20 વર્ષથી કુંભ મેળા દરમિયાન જ શેરબજાર ડૂબકી લગાવે છે! આજે 14 લાખ કરોડ ડૂબ્યા

On

મહાકુંભ 2025 આજથી શરૂ થઈ ગયો છે. પ્રયાગરાજમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે લાખો શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. એક તરફ કુંભમાં ધર્મ અને શ્રદ્ધાનું સ્નાન ચાલી રહ્યું છે, તો બીજી તરફ શેરબજાર પણ ડૂબકી લગાવી રહ્યું છે. આજે, સેન્સેક્સે 1048 પોઈન્ટનો ઘટાડો નોંધાવ્યો છે, અને ઘટાડાના સતત 20 વર્ષના ઇતિહાસને જાળવી રાખ્યો છે.

આજે તેને સંજોગ કહો કે ઇતિહાસ, પરંતુ એવું જોવા મળ્યું છે કે, કુંભ દરમિયાન શેરબજારમાં પણ ડૂબકી લગાવતું હોય છે. આ ફક્ત એમ જ નથી કહેવાય રહ્યું. છેલ્લા 20 વર્ષના ડેટાના આધારે એવું જોવા મળ્યું છે કે કુંભ મેળા દરમિયાન સેન્સેક્સની સ્થિતિ બગાડી જતી હોય છે. જો આજની વાત કરીએ તો કુંભ શરૂ થઈ ગયો છે અને બીજી તરફ સેન્સેક્સ હજાર પોઈન્ટથી નીચે આવી ગયો છે. થોડા જ સમયમાં રોકાણકારોએ 14 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા. સોમવારે, સેન્સેક્સ 1048.90 પોઈન્ટ અથવા -1.36 ટકા ઘટીને 76,330.01 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 પણ 345.55 પોઈન્ટ અથવા -1.47 ટકા ઘટીને 23,085.95 પર બંધ થયો હતો.

મહા કુંભ મેળા દરમિયાન શેરબજારના આવા વર્તન પર સેમકો સિક્યોરિટીઝે એક રસપ્રદ ઉદાહરણ રજૂ કર્યું છે. સેમ્કો સિક્યોરિટીઝના માર્કેટ પર્સ્પેક્ટિવ્સ અને રિસર્ચના વડા અપૂર્વ શેઠે છેલ્લા 20 વર્ષમાં કુંભ દરમિયાન બજારના પ્રદર્શનનું વિશ્લેષણ કર્યું. રિપોર્ટ અનુસાર, 20 વર્ષમાં છ વખત કુંભ દરમિયાન શેરબજારમાં નકારાત્મક વલણ જોવા મળ્યું છે.

SAMCO સિક્યોરિટીઝના અહેવાલ મુજબ, 5 એપ્રિલ 2004થી 4 મે 2005 દરમિયાન ઉજ્જૈનમાં યોજાયેલા કુંભ મેળા દરમિયાન, સેન્સેક્સનું વળતર -3.3 ટકા હતું.

14 જાન્યુઆરી, 2010થી 28 એપ્રિલ, 2010 દરમિયાન હરિદ્વારમાં યોજાયેલા કુંભ મેળા દરમિયાન સેન્સેક્સનું વળતર -1.2 ટકા હતું.

14 જાન્યુઆરી, 2013થી 11 માર્ચ, 2013 દરમિયાન પ્રયાગરાજ ખાતે યોજાયેલા કુંભ મેળા દરમિયાન, સેન્સેક્સનું વળતર -1.3 ટકા હતું.

14 જુલાઈ, 2015થી 28 સપ્ટેમ્બર, 2015 સુધીના નાસિક કુંભ મેળા દરમિયાન, સેન્સેક્સનું વળતર -8.3 ટકા હતું.

22 એપ્રિલ, 2016થી 23 મે, 2016 સુધીના ઉજ્જૈન કુંભ મેળા દરમિયાન, સેન્સેક્સનું વળતર -2.4 ટકા હતું.

01 એપ્રિલ 2021થી 19 એપ્રિલ 2021 સુધી, પ્રયાગરાજ કુંભ મેળા દરમિયાન, સેન્સેક્સનું વળતર -4.2 ટકા હતું.

આ આંકડા દર્શાવે છે કે, કુંભ દરમિયાન રોકાણકારો સાવધાની સાથે બજારમાં રોકાણ કરે છે. સેન્સેક્સનું નકારાત્મક વળતર શેરબજારમાં ઘટાડો દર્શાવે છે. એટલે કે, છેલ્લા 20 વર્ષના ડેટા દર્શાવે છે કે, કુંભ મેળા દરમિયાન, એવો કોઈ પ્રસંગ નહોતો જ્યારે સેન્સેક્સે સકારાત્મક વળતર દર્શાવ્યું હોય. આ ઘટાડા પાછળ ઘણા કારણો હોઈ શકે છે; મોટાભાગના નિષ્ણાતો માને છે કે, તે રોકાણકારોની સાવધાનીનું કારણ છે. આ સમય દરમિયાન લોકો સાવધાનીપૂર્વક રોકાણ કરે છે. જ્યારે, ઘણા લોકો ઝડપી નફો મેળવવા માટે વેચાણનો આશરો લે છે. ઘણા નિષ્ણાતો એવું પણ માને છે કે, કુંભ દરમિયાન, જ્યારે લાખો લોકો તીર્થયાત્રા કરી રહ્યા હોય છે, ત્યારે ઉપભોગની પદ્ધતિમાં કામચલાઉ ફેરફાર થાય છે. કેટલાક ક્ષેત્રોમાં આર્થિક પ્રવૃત્તિમાં ઘટાડો થાય છે. સેમ્કોએ જણાવ્યું હતું કે, આવી ઘટનાઓ નવીનતા અને એકલતામાં ઊંડા મૂળ ધરાવે છે, જે અજાણતાં રોકાણકારોના વર્તનને પ્રભાવિત કરી શકે છે, જેનાથી જોખમ-વિરોધક ભાવના પેદા થઈ શકે છે. જેની અસર બજાર પર દેખાતી હોય છે.

Related Posts

Top News

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે રેલવેમાં ભરતીને લઈને ભ્રામક નિવેદનો ન આપવા...
National  Politics 
છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.