ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ 4 અને 5 માર્ચે કોલકાતા અને મુંબઈમાં યોજાવાની છે.

પહેલી સેમિફાઇનલ 4 માર્ચે ઇડન ગાર્ડન્સ ખાતે એડન માર્કરામની આગેવાની હેઠળ દક્ષિણ આફ્રિકા અને મિશેલ સેન્ટનરની આગેવાની હેઠળ ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. રિચાર્ડ ઇલિંગવર્થ અને એલેક્સ વ્હાર્ફ આ મેચમાં ઓન-ફિલ્ડ અમ્પાયર રહેશે.

Umpires-T20 World Cup Semi Finals
business-standard.com

સાઉથ આફ્રિકાએ સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવ્યું ત્યારે પણ ઇલિંગવર્થ ઓન-ફિલ્ડ અમ્પાયર હતા. નીતિન મેનન અને રોડ ટકરને ત્રીજા અને ચોથા અમ્પાયર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથ મેચ રેફરી તરીકે કામ કરશે.

જ્યારે આ મેચ ન્યૂઝીલેન્ડ માટે ખાસ રહેશે. કિવીઓએ T20 વર્લ્ડ કપમાં ક્યારેય દક્ષિણ આફ્રિકાને હરાવ્યું નથી. આ સિઝનમાં પણ તેમને ગ્રુપ સ્ટેજમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, માર્કરામની ટીમ અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં અજેય રહી છે. તેમણે ભારતને પણ હરાવ્યું, જેનાથી સેમિફાઇનલનો માર્ગ થોડા સમય માટે બદલાઈ ગયો હતો.

Umpires-T20 World Cup Semi Finals
ipl.com

બીજી સેમિફાઇનલ 5 માર્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ ભારત હેરી બ્રુકના નેતૃત્વ હેઠળ ઇંગ્લેન્ડનો સામનો કરશે. ક્રિસ ગેફની અને અલ્લાહુદ્દીન પાલેકર આ મેચમાં ઓન-ફિલ્ડ અમ્પાયર રહેશે.

ગેફની વેસ્ટ ઇન્ડીઝમાં રમાયેલી છેલ્લી ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં પણ ઓન-ફિલ્ડ અમ્પાયર હતા. પાલેકર આ ટુર્નામેન્ટમાં ઇંગ્લેન્ડની બે મેચ અને ભારત-નેધરલેન્ડ મેચમાં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે. એડ્રિયન હોલ્ડસ્ટોક થર્ડ અમ્પાયર, પોલ રીફેલ ચોથા અમ્પાયર અને એન્ડી પાયક્રોફ્ટ મેચ રેફરીની જવાબદારી સંભળાશે.

Umpires-T20 World Cup Semi Finals
espncricinfo.com

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આ સતત ત્રીજી T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ છે. 2022માં, ઈંગ્લેન્ડે એડિલેડમાં ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું, જ્યારે 2024ની સીઝનમાં, ભારતે જ્યોર્જટાઉનમાં 63 રનની જીત સાથે તેમની સાથે હિસાબ બરાબર કર્યો હતો. હવે, બંને ટીમો ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ફરી એકવાર મુંબઈમાં આમને-સામને થશે.

About The Author

Top News

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

હવે સરકાર ગધેડા ઉછેરવા માટે 50 લાખ રૂપિયા આપશે, જાણી લો તેનો લાભ કેવી રીતે લેવો

આ સાંભળીને તમને નવાઈ લાગી હશે, પણ આ વાત સાચી છે, જો તમે ગધેડા કે ઘોડા ઉછેરવાનું શરૂ...
Agriculture 
હવે સરકાર ગધેડા ઉછેરવા માટે 50 લાખ રૂપિયા આપશે, જાણી લો તેનો લાભ કેવી રીતે લેવો

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.