PM મોદીના ઉત્તરાધિકારી કોણ? RSS પ્રમુખ મોહન ભાગવતે આપ્યો જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી કોણ બનશે? જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે આ બહેસમાં સામેલ થવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. ભાગવતે કહ્યું હતું કે દેશના આગામી વડાપ્રધાન બાબતે વિચાર-વિમર્શ અને નિર્ણય પૂરી રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) અને નરેન્દ્ર મોદી કરશે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી કોણ બનશે? ત્યારે મોહન ભાગવતે કહ્યું કે, ‘કેટલાક પ્રશ્નો મારા દાયરાની બહાર છે. એટલે મારે આ બાબતે કંઈ કહેવું નથી. હું ફક્ત તેમને શુભેચ્છા પાઠવી શકું છું, બીજું કંઈ નહીં. મોદીજીના ઉત્તરાધિકારી કોણ બનશે તે મોદીજી અને ભાજપે નક્કી કરવાનું છે.

Fake-IAS-Officer2
hindi.dynamitenews.com

ચેન્નાઈમાં RSS શતાબ્દી સમારોહમાં હાજરી આપવા માટે પહોંચેલા ભાગવતના જવાબને સ્પષ્ટ સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે કે સંઘનો ભાજપની અંદર ઉત્તરાધિકારની બહેમાં સામેલ થવાનો કોઈ ઈરાદો નથી. સાથે જ તેમણે એ વાત પણ ભાર મૂક્યો હતો કે જો ભારતને વિશ્વગુરુ તરીકે ઉભરવું હોય, તો જાતિ આધારિત અને ભાષાકીય વિભાજનને ખતમ કરવા જોઈએ. ભાગવતે કહ્યું કે, ‘આપણે RSSને એક લાખ કે તેથી વધુ સ્થળોએ લઈ જવાનું છે. આપણે આપણા દેશમાં જાતિ અને ભાષાકીય વિભાજનને ખતમ કરવાના છે અને એક સંયુક્ત સમાજ બનાવવાનો છે.

RSS પ્રમુખ મોહન ભાગવતે બુધવારે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં કહ્યું કે જનતા સાથે ઊંડી સંવાદ પ્રક્રિયા હોવી જોઈએ, કારણ કે RSSની અત્યાર સુધીની યાત્રા તથ્યો પર નહીં, પરંતુ ધારણાઓ દ્વારા ફેલાઈ. તેમણે કહ્યું કે આને ધ્યાનમાં રાખીને દેશભરમાં નવા-નવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં RSS સ્વયંસેવકો, લોકો સાથે વાતચીત કરશે અને તેમની સાથે RSS બાબતે સચોટ અને તથ્યપૂર્ણ માહિતી શેર કરશે.

Mohan-Bhagwat
thehindu.com

‘RSSની 100 વર્ષની યાત્રા- નવા ક્ષિતિજ કાર્યક્રમમાં બોલતા ભાગવતે કહ્યું કે, ‘સંગઠને 100 વરશોનું કાર્ય પૂર્ણ કર્યું છે અને છેલ્લા 10-15 વર્ષોથી, RSS નિયમિત ચર્ચાનો વિષય રહ્યો છે. જ્યારે પણ ચર્ચા થાય છે, ત્યારે એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે અમારા શુભેચ્છકો અને વિરોધીઓ બંને તથ્યો પર નહીં, પણ ધારણાઓ પર બોલે છે.

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.