કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ)

ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં સરકારો બનાવી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસનું પ્રભુત્વ ઝડપથી ઘટી રહ્યું છે. તમિલનાડુમાં 1967 પછી કોંગ્રેસે ક્યારેય સત્તા મેળવી નથી એટલે કે 58 વર્ષથી વિપક્ષમાં છે. દિલ્હીમાં શીલા દીક્ષિતની સરકાર 2013માં હારી ગઈ અને ત્યારથી એટલે 12 વર્ષથી કોંગ્રેસ સત્તા બહાર છે. 2025માં તો દિલ્હીમાં ભાજપે સત્તા કબજે કરી લીધી છે.

02

પશ્ચિમ બંગાળમાં 1977 પછી કોંગ્રેસે સરકાર બનાવી નથી એટલે 48 વર્ષથી વંચિત છે. બિહાર, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં 1990ના દાયકાથી કોંગ્રેસની સ્વતંત્ર સરકાર નથી લગભગ 35 વર્ષથી. ઝારખંડમાં જે 2000માં અલગ રાજ્ય બન્યું ત્યાં કોંગ્રેસે ક્યારેય એકલી સરકાર નથી બનાવી હંમેશા સહયોગી તરીકે જ રહી છે. ઓડિશામાં 2000 પછી બીજેડીનું વર્ચસ્વ છે કોંગ્રેસ ૨૫ વર્ષથી સત્તા બહાર છે. કેરળમાં પણ યુડીએફ (કોંગ્રેસ આગેવાનીવાળું) અને એલડીએફ વચ્ચે વારાફરતી સત્તા વહેચાયેલી છે પરંતુ છેલ્લા 11 વર્ષથી કોંગ્રેસ સત્તા બહાર છે.

આ આંકડા કોંગ્રેસની સતત નિષ્ફળતા દર્શાવે છે. ઘણા રાજ્યોમાં પ્રાદેશિક પાર્ટીઓએ કોંગ્રેસની જગ્યા લઈ લીધી છે. તમિલનાડુમાં ડીએમકે એઆઈએડીએમકે, બંગાળમાં તૃણમૂલ, ઓડિશામાં બીજેડી જેવી પાર્ટીઓએ સ્થાનિક મુદ્દાઓને વધુ સારી રીતે ઉઠાવ્યા છે. બિહાર યુપીમાં જાતિ આધારિત પાર્ટીઓ અને ભાજપે કોંગ્રેસને પછાડી છે.

કોંગ્રેસ નેતાઓ વારંવાર ચૂંટણી પંચ કે ઈવીએમ પર આરોપ લગાવે છે પરંતુ આ રાજ્યોમાં વર્ષોથી ચાલતી આવતી હાર સ્પષ્ટ કરે છે કે સમસ્યા બહારની નહીં આંતરિક છે. પાર્ટીમાં નેતૃત્વની ખોટ, પરિવારવાદ, વિચારધારાનો અભાવ અને જનતા સાથે સીધા સંપર્કની ઉણપ મુખ્ય કારણો છે. પ્રાદેશિક નેતાઓનું પક્ષપલટો અને યુવા વર્ગનો વિશ્વાસ ગુમાવવો પણ મોટું પડકાર છે.

03

કોંગ્રેસને ફરી ઊભી કરવી હોય તો ચૂંટણી પંચ પર નહીં પોતાની કાર્યપદ્ધતિ પર ગંભીર ચિંતન કરવું પડશે. નવી વિચારધારા, મજબૂત સ્થાનિક નેતૃત્વ અને જનતાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. નહીં તો આ પતન અટકશે નહીં અને કોંગ્રેસના કાર્યકર્તાઓ નિરાશ થઈને પક્ષપલટો અટવા નિષ્ક્રિયતાના વિકલ્પને પસંદ કરશે. જોવાનું રહ્યું આવના સમયમાં કોંગ્રેસ કઈ રીતે પોતાનું અસ્તિત્વ જાળવી રાખશે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Related Posts

Top News

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.