું સ્પેશિયલ ડાર્ક એડિશન નહીં હતું, જેને હવે કંપનીએ લોન્ચ કરી દીધું છે. આ સાથે જ, કંપનીએ લિમિટેડ એડિશન એસેસરીઝ પેકેજ પણ રજૂ કર્યા છે.

નેક્સા બ્લેક એડિશન અને લિમિટેડ એડિશન એસેસરીઝ પેકેજ રજૂ કરતા, મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર (માર્કેટિંગ અને સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું કે, 'અમે મારુતિ સુઝુકીની 40મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. આ સાથે જ, નેક્સાની 7મી એનિવર્સરી પણ છે. અમે Nexa બ્લેક એડિશન રેન્જ રજૂ કરવા માટે ઉત્સાહિત છે.' તેમણે કહ્યું કે, નેક્સા બ્લેક એડિશન વાહન એ આશાનું પ્રતીક છે, જે ગ્રાહકો નેક્સા પાસેથી રાખે છે. ગ્રાહક આ વાહનોમાં લિમિટેડ એડિશન એસેસરીઝ પણ લગાવી શકે છે.

નેક્સા બ્લેક એડિશન ઇગ્નિસના ઝેટા અને અલ્ફા વેરિયન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ સિવાય, સિયાઝના તમામ વેરિયન્ટ્સ, XL6ના અલ્ફા+ વેરિયન્ટ્સ અને ગ્રાન્ડ વિટારાના , ઝેટા, ઝેટા+, અલ્ફા, અલ્ફા+ વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. નેક્સા બ્લેક એડિશન રેન્જની કિંમતો નેક્સા કારોની સ્ટાન્ડર્ડ રેન્જના અનુરૂપ જ છે. એટલે કે, જે કિંમતો રેગ્યુલર મોડલની હશે, તે કિંમતો બ્લેક એડિશન રેન્જની પણ હશે. અહીં તમને જણાવી દઈએ કે, નેક્સાની સૌથી સસ્તી કાર ઈગ્નિસ છે, જેની કિંમત માત્ર 5.35 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

આ સાથે જ જાન્યુઆરીના આ મહિનામાં, મારુતિ તેની નેક્સા રેન્જના કેટલાક મોડલ્સ - ઈગ્નિસ, બલેનો અને સિયાઝ પર ડિસ્કાઉન્ટ ઑફર્સ આપી રહી છે. તેના 2022 (MY22) મોડલ અને MY23 મોડલ, બંને પર ઑફર્સ છે. જો કે, ગયા વર્ષના મોડલ પર વધુ ડિસ્કાઉન્ટ છે. જ્યારે MY23 મોડલ પર ઓછું ડિસ્કાઉન્ટ છે. MY22 મોડલ્સ પર રોકડ ડિસ્કાઉન્ટ ફક્ત 16 જાન્યુઆરી, 2023 સુધી જ માન્ય છે, જો કે, MY23 મોડલ્સ પર આખો મહિનો ઑફર્સ મળશે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.