RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. RBIએ કહ્યું છે કે, બેન્ક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) સીરિઝમાં 20 રૂપિયાની નોટ જાહેર કરશે, જેના પર ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. આ નોટોની ડિઝાઇન બધી રીતે મહાત્મા ગાંધી (નવી) સીરિઝની 20 રૂપિયાની બેન્ક નોટો જેવી જ છે. રિઝર્વ બેન્ક દ્વારા ભૂતકાળમાં જાહેર કરાયેલી 20 રૂપિયાની તમામ નોટો કાયદેસર મુદ્રા બનેલી રહેશે.

RBI1
knnindia.co.in

 

RBIએ એક સૂચના જાહેર કરી છે, જેમાં કહેવામા આવ્યું છે ભારતીય રિઝર્વ બેન્ક ટૂંક સમયમાં ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી) સીરિઝમાં 20 રૂપિયાની નોટ જાહેર કરશે. આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધી (નવી) સીરિઝની 20 રૂપિયાની નોટ જેવી જ છે. તેનો મતલબ છે કે નવી નોટો, દેખાવમાં જૂની નોટ જેવી જ હશે અને જૂની નોટો ચલણમાં યથાવત રહેશે.

RBIએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે, આ અગાઉ જાહેર કરાયેલી 20 રૂપિયાની તમામ નોટો લેવડ-દેવડ માટે માન્ય રહેશે, જેમ હતી. પછી તેના પર કોઈ પણ ગવર્નરના હસ્તાક્ષર હોય. નવા ગવર્નરના હસ્તાક્ષરવાળી નવી નોટો જાહેર કરવી એક સામાન્ય પ્રક્રિયા છે, જે RBIના ટોચના નેતૃત્વમાં કોઈપણ બદલાવ બાદ થાય છે અને આ બદલાવથી અને નવી નોટો જાહેર કરવાથી જૂની નોટોની ઉપયોગિતા અથવા મૂલ્ય પર કોઈ અસર નહીં પડે.

Notes
collectorbazar.com

તમને જણાવી દઈએ કે, ભારતીય રિઝર્વ બેન્ક, સમય-સમય પર નોટોમાં બદલાવ કરતી રહે છે. આ બદલાવ સુરક્ષા કારણોસર અને નોટોને બેટર બનાવવા માટે કરવામાં આવે છે, પરંતુ જૂની નોટો હંમેશાં માન્ય રહે છે. એટલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. તમારી પાસે રાખેલી 20 રૂપિયાની નોટ, એવી જ રીતે લેવડ-દેવડમાં ઉપયોગ થશે, જેમ તમે કરતા આવ્યા છો.

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.