અમિત શાહે એક બાદ એક ગણાવ્યા 8 મુદ્દા, બોલ્યા- ‘આ કારણે હાર્યું વિપક્ષ’

લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. કેન્દ્રિય ગૃહ મંત્રીએ ચૂંટણીમાં વિપક્ષી પાર્ટીઓની સતત હારના કારણો પણ ગણાવ્યા હતા. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે હારની પરંપરા 2014 બાદ શરૂ થઈ. ચૂંટણી હાર બાદ તેમણે સૌથી પહેલા EVMને નિશાન બનાવ્યા.

ગૃહને સંબોધતા અમિત શાહે સવાલ કર્યો કે, હું પૂછવા માંગુ છું કે EVM કોણ લઈને આવ્યું? 15 માર્ચ 1989ના રોજ જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા, ત્યારે EVM દાખલ કરવા માટે કાયદાકીય સુધારો કરવામાં આવ્યો હતો. હવે, આ લોકો રાજીવ ગાંધીના EVM કાયદાનો વિરોધ કરી રહ્યા છે.

amit-shah4
deccanherald.com

ગૃહમંત્રીએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો, જ્યારે 2002માં 5 ન્યાયાધીશોની બેન્ચે EVMમાં કાયદાકીય સુધારાને સમર્થન આપ્યું હતું. ત્યારબાદ ચૂંટણી પંચે દિલ્હી, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં 16 વિધાનસભાઓમાં ટ્રાયલ હાથ ધર્યા. બધી ટ્રાયલ બાદ, 2004માં દેશભરમાં EVMનો ઉપયોગ કરીને ચૂંટણીઓ કરવવામાં આવી.

તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, ‘તમે કાયદો લાવ્યા અને ઘણી ચૂંટણીઓ જીતી. તમે 10વર્ષ સુધી આરામથી શાસન કર્યું અને 2014માં હાર્યા બાદ તમે રડો છો. તેમણે દાવો કર્યો કે, 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી કોંગ્રેસે ચૂંટણી પંચને ચૂંટણી સુધારા માટે કોઈ દરખાસ્ત રજૂ કરી નથી.

amit-shah2
livemint.com

ભાજપના નેતાએ કહ્યું કે, ‘અમે તેમની સામે લડતા આવી રહ્યા છીએ, અને તેઓ કહે છે કે અમે મત ચોરીથી જીત્યા છીએ. પરંતુ હું તમને કહી દઉં કે, તમે સર્જિકલ સ્ટ્રાઈકનો વિરોધ કર્યો, એર સ્ટ્રાઈકનો વિરોધ કર્યો, કલમ 370 રદ કરવાનો વિરોધ કર્યો, રામ મંદિર નિર્માણનો વિરોધ કર્યો,, ઘુસણખોરોને હટાવવાનો વિરોધ કર્યો, CAAનો વિરોધ કર્યો, તમે તીન તલાકનો વિરોધ કર્યો એટલે અમે જીત્યા છીએ.

ગૃહમંત્રીએ અંતમાં કહ્યું કે, ‘તમે એક રાષ્ટ્ર, એક ચૂંટણીનો વિરોધ કરી રહ્યા છો, એટલે અમે ફરીથી જીતવાના છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 કરોડ ગરીબ પરિવારોને રાશન, ગેસ, પાણી, શૌચાલય પૂરા પાડ્યા અને 5 લાખ રૂપિયા સુધીની દવાઓ મફતમાં આપી. શું તમને લાગે છે કે તેઓ મત ચોરીને જીત્યા છે?

About The Author

Related Posts

Top News

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 25-01-2026 વાર - રવિવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.