PM મોદી અને ગૃહમંત્રી શાહ: હૃદય જીતનાર મહારથી અને ચૂંટણીના ચાણક્ય

(ઉત્કર્ષ પટેલ)

ભારતીય રાજનીતિમાં જ્યારે વાત ચૂંટણી જીતવાની અને લોકોના હૃદય જીતવાની આવે ત્યારે બે નામ અજાયબી રીતે ચર્ચામાં રહે છે એ છે PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ. એક તરફ PM મોદી છે જેમની વાણી અને દીર્ઘદ્રષ્ટિથી કરોડો લોકોના હૃદયમાં વિશ્વાસ અને આશા આવે છે તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ છે જેમને "આધુનિક ચાણક્ય" કહેવામાં આવે છે જેઓ ચૂંટણીના યુદ્ધમાં એટલી ચોકસાઈથી રણનીતિ ઘડે છે કે વિપક્ષ પોતે તેમની જ રણનીતિ પર ચાલવા લાગે છે.

modi-amit-shah

PM મોદીની ખાસિયત છે લોકોના હૃદય જીતવાની. તેમની એક ઝલક, એક વાતચીત, એક વચન અને લોકો તેમની સાથે જોડાઈ જાય છે. "મન કી બાત"થી લઈને દેશના દરેક ખૂણે પહોંચતા વિકાસના કાર્યક્રમો સુધી PM મોદીએ દેખાડ્યું છે કે રાજનીતિ માત્ર સત્તા નથી પરંતુ લોકોના વિશ્વાસની પૂંજી છે. તેમના નેતૃત્વમાં ભારતે વિશ્વના મંચ પર નવી ઓળખ બનાવી છે અને દેશની અંદર ગરીબથી લઈને મધ્યમ વર્ગ સુધીના દરેક વર્ગને લાગે છે કે "આપણા વડાપ્રધાન આપણા માટે વિચારે છે."

modi-amit-shah3

ચૂંટણી જીતવી એ એક અલગ કળા છે અને તેના મહારથી છે ગૃહમંત્રી અમિત શાહ. તેઓ ભાજપની રણનીતિ માત્ર ઘડતા નથી પરંતુ વિપક્ષને પણ તે જ રણનીતિ પર ભેરવી દે છે. બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ તેનું તાજું ઉદાહરણ છે. આ ચૂંટણીમાં રાજ્યના બેરોજગારી જેવા મુદ્દાઓ મોટાભાગે ગાયબ થઈ ગયા. તેના બદલે ચૂંટણી રાષ્ટ્રીય નેતૃત્વ, વિકાસ અને એકતાના મુદ્દે લડાઈ ગઈ. ગૃહમંત્રી અમિત શાહની રણનીતિથી RJDની પરંપરાગત મુસ્લિમ યાદવ વોટબેંકની સીટો પર પણ ભાજપ અને NDAએ વિજય મેળવ્યો. પ્રશાંત કિશોરના "જન સુરાજ"નો ફુગ્ગો ફૂટી ગયો અને JDUનું કેન્દ્રમાં આગામી ચાર વર્ષનું સમર્થન પણ પાક્કું થઈ ગયું.

modi-amit-shah2

આ ચૂંટણીની સૌથી મોટી સિદ્ધિ એ છે કે ભારતમાં મુસ્લિમ વોટબેંકની રાજનીતિ કિનારે લાગી ગઈ. ગૃહમંત્રી અમિત શાહે સાબિત કર્યું કે ચૂંટણી જીતવા માટે જાતિધર્મના ગણિતની જરૂર નથી પરંતુ વિકાસ, રાષ્ટ્રવાદ અને સંગઠનની શક્તિ પૂરતી છે. તેમણે ભાજપના કાર્યકર્તાઓને ઘરઘર સુધી પહોંચાડ્યા સાથે બૂથ મેનેજમેન્ટને મજબૂત કર્યું અને વિપક્ષની દરેક ચાલને આગળથી જાણીને તેને નિષ્ફળ બનાવી.

PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહની આ જોડી એકબીજાને પૂરક છે. એક હૃદય જીતે છે બીજા મત જીતે છે. એક વિઝન આપે છે બીજા તેને અમલમાં મૂકે છે. બિહારની જીત માત્ર એક રાજ્યની ચૂંટણી નથી પરંતુ નવી રાજનીતિની શરૂઆત છે જ્યાં વિકાસ, એકતા અને રાષ્ટ્રીય ગૌરવ મુદ્દાઓ અગત્યના બની રહ્યા છે. આ જોડીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ભારતનું ભવિષ્ય માત્ર બે નામ પર ટકેલું છે PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Top News

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.