'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ અરજી સાવરકર પરની તેમની ટિપ્પણી સંબંધિત માનહાનિના કેસમાં દાખલ કરવામાં આવી છે. મહાત્મા ગાંધીની હત્યાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ઇતિહાસને ફરીથી પુનરાવર્તિત ન થવા દેવો જોઈએ.

Rahul Gandhi
inkhabar.com

રાહુલ ગાંધીએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે, તેમણે તાજેતરમાં જે રાજકીય મુદ્દાઓ ઉઠાવ્યા છે અને અગાઉ તેમણે સાવરકર પર જે ટિપ્પણીઓ કરી હતી તેનાથી તેમની સુરક્ષા માટે ખતરો વધ્યો છે. આ કેસમાં ફરિયાદી નાથુરામ ગોડસેનો સીધો વંશજ છે. ફરિયાદીના પરિવારનો હિંસા અને ગેરબંધારણીય પ્રવૃત્તિઓનો દસ્તાવેજીકૃત ઇતિહાસ છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, તે સ્પષ્ટ, તાર્કિક અને નક્કર આશંકા છે કે, મને નુકસાન પહોંચાડવામાં આવી શકે છે, ખોટા કેસોમાં ફસાવી શકાય છે અથવા અન્ય રીતે નિશાન બનાવવામાં આવી શકે છે. ફરિયાદીના પરિવારનો હિંસાથી જોડાયેલો ઇતિહાસ છે. ઇતિહાસને ફરીથી ન થવા દેવો જોઈએ. અહીં તેમણે મહાત્મા ગાંધીની હત્યાના સંદર્ભમાં આ નિવેદન આપ્યું હતું.

Rahul Gandhi
firstindianews.com

રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, 'મત ચોરી'ના આરોપોએ તેમના રાજકીય વિરોધીઓને ગુસ્સે કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, તેમને BJP તરફથી બે જાહેર ધમકીઓ મળી છે. આમાં કેન્દ્રીય મંત્રી રવિનીત સિંહ બિટ્ટુએ તેમને 'દેશનો નંબર વન આતંકવાદી' કહ્યા હતા. જ્યારે, BJPના નેતા તરવિંદર સિંહ મારવાહે પણ ધમકી આપી હતી.

રાહુલ ગાંધીએ કોર્ટને વિનંતી કરી હતી કે, તેઓ તેમની સુરક્ષા માટે આ ધમકીઓને ગંભીરતાથી લે, કારણ કે તેમના જીવ માટેનો ખતરો વાસ્તવિક અને ગંભીર છે.

Rahul Gandhi
chetnamanch.com

જ્યારે, સાવરકરના પૌત્ર સત્યકી સાવરકરે કહ્યું કે, આ અરજી ઘણા સમય પહેલા દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેમના (રાહુલ) દ્વારા આ મામલામાં જાણી જોઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીનું આ પગલું સંપૂર્ણપણે અપ્રસ્તુત છે. કોર્ટે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, કેસની સુનાવણી માટે રાહુલ ગાંધીની વ્યક્તિગત હાજરી જરૂરી નથી, તેમ છતાં તેઓ કાર્યવાહીમાં વિલંબ કરી રહ્યા છે. તેમની અરજી કોઈપણ રીતે આ કેસ સાથે જોડાયેલી નથી અને તેનું કોઈ વાજબીપણું નથી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.