‘શમી અને સિરાજને મુસ્લિમ હોવાને કારણે તકો મળી રહી નથી...’, AIMIM અને SP નેતાઓના વિવાદાસ્પદ નિવેદન

મહારાષ્ટ્રના રાજકારણમાં ભારતીય ક્રિકેટ અંગે વિવાદાસ્પદ નિવેદનોનો દોર શરૂ થયો છે. વર્તમાન T20 વર્લ્ડ કપને લઈને રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. બોલર મોહમ્મદ શમી અને સિરાજને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા ન મળવા પર હવે રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. AIMIM અને સમાજવાદી પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, ‘મોહમ્મદ શમી અને સિરાજને મુસ્લિમ હોવાને કારણે ટીમમાં તકો આપવામાં આવી રહી નથી. આ દરમિયાન, શાસક પક્ષ અને કોંગ્રેસના નેતાઓએ આવા દાવાઓની ટીકા કરી છે. ચાલો જાણીએ શું છે આખો મામલો.

માલેગાંવના AIMIM ધારાસભ્ય મુફ્તી ઈસ્માઈલે પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે, ‘મુસ્લિમોને દરેક ક્ષેત્રમાં અવગણવામાં આવી રહ્યા છે, અને ટીમ ઈન્ડિયામાં પણ ખેલાડીઓને મુસ્લિમ હોવાને કારણે તકો આપવામાં આવી રહી નથી. તેમણે એમ પણ કહ્યું કે, દક્ષિણ આફ્રિકા સામેની હારનું આ એક કારણ હોઈ શકે છે.

mufti
jansatta.com

ત્યારબાદ, સમાજવાદી પાર્ટી મહારાષ્ટ્ર અને મુંબઈના અધ્યક્ષ અબુ આઝમીએ પણ આ મુદ્દા પર વાત કરી. તેમણે આરોપ લગાવ્યો કે, ‘ભાજપના શાસનમાં, ઘણા ક્ષેત્રોમાં મુસ્લિમો સાથે ભેદભાવ થઈ રહ્યો છે, અને જો ક્રિકેટમાં પણ આવું થઈ રહ્યું છે, તો તે એક ગંભીર બાબત છે. બની શકે મુસ્લિમ હોવાને કારણે સિરાજ અને શમી ટીમમાંથી બહાર છે.

NCP (અજિત પવાર જૂથ)ના મુસ્લિમ ધારાસભ્ય અને લઘુમતી બાબતોના વિભાગના પ્રમુખ, ઇદરીસ નાયકવાડીએ આ આરોપોને રાજકીય ગણાવ્યા. તેમણે કહ્યું કે, ‘મોહમ્મદ અઝહરુદ્દીન અને મન્સૂર અલી ખાન પટૌડી જેવા ઘણા મુસ્લિમ ખેલાડીઓ અગાઉ ભારતીય ટીમનો ભાગ રહી ચૂક્યા છે અને કેપ્ટન પણ બન્યા છે છે. રમતમાં ધર્મ લાવવો ખોટું છે. કોંગ્રેસના નેતા અમીન પટેલે પણ કહ્યું કે, ખેલાડીઓની પસંદગી યોગ્યતા અને પ્રદર્શનના આધારે કરવામાં આવે છે. તેમણે આવા નિવેદનોને બેજવાબદાર ગણાવ્યા અને કહ્યું કે તેનાથી બચવું જોઈએ.

bharat gogawale
deccanherald.com

મહારાષ્ટ્ર સરકારના મંત્રી ભરત ગોગાવલેએ કહ્યું કે, ‘ભારતીય ટીમ માટે પસંદગી કુશળતા અને પરિસ્થિતિઓના આધારે થાય છે. હિન્દુ-મુસ્લિમ રાજકારણ કરવું એ સમાજમાં તિરાડ ઊભી કરવા જેવું છે, અને જેમણે નિવેદનો આપ્યા છે તેમણે માફી માંગવી જોઈએ. તો, યુવા સ્વાભિમાન પાર્ટીના નેતા અને ધારાસભ્ય રવિ રાણાએ કહ્યું કે, ઘણા મુસ્લિમોએ ભારતીય ટીમમાં અને દેશમાં ઉચ્ચ હોદ્દા પર સેવા આપી છે. એટલે, આ પ્રકારનું રાજકારણ ખોટું છે. આ પ્રકારના નિવેદનો આપનારા નેતાઓએ માફી માંગવી જોઈએ.

About The Author

Related Posts

Top News

CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી પ્રેમ પ્રકરણનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવક તેની પરિણીત પ્રેમિકાના ઘરે રાત્રે 2 વાગ્યે...
National 
CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ ઘટનામાં...
National 
આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને...
Business 
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. તાજેતરમાં, તે તેની નવી...
Sports 
હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.