‘મેં ક્યારેય કહ્યું નથી કે હું બીમાર છું એટલે રાજીનામું આપી રહ્યો છું’, ઉપરાષ્ટ્રપતિ પદ છોડ્યા બાદ પહેલી વખત બોલ્યા જગદીપ ધનખડ

ઉપરાષ્ટ્રપતિ પદ છોડ્યા બાદ જગદીપ ધનખડે મોટું નિવેદન આપ્યું છે.  જગદીપ ધનખડે ઓગસ્ટ 2022માં ઉપરાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું. તેમનો કાર્યકાળ 2027 સુધી હતો, પરંતુ તેમણે તે પહેલા જ અચાનક રાજીનામું આપી દીધું. તેમના રાજીનામાથી વિપક્ષે અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા.

શું બોલ્યા જગદીપ ધનખડ?

જગદીપ ધનખડે કહ્યું કે, ‘મેં ક્યારેય મારા સ્વાસ્થ્યની અવગણના કરી નથી. મેં જ્યારે કહ્યું હતું કે હું રાજીનામું આપી રહ્યો છું, ત્યારે મેં ક્યારેય કહ્યું નહીં કે હું બીમાર છું. મેં કહ્યું કે હું સ્વાસ્થ્યને એ મહત્ત્વ આપી રહ્યો છું, જે આપવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે.

dhankhar
facebook.com/jdhankhar51

જુલાઈ 2025માં આપ્યું હતું રાજીનામું

21 જુલાઈ, 2025ના રોજ, જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોનો ઉલ્લેખ કરતા ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેમણે ચોમાસુ સત્ર શરૂ થયાના એક દિવસ અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. ધનખડે અચાનક રાજીનામું આપ્યા બાદ રાજકીય વર્તુળોમાં વ્યાપક ચર્ચા શરૂ થઈ ગઈ હતી. વિરોધ પક્ષોએ પણ પ્રશ્નો ઉઠાવ્યા અને મામલો કંઈક અલગ હોવાનો દાવો કર્યો છે.

photo_2026-02-27_17-59-25

2022માં પદભાર સંભાળ્યો હતો

ધનખડે ઓગસ્ટ 2022માં ઉપરાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું. તેમનો કાર્યકાળ 2027માં પૂરો થવાનો હતો, પરંતુ આ અગાઉ જ તેમણે અચાનક રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામા અંગે પણ પ્રશ્નો ઉભા કર્યા હતા કારણ કે, 21 જુલાઈ, 2025ના રોજ રાજીનામાના બરાબર માત્ર 12 દિવસ પહેલા જ, તેમણે દિલ્હીની JNU યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ‘હું યોગ્ય સમયે નિવૃત્ત થઈ  જઈશ, 2027માં, જો ભગવાનની ઇચ્છા હશે તો..

dhankhar1
facebook.com/jdhankhar51

જગદીપ ધનખડ રાજસ્થાનના ઝૂંઝુનુ જિલ્લાના કિથાના ગામના વતની છે. તેમણે પ્રાથમિક શિક્ષણ ચિત્તોડગઢની આર્મી સ્કૂલમાંથી મેળવ્યું. ત્યારબાદ તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેઓ રાજસ્થાન હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકીલ હતા. તેમણે કોંગ્રેસ પાર્ટી સાથે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. પી.વી. નરસિંહ રાવ સરકારમાં સંસદ સભ્ય તરીકે સેવા આપી. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા, ચંદ્રશેખર સરકારમાં કેન્દ્રીય મંત્રી બન્યા. 2019માં તેમને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 2022માં તેઓ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.

About The Author

Related Posts

Top News

ગ્રીન કાર્ડ પર યુ-ટર્ન? અમેરિકાએ સ્પષ્ટતા કરી, 'વતન પરત ફરવાનો' નિયમ બધા માટે નથી

US ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) એ તાજેતરના ઇમિગ્રેશન નિર્દેશ અંગે ફેલાયેલી ચિંતાઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે. વિભાગે...
National 
ગ્રીન કાર્ડ પર યુ-ટર્ન? અમેરિકાએ સ્પષ્ટતા કરી, 'વતન પરત ફરવાનો' નિયમ બધા માટે નથી

મહિલા પ્રોફેસરે મકાન વેચવાની ના પાડતા ભાડૂઆત દંપતીએ 1400 કિમી દૂર જઈ તેમનું કાસળ કાઢી નાખ્યું

દિલ્હી પોલીસે રવિવારે પશ્ચિમ બંગાળના એક દંપતીની દિલ્હી યુનિવર્સિટી (DU) ના 49 વર્ષીય મહિલા પ્રોફેસર દેબોસ્મિતા પોલની હત્યાના આરોપમાં...
National 
મહિલા પ્રોફેસરે મકાન વેચવાની ના પાડતા ભાડૂઆત દંપતીએ 1400 કિમી દૂર જઈ તેમનું કાસળ કાઢી નાખ્યું

ચેન્જિંગ રૂમમાં એક હોલ, દુકાનદારે આઇફોનથી વીડિયો બનાવ્યો..., ફોનમાં ઘણી મહિલાઓની ક્લિપ્સ મળી

રાજસ્થાનના ઝુંઝુનુંના ચિડાવા શહેરમાં એક શરમજનક ઘટના બહાર આવી છે, જેણે સમગ્ર બજાર અને સ્થાનિક રહેવાસીઓને હચમચાવી દીધા. આ...
National 
ચેન્જિંગ રૂમમાં એક હોલ, દુકાનદારે આઇફોનથી વીડિયો બનાવ્યો..., ફોનમાં ઘણી મહિલાઓની ક્લિપ્સ મળી

'હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ એક રમત રમાઈ ગઈ...' અશોક ગેહલોતે ઘટસ્ફોટ કર્યો!

રાજસ્થાનના ભૂતપૂર્વ CM અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે ફરી એકવાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના સમયનો જૂનો મુદ્દો ઉઠાવ્યો છે....
National 
'હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ એક રમત રમાઈ ગઈ...' અશોક ગેહલોતે ઘટસ્ફોટ કર્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.