અમરાવતી મેયરની ચૂંટણીમાં AIMIM કોર્પોરેટરના સમર્થનથી જીતી BJP, હવે થઈ કાર્યવાહી

6 ફેબ્રુઆરીએ અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણી દરમિયાન એક મોટો અને અણધાર્યો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો હતો. AIMIM કોર્પોરેટર મીરા કાંબલેએ ભાજપના ઉમેદવાર શ્રીચંદ તેજવાનીની તરફેણમાં મતદાન કર્યું હતું. આ ઘટનાક્રમ અમરાવતીમાં બન્યો અને આ સમર્થનને કારણે શ્રીચંદ તેજવાની મેયર તરીકે ચૂંટાયા હતા. સામાન્ય રીતે ભાજપના વિરોધી માનવામાં આવતી AIMIMના આ વલણથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણીમાં એવા સમીકરણ જોવા મળ્યા, જેની કોઈએ આશા રાખી નહોતી. AIMIM કોર્પોરેટર મીરા કાંબલેએ છેલ્લી ઘડીએ ભાજપના ઉમેદવાર શ્રીચંદ તેજવાનીને સમર્થન આપીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ સમર્થનથી ભાજપને નિર્ણાયક લીડ મળી અને શ્રીચંદ તેજવાનીએ મેયર પદ મેળવ્યું હતું.

amravati-mayor1
x.com/Jansatta

AIMIMની કાર્યવાહી અને મીરા કાંબલેનું વલણ

આ ઘટના બાદ તરત જ, AIMIMએ કડક વલણ અપનાવ્યું અને મીરા કાંબલેને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. પાર્ટીએ કહ્યું કે આ નિર્ણય તેની વિચારધારા અને અનુશાસન વિરુદ્ધ છે. AIMIMએ કમિશનરને પત્ર લખીને તેમના કોર્પોરેટરનું પદ રદ કરવાની માંગણી કરી હતી. તો, મીરા કાંબલેનું કહેવું છે કે તેમણે વિકાસના એજન્ડાને પ્રાથમિકતા આપતા ભાજપના ઉમેદવાર શ્રીચંદ તેજવાનીને મત આપ્યો હતો. તેમનો તર્ક છે કે અમરાવતી શહેરના વિકાસ માટે આ નિર્ણય જરૂરી હતો.

amravati-mayor2
tv9hindi.com

મહાયુતિની સત્તા અને ભવિષ્યની સત્તા- ભાગીદારી ફોર્મ્યૂલા

મેયરની ચૂંટણીની સાથે-સાથે, ડેપ્યુટી મેયર પદ માટે પણ ચૂંટણીઓ થઈ હતી, જેમાં યુવા સ્વાભિમાન પાર્ટીના સચિન ભેંડે ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા હતા. મહાયુતિએ હવે અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા સ્થાપિત કરી દીધી છે. આ મહાયુતિમાં ભાજપ, શિવસેના શિંદે જૂથ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અજિત પવાર જૂથ અને યુવા સ્વાભિમાન પાર્ટીનો સમાવેશ થાય છે. નક્કી સત્તા-વહેંચણી ફોર્મ્યૂલા હેઠળ, શ્રીચંદ તેજવાની પહેલા 1.5 વર્ષ માટે મેયર રહેશે, ત્યારબાદ આગામી 1.5 વર્ષ માટે ભાજપના આશિષ અતકરે પણ મેયર પદ સાંભળશે. આ વ્યવસ્થા અમરાવતીના રાજકારણમાં સ્થિરતા લાવવા તરીકે જોવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

અમેરિકાની ટ્રેડ ડીલમાં ભારતનો સંપૂર્ણ નકશો... ટ્રમ્પે PoK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ ગણાવ્યા

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાની ટ્રેડ ડીલના ફ્રેમવર્કની જાહેરાત સાથે,બીજી એક ઘટનાએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્ર...
National 
અમેરિકાની ટ્રેડ ડીલમાં ભારતનો સંપૂર્ણ નકશો... ટ્રમ્પે PoK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ ગણાવ્યા

અમરાવતી મેયરની ચૂંટણીમાં AIMIM કોર્પોરેટરના સમર્થનથી જીતી BJP, હવે થઈ કાર્યવાહી

6 ફેબ્રુઆરીએ અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણી દરમિયાન એક મોટો અને અણધાર્યો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો હતો. AIMIM કોર્પોરેટર મીરા...
Politics 
અમરાવતી મેયરની ચૂંટણીમાં AIMIM કોર્પોરેટરના સમર્થનથી જીતી BJP, હવે થઈ કાર્યવાહી

હાઇ કોર્ટે કેમ કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં, કુખ્યાત અને માથાભારે છે

લોક સાહિત્યકાર દેવાયત ખવડે તેના પર નોંધાયેલ 307નો કેસ માંડવાળ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરી છે....
Gujarat 
હાઇ કોર્ટે કેમ કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં, કુખ્યાત અને માથાભારે છે

ચા, મસાલા, દવા, ઘરેણા... આ વસ્તુઓ પર 'શૂન્ય' ટેરિફ, જાણો ભારત-અમેરિકા વેપાર કરાર વિશે પિયુષ ગોયલે શું કહ્યું

ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારનું માળખું અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેના પર હસ્તાક્ષર...
Business 
ચા, મસાલા, દવા, ઘરેણા... આ વસ્તુઓ પર 'શૂન્ય' ટેરિફ, જાણો ભારત-અમેરિકા વેપાર કરાર વિશે પિયુષ ગોયલે શું કહ્યું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.