ભવાનીપુરમાં ભાજપનો ખેલ? 'ચક્રવ્યૂહ'માં ફસાયા મમતા બેનર્જી, આ ડેટા છે માથાનો દુઃખાવો?

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભવાનીપુર બેઠક મમતા બેનર્જી માટે અત્યાર સુધીની સૌથી મુશ્કેલ કસોટી સાબિત થઈ રહી છે. આ લડાઈ ફક્ત ભાજપના ઉમેદવાર અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુવેન્દુ અધિકારી સામે નથી; પરંતુ, તે મતદાર યાદીમાં મોટા ફેરફારો, વસ્તી વિષયક ફેરફારો અને મતદારોને કાઢી નાખવાના આંકડા સામે છે. ભવાનીપુર ઐતિહાસિક રીતે મમતા બેનર્જી માટે ગઢ રહ્યો છે. જો કે, આ બેઠક હવે રાજકીય અને વહીવટી ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ હોય તેવું લાગે છે. ભવાનીપુર દક્ષિણ કોલકાતાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ મતવિસ્તાર બંગાળી ભદ્રલોક મતદારો સાથે-સાથે બિન-બંગાળી વેપારી સમુદાયો જેમાં ગુજરાતીઓ, પંજાબીઓ અને હિન્દી ભાષીઓનો સમાવેશ થાય છે.

મમતા 2011થી આ મતવિસ્તારમાંથી સતત જીત મેળવી રહ્યા છે. 2021ની પેટાચૂંટણીમાં તેમણે ભાજપના પ્રિયંકા તિબ્રેવાલને 58,832 મતોના રેકોર્ડ માર્જિનથી હરાવ્યા. તે સમયે, મતદાન લગભગ 57 ટકા હતું, અને મમતાએ 85,263 મત મેળવ્યા હતા. જોકે, 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન પરિસ્થિતિ બદલાઈ ગઈ. ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાં, TMCની લીડ ઘટીને માત્ર 8,297 મતો થઈ ગઈ. ભાજપ આ મતવિસ્તારના આઠ વોર્ડમાંથી પાંચ વોર્ડમાં લીડ મેળવવામાં સફળ રહી હતી.

અગાઉ, ભવાનીપુરમાં આશરે 200,000 મતદારો હતા. સરેરાશ 60 ટકા મતદાન સાથે, આશરે 120,000 મત પડે છે. ભૂતકાળની ચૂંટણીઓના આંકડા અનુસાર, 45-50 ટકા મતદારોએ પરંપરાગત રીતે TMC વિરુદ્ધ મતદાન કર્યું છે. ભાજપ હવે આ બિન-બંગાળી મતદારો (જે મતદારોના આશરે 46 ટકા છે)ને ટારગેટ કરી રહી છે. આ મતદારો TMCની 'ઓનલી બંગાળી' છબીથી અલગ અનુભવે છે.

suvendu-adhikari2
livelaw.in

યુવા અને મોબાઇલ મતદારોની વધતી સંખ્યાએ પરંપરાગત મતદાન જૂથો પણ તોડ્યા છે. ભાજપની રણનીતિ ચૂંટણી ગણિત પર આધારિત છે. જો આ મતદારો એકત્ર થઈ જાય અને TMC સામે એકતરફી મતદાન કરે, તો ભવાનીપુરમાં કાંટાની ટક્કર થઈ શકે છે. શુવેન્દુ અધિકારી 2021માં નંદીગ્રામમાં મમતાને હરાવી ચૂક્યા છે; તેઓ હવે ભવાનીપુર માટે ભાજપના ઉમેદવાર છે. આ પ્રતીકાત્મક અને માનસિક બંને સ્તરે દબાણ લાવે છે.

આ બેઠક પર, 47,000 મતદારોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જો કે, વાસ્તવિક માથાનો દુઃખાવો મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) છે. જ્યારે ભવાનીપુરમાં SIR પ્રક્રિયા શરૂ થવા પર 206,295 મતદારો હતા. અંતિમ યાદીમાં લગભગ 47,000 નામો કાઢી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત 14,000 થી વધુ મતદારો 'અંડર એડજુડિકેશન'માં છે, તેમનું ચૂંટણી ભાવિ દસ્તાવેજ ચકાસણી પર ટકી રહ્યું છે.

આ આંકડો 2021માં મમતાના વિજય માર્જિન (જે 58,000 થી વધુ હતું)થી માત્ર 11,000 ઓછો છે. જો આમાંના મોટાભાગના લોકો TMCને ટેકો આપતા મતદારો હતા, તો પાર્ટીની સ્થિતિ નબળી પડી શકે છે. TMCએ આને લક્ષિત કાર્યવાહી તરીકે ગણાવી. મમતા બેનર્જીએ પણ એવા મતદારોને અપીલ કરી હતી જેમના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા, અને આ પગલાને ભાજપ દ્વારા ઘડવામાં આવેલું કાવતરું ગણાવ્યું હતું. તેનાથી વિપરીત, ભાજપ આને સ્વચ્છ મતદાર યાદી બનાવવાના અભિયાન તરીકે દર્શાવે છે. પાર્ટીના રાજ્ય મહાસચિવ, લોકેટ ચેટર્જીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ફક્ત સાચા મતદારો જ બંગાળનું ભવિષ્ય નક્કી કરશે. ભાજપ માને છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાએ ખોટા મતદારોને બહાર કાઢીને અસલી ગણિત સામે લાવી દીધું છે.

mamata1
indiatoday.in

મમતા બેનર્જી માટે આ ચૂંટણી હવે ફક્ત શુવેન્દુ અધિકારીને હરાવવા વિશે નથી. તેમનું અભિયાન ફિરહાદ હકીમ સંભાળી રહ્યા છે. મેસેજિંગ તેજ છે, અને પહોંચ વધુ સીધી છે. જો કે, વસ્તી વિષયક પરિવર્તન અને મતદાર યાદીમાં ફેરફાર બંને તેમના માટે નોંધપાત્ર પડકારો ઉભા કરે છે. મુસ્લિમ બહુમતી ધરાવતા વોર્ડ 77 અને 82માં TMC અત્યારે પણ મજબૂત છે, પરંતુ ભવાનીપુરના મધ્યમાં લોકો ભાજપ તરફ ઝુકાવ ધરાવતા હોય તેવું લાગે છે. શુવેન્દુ અધિકારીએ પહેલાથી જ દાવો કર્યો છે કે, SIR બાદ તેઓ ભવાનીપુરમાં મમતાને 20 હજાર મતોના માર્જિનથી હરાવશે. અમિત શાહની હાજરીમાં નામાંકન દાખલ કરતી વખતે ભાજપે ભવાનીપુરમાં રોડ શો કર્યો, જે TMCના ગઢના સીધો સંદેશ હતો.

આગળ શું છે?

ભવાનીપુર હવે માત્ર એક જ બેઠક નહીં, સમગ્ર બંગાળના રાજકારણ માટે લિટમસ ટેસ્ટ કેસ બની ગઈ છે. જો ભાજપ અહીં સારું પ્રદર્શન કરે છે, તો તે TMCની અજેય છબીને મોટો ઝટકો આપશે. તો જો મમતા મોટા માર્જિનથી જીતે છે તો તે સાબિત કરશે કે તેમનો જન આધાર અત્યારે પણ મજબૂત છે. મતદાર યાદીમાં નામ કાઢી નાખવા અને નિર્ણય લેવાની અસર આખરે અંતિમ મતદાન ટકાવારી અને મતદાન હિસ્સામાં પર પડશે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે વસ્તી વિષયક સંતુલન હંમેશા એક મહત્ત્વપૂર્ણ પરિબળ રહ્યું છે, ત્યાં મતદારમાં કોઈપણ ફેરફાર રાજકીય પરિણામને બદલી શકે છે.

About The Author

Related Posts

Top News

હરિયાણામાં બિલ્ડરની ચાલાકીનો થયો પર્દાફાશ, ગુગલ AI આખી સચ્ચાઈ સામે લાવ્યું! RERAએ સૌથી અનોખું વળતર અપાવ્યું

હરિયાણા રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (HRERA)એ એક આશ્ચર્યજનક નિર્ણય બહાર પાડ્યો છે, જેમાં ઘર ખરીદનારાઓને રાહત મળી...
Business 
હરિયાણામાં બિલ્ડરની ચાલાકીનો થયો પર્દાફાશ, ગુગલ AI આખી સચ્ચાઈ સામે લાવ્યું! RERAએ સૌથી અનોખું વળતર અપાવ્યું

ભવાનીપુરમાં ભાજપનો ખેલ? 'ચક્રવ્યૂહ'માં ફસાયા મમતા બેનર્જી, આ ડેટા છે માથાનો દુઃખાવો?

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભવાનીપુર બેઠક મમતા બેનર્જી માટે અત્યાર સુધીની સૌથી મુશ્કેલ કસોટી સાબિત થઈ રહી છે. આ લડાઈ...
Politics 
ભવાનીપુરમાં ભાજપનો ખેલ? 'ચક્રવ્યૂહ'માં ફસાયા મમતા બેનર્જી, આ ડેટા છે માથાનો દુઃખાવો?

પવન ખેરાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પહોંચી આસામ પોલીસ; ઘરની કરી રહી છે તપાસ, જાણો શું છે આખો વિવાદ

કોંગ્રેસ નેતા પવન ખેરાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને આસામ પોલીસની એક ટીમ પહોંચી છે. દિલ્હી પોલીસની એક ટીમ પણ આસામ પોલીસ...
Politics 
પવન ખેરાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પહોંચી આસામ પોલીસ; ઘરની કરી રહી છે તપાસ, જાણો શું છે આખો વિવાદ

અમદાવાદમા ઢોસા ખાવાથી બે બાળકીઓએ ગુમાવ્યા જીવ, માતા-પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ મારુતિ પ્લાઝામાં એક જ પરિવારની 2 બાળકીના શંકાસ્પદ હલાતમાં મો*ત થયા હતા. જ્યારે માતા-પિતાની તબિયત લથડતા...
Gujarat 
અમદાવાદમા ઢોસા ખાવાથી બે બાળકીઓએ ગુમાવ્યા જીવ, માતા-પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ
Copyright (c) Khabarchhe All Rights Reserved.