- Politics
- ગૃહમંત્રી અમિત શાહનો આવો ગુસ્સો તો તમે પણ નહીં જોયો હોય, રાહુલને કહ્યું- તમારા હિસાબે નહીં ચાલે
ગૃહમંત્રી અમિત શાહનો આવો ગુસ્સો તો તમે પણ નહીં જોયો હોય, રાહુલને કહ્યું- તમારા હિસાબે નહીં ચાલે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે લોકસભામાં ચૂંટણી સુધારા પરની ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા. તેમણે પોતાના ભાષણની શરૂઆત કરતા કહ્યું કે ભાજપના લોકો ચૂંટણી સુધારા પરની ચર્ચાથી ભાગતા નથી. આ દરમિયાન ગૃહમંત્રીના નિવેદન પર વિપક્ષના નેતા રાહુલ ગાંધી પોતાની બેઠક પરથી ઊભા થયા અને અમિત શાહને "હું તમને ચેલેન્જ કરું છું" કહીને સંબોધ્યા. રાહુલ ગાંધીએ અમિત શાહને પડકાર આપતા કહ્યું કે, "હું તમને ચેલેન્જ કરું છું કે તમે મારી વોટ ચોરીની ત્રણેય પ્રેસ કોન્ફરન્સ પર ચર્ચા કરો."
આ પડકારનો જવાબ આપતા અમિત શાહે કડક વલણ અપનાવ્યું. તેમણે કહ્યું, "હું 30 વર્ષથી વિધાનસભા અને લોકસભામાંથી ચૂંટાઈને આવી રહ્યો છું. મને સંસદીય પ્રણાલીનો લાંબો અનુભવ છે. વિપક્ષના નેતા મહોદય કહે છે કે પહેલા તમે મારી વાતનો જવાબ આપો."

અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "હું સંભળાવવા માંગુ છું કે સંસદ તમારા હિસાબે નહીં ચાલે. મારા બોલવાનો ક્રમ હું નક્કી કરીશ, આ રીતે સંસદ નહીં ચાલે."
તેમણે રાહુલ ગાંધીને ધીરજ રાખવાની સલાહ આપી અને કહ્યું કે મારા જવાબ સાંભળવાની ધીરજ રાખવી જોઈએ. એક-એક વાતનો જવાબ આપવામાં આવશે, પરંતુ મારા ભાષણનો ક્રમ તેઓ નક્કી કરી શકે નહીં. હું નક્કી કરીશ કે કેવી રીતે જવાબ આપવો છે.
ગૃહમંત્રીએ ભારપૂર્વક કહ્યું, "મારા ભાષણનો ક્રમ હું નક્કી કરીશ, નેતા પ્રતિપક્ષ નહીં. હું તેમના ઉશ્કેરણીમાં નહીં આવું, હું મારા ભાષણનો ક્રમ નક્કી કરીશ." સોનિયા ગાંધી પરના નિવેદન અંગે તેમણે કહ્યું કે, "સોનિયાજી પરનો જવાબ તેમણે કોર્ટમાં આપવાનો છે, અહીં શા માટે આપી રહ્યા છે?"
https://twitter.com/_vivekthakur/status/1998738424593789345
અમિત શાહના આ જવાબ પર રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી કે, "આ ડરેલો, ગભરાયેલો રિસ્પોન્સ છે. સાચો રિસ્પોન્સ નથી."
ત્યારે અમિત શાહે કહ્યું કે, "હું તેમના કપાળ પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ જોઈ રહ્યો છું કે શું બોલીશ. તેમના ઉશ્કેરણીમાં નહીં આવું, પોતાના ક્રમથી બોલીશ."
કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે વચ્ચે પડતા કહ્યું કે સોનિયા ગાંધીએ તે ચૂંટણીમાં વોટ પણ આપ્યો ન હતો. તેમણે ભ્રામક નિવેદનો આપવા પર ગૃહમંત્રીને પડકાર ફેંકતા કહ્યું કે, "હું આને પડકારું છું કે શું તમે આ સાબિત કરી શકો છો."

અમિત શાહે વિપક્ષના પક્ષો દ્વારા ચૂંટણી પંચ પર કરાતા આક્ષેપોની ટીકા કરી. તેમણે કહ્યું કે, "અમારી અડધી જિંદગી વિપક્ષમાં ગઈ, અમે ક્યારેય ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યા નથી."
તેમણે કહ્યું કે એક નવી પેટર્ન ફેલાઈ છે: "મમતાજીએ આયોગ પર આરોપ લગાવ્યા, સ્ટાલિનજીએ લગાવ્યા, રાહુલ ગાંધી, ખડગેજીએ, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ, હેમંત સોરેન અને પછી ભગવંત માનજીએ લગાવ્યા. પહેલા આ પરંપરા ફક્ત કોંગ્રેસમાં હતી અને હવે આખા ઈન્ડી અલાયન્સમાં આવી ગઈ છે. જો મતદાર યાદી કરપ્ટ છે, તો તમે શપથ કેમ લીધા?"
ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, "અમે ભાજપવાળા, એનડીએવાળા ચર્ચાથી ક્યારેય ભાગતા નથી. અમે બધા મુદ્દાઓ પર ચર્ચા માટે તૈયાર છીએ. નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની જવાબદારી ચૂંટણી પંચ પર છે. મતદાર યાદી બનાવવાની અને સુધારા કરવાની જવાબદારી પણ ચૂંટણી પંચની છે."

