ભારતમાં ઘી-દૂધની નદીઓ વહેતી હતી, આ છે પુરાવો

ભારત દેશ બાબતે વાત થાય ત્યારે તેની પ્રાચીન સંસ્કૃતિની વાત પણ થાય. ત્યારે એવું કહેવાય છે કે ભારત આજે ગરીબ ભલે હોય પરંતુ એક એવો સમય હતો જ્યારે અહીં ધી-દૂધની નદીએ વહેતી હતી. આ સાયું હોવાની પૂરેપૂરી શક્યતા છે કારણ કે ગુજરાતના એક ગામમાં જે પરંપરા છે જે બતાવે છે કે ઘીની નદીં શું હોય. 

ગુજરાતના ગાંધીનગરથી 13 કિ,મી દુર આવેલા રૂપાલ ગામમાં નવરાત્રિના નવમા દિવસે એટલે કે નોમના દિવસે રાત્રે 12 વાગ્યે વરદાયિના માતાની પલ્લી યાત્રા કાઢવામાં આવે છે અને આ યાત્રામાં  ચોખ્ખા ઘીની નદીઓ વહે છે. આ પરંપરા 5,000 વર્ષથી ચાલતી આવી છે. રૂપાલ ગામના 27 ચોકમાં પલ્લી યાત્રા ફરે અને દરેક ચોક પર ધી ઢોળવામાં આવે.

એક અંદાજ મુજબ માત્ર એક જ દિવસમાં લાખો લીટર ઘીનો ઉપયોગ થાય છે અને ગામના આખા રસ્તાઓ પર તમને ઘી વહેતું જોવા મળે. એક એવી લોકવાયકા છે કે પાંડવો જ્યારે વનવાસ ભોગવતા હતા ત્યારે રૂષીના કહેવાથી માતા વરદાયિનાના શરણે ગયા હતા અને માતાએ પાંડવોને યુદ્ધ જીતવાના આર્શીવાદ આપ્યા હતા. યુદ્ધ જીત્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ, પાંડવો અને દ્રોપદી રૂપાલ ગામ આવ્યા હતા અને તેમણે સોનાની પલ્લી બનાવીને આખા ગામમાં યાત્રા કાઢી હતી. ત્યારથી આ પરંપરા ચાલે છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.