UPમા યોગીની જીતથી પાકિસ્તાનને મરચા લાગ્યા, કહ્યું- હવે સ્થિતિ વધુ ખરાબ થશે

યુપીની વિધાનસભાની ચૂંટણીના પરિણામો હવે સ્પષ્ટ થઈ રહ્યા, આ વખતે પણ ઉત્તર પ્રદેશમાં BJP ભારે મતોથી બહુમતી સાથે સરકાર બનાવે છે. CM યોગી આદિત્યનાથ ફરી એક વાર પાંચ વર્ષ સુધી સત્તા ભોગવવાના છે. UPની ચૂંટણીના પરિણામની અસર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. સાથે સાથે પાકિસ્તાનમાં પણ આની અસર જોઈ શકાઇ છે.

ચૂંટણીના પરિણામોના તારણમાં UPમાં યોગી આદિત્ય ફરી સત્તા પર આવતા પાકિસ્તાનથી પણ ઘણી પ્રતfક્રિયાઓ આવી રહી છે. પાકિસ્તાનના રાજકિય વિશ્લેષણ મુશરફ જૈદીએ કહ્યું છે કે, UPમાં યોગી આદિત્યનાથ ફરી ચૂંટાવવાથી હવે એ વાત નક્કી છે કે, ભારતની દિશા હવે બદલાવાની નથી.

તેમણે તેમના ટ્વીટર એકાઉન્ટથી કરેલી ટ્વીટમાં લખ્યું છે કે, UPમાં યોગી આદિત્યનાથની જીતથી એક વાત નક્કી છે કે, ભારત હવે તેમનો હિન્દુત્વવાદીનો રસ્તો બદલવાનું નથી. આગામી દિવસોમાં સ્થિતિ વધારે ખરાબ થશે. ઘણાં લોકો આ વિશે પહેલેથી ચેતવણી આપી રહ્યા છે. પાકિસ્તાને 2019 પછીના ભારતની સરખામણીએ વધુ દુસાહસી ભારત સાથે લડવા માટે તૈયાર રહેવું જોઈએ.

ત્યારે વકાસ એહમદ નામના એક યુઝરે લખ્યું છે કે, વધુ એક સમસ્યા છે. જો જાતિવાદ વધશે તો તે દક્ષિણ એશિયાના બાકીના ભાગોમાં ફેલાશે. અમે તાજેતરમાં જ જોયુ છે કે, કેવી રીતે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર કેસ ચાલ્યો હતો. આ બધી જગ્યાએ ફેલાઈ જશે અને નાની વસ્તીવાળા દેશોને તેનો ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડશે.

હમ નામના પાકિસ્તાનના એક ટ્વીટર એકાઉન્ટ પર જાહેરાત કરવામાં આવી છે કે, ફાસીવાદનું જીવન વધારે સમય સુધી નથી હોતું. શાવૈજ ખાન નામના એક યુઝરે લખ્યું છે કે, એ ખૂબ સ્પષ્ટ થઈ ગયું છે કે, મોહમ્મદ અલી ઝીના એક દૂરદર્શી નેતા હતા. તેઓ આ બધુ જોઈ શકતા હતા. અલ્લાહનો આભાર કે અમારી પાસે પાકિસ્તાન છે અને અમારે આ લોકોના શાસનમાં નથી રહેવું પડતું.

Fitado નામના પાકિસ્તાની ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે, UPની ચૂંટણીમાં ભાજપની જોરદાર જીત પછી મુસ્લીમોના  વિરોધી યોગી આદિત્યનાથે PM મોદીના સંભવિત ઉત્તરાધિકારી તરીકે તેમની સ્થિતિ મજબૂત કરી લીધી છે.

Top News

ગજબ... ગ્રામ પંચાયતે 50 રૂપિયાની એક ઈંટ ખરીદી, 2500 ઈંટોનું બિલ 1.25 લાખ

મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લાની ગ્રામ પંચાયતો આજકાલ ખૂબ ચર્ચામાં છે. ક્યારેક ફળો અને ડ્રાઈ ફ્રૂટના નામે લાખોના બિલ બનાવવામાં આવે...
National 
ગજબ... ગ્રામ પંચાયતે 50 રૂપિયાની એક ઈંટ ખરીદી, 2500 ઈંટોનું બિલ 1.25 લાખ

ટ્રી ગણેશા અને વિરલ દેસાઈને આંતરરાષ્ટ્રીય ઓળખ, એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

પર્યાવરણ જાગૃતિના અનોખા અભિયાન ‘ટ્રી ગણેશા’એ આંતરરાષ્ટ્રીય સ્તરે નવો ઈતિહાસ રચ્યો છે. પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈ દ્વારા પાછલા 8 વર્ષથી ઉજવાતો...
Gujarat 
ટ્રી ગણેશા અને વિરલ દેસાઈને આંતરરાષ્ટ્રીય ઓળખ, એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

ન તાળું તૂટ્યું, ન દરવાજો.. છતા SBI બેન્કમાંથી 2 કરોડના ઘરેણા અને 8 લાખ રોકડ કેવી રીતે સાફ કરી ગયા ચોર?

મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના મહાનંદા નગર વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં ચોરીની એક મોટી ઘટના...
National 
ન તાળું તૂટ્યું, ન દરવાજો.. છતા SBI બેન્કમાંથી 2 કરોડના ઘરેણા અને 8 લાખ રોકડ કેવી રીતે સાફ કરી ગયા ચોર?

શું છે હૈદરાબાદ ગેઝેટ, જેની માંગ સરકારે માની તો મનોજ જરાંગેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી

મહારાષ્ટ્ર સરકારે મરાઠા અનામત આંદોલનકારી મનોજ જરાંગે પાટીલની માગણીઓ સ્વીકાર્યા બાદ, જરાંગે પાટીલે પોતાની 5 દિવસની ભૂખ હડતાળ સમાપ્ત...
National 
શું છે હૈદરાબાદ ગેઝેટ, જેની માંગ સરકારે માની તો મનોજ જરાંગેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી

Opinion

PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે? PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.