બસપા અને ભાજપનો મેળ થઇ ગયો અને યુપીમાં મોટો ખેલ થઇ ગયો- ઓમ પ્રકાશ રાજભર

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 6 બેઠકો પર જીત મેળવનારી પાર્ટીએ આરોપ મુક્યો છે કે બસપાના ઉમેદવારોની યાદી ભાજપ ઓફિસમાં નક્કી થઇ હતી. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા)ના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભરે યુપી વિધાનસભામાં ચૂંટણી હાર્યા પછી આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે પૂર્વાંચલની 122 સીટ પર બસપાના ઉમેદવાર ભાજપે નક્કી કર્યા હતા જયારે તેમને પ્રતિક બસપાની ઓફિસમાં આપવામાં આવ્યા. રાજભરે દાવો કર્યો કે તેમની પાસે પુરાવા પણ છે.

ઓમ પ્રકાશ રાજભરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભલે બસપા હોય કે કોંગ્રેસ, 4 વખત સત્તામાં રહી ચૂકેલી પાર્ટીઓએ ભાજપને સમર્થન આપ્યું તેમના મત કયાં ગયા? તેમણે કહ્યું કે અમે વિધાનસભા વાઇસ રિવ્યૂ કરવાનો નિર્ણય કર્યો છે. એ રિપોર્ટમાં જે ખામી જણાશે તેને સુધારવાની અમે કોશિશ કરીશું. તેમણે કહ્યું કે, બસપા અને ભાજપનો મેળ થઇ ગયો અને યુપીમાં મોટો ખેલ થઇ ગયો.

તાજેતરની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ગઠબંધન સાથે ચૂંટણી લડનારી સુભાસપાને માત્ર 6 બેઠકો પર જીત મળી હતી. સુભાસપાએ 18 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા.

ઓમ પ્રકાશ રાજભર આ પહેલાં પણ અનેક વખત વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. ચૂંટણી પહેલાં તેમણે નિઃસહાય પશુઓના મુદ્દા પર કહ્યું હતું કે ભાજપવાળા દેખાઇ તો તેમને સાંઢ સાથે બાંધી દેજો. ઉપરાંત તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે યોગી આદિત્યનાથ તેમની હત્યા કરાવવા માંગે છે.

સુભાસપાના આ નેતાએ પોતાના ચૂંટણી પ્રચારમાં વાયદો કર્યો હતો કે જો ઉત્તર પ્રદેશમાં તેમની સરકાર બનશે તો ત્રણ સવારી પર પોલીસ રસીદ નહીં ફાડશે. આના માટે તેમણે એવું લોજીક આપ્યું હતુ કે ટ્રેનમાં 70ની બેઠક પર 300થી વધારે મુસાફરો પ્રવાસ કરવા છતા તેમની સામે રસીદ નથી ફાટતી તો બાઇક પર 3 સવારી પર દંડ શું કામ ભરવો જોઇએ.

ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપ બહુમત સાથે જીતી ગઇ છે અને હવે થોડા દિવસોમા સત્તારૂઢ પણ થઇ જશે. ચૂંટણી હાર્યા પછી હવે કોઇ પણ આરોપ મુકવામાં આવે તો તેનો કોઇ મતલબ નથી. સમાજવાદી પાર્ટીની ધારાસભ્ય ઉમેદવાર રચના સિંહે પણ EVM સાથે ચેડાં થયા હોવાનો આરોપ મુક્યો હતો.

Related Posts

Top News

ન તાળું તૂટ્યું, ન દરવાજો.. છતા SBI બેન્કમાંથી 2 કરોડના ઘરેણા અને 8 લાખ રોકડ કેવી રીતે સાફ કરી ગયા ચોર?

મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના મહાનંદા નગર વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં ચોરીની એક મોટી ઘટના...
National 
ન તાળું તૂટ્યું, ન દરવાજો.. છતા SBI બેન્કમાંથી 2 કરોડના ઘરેણા અને 8 લાખ રોકડ કેવી રીતે સાફ કરી ગયા ચોર?

શું છે હૈદરાબાદ ગેઝેટ, જેની માંગ સરકારે માની તો મનોજ જરાંગેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી

મહારાષ્ટ્ર સરકારે મરાઠા અનામત આંદોલનકારી મનોજ જરાંગે પાટીલની માગણીઓ સ્વીકાર્યા બાદ, જરાંગે પાટીલે પોતાની 5 દિવસની ભૂખ હડતાળ સમાપ્ત...
National 
શું છે હૈદરાબાદ ગેઝેટ, જેની માંગ સરકારે માની તો મનોજ જરાંગેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી

અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે નવા ટેરિફની યોજના બનાવી રહ્યા છે, તેઓ દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લાદવાની...
Business 
અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

લખનૌ હાઈકોર્ટની બેન્ચે એક મહત્વપૂર્ણ કૌટુંબિક વિવાદ કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે જો પત્ની પોતે...
National 
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

Opinion

PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે? PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.