PM મોદીના ઉત્તરાધિકારી કોણ? RSS પ્રમુખ મોહન ભાગવતે આપ્યો જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી કોણ બનશે? જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે આ બહેસમાં સામેલ થવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. ભાગવતે કહ્યું હતું કે દેશના આગામી વડાપ્રધાન બાબતે વિચાર-વિમર્શ અને નિર્ણય પૂરી રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) અને નરેન્દ્ર મોદી કરશે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી કોણ બનશે? ત્યારે મોહન ભાગવતે કહ્યું કે, ‘કેટલાક પ્રશ્નો મારા દાયરાની બહાર છે. એટલે મારે આ બાબતે કંઈ કહેવું નથી. હું ફક્ત તેમને શુભેચ્છા પાઠવી શકું છું, બીજું કંઈ નહીં. મોદીજીના ઉત્તરાધિકારી કોણ બનશે તે મોદીજી અને ભાજપે નક્કી કરવાનું છે.

Fake-IAS-Officer2
hindi.dynamitenews.com

ચેન્નાઈમાં RSS શતાબ્દી સમારોહમાં હાજરી આપવા માટે પહોંચેલા ભાગવતના જવાબને સ્પષ્ટ સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે કે સંઘનો ભાજપની અંદર ઉત્તરાધિકારની બહેમાં સામેલ થવાનો કોઈ ઈરાદો નથી. સાથે જ તેમણે એ વાત પણ ભાર મૂક્યો હતો કે જો ભારતને વિશ્વગુરુ તરીકે ઉભરવું હોય, તો જાતિ આધારિત અને ભાષાકીય વિભાજનને ખતમ કરવા જોઈએ. ભાગવતે કહ્યું કે, ‘આપણે RSSને એક લાખ કે તેથી વધુ સ્થળોએ લઈ જવાનું છે. આપણે આપણા દેશમાં જાતિ અને ભાષાકીય વિભાજનને ખતમ કરવાના છે અને એક સંયુક્ત સમાજ બનાવવાનો છે.

RSS પ્રમુખ મોહન ભાગવતે બુધવારે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં કહ્યું કે જનતા સાથે ઊંડી સંવાદ પ્રક્રિયા હોવી જોઈએ, કારણ કે RSSની અત્યાર સુધીની યાત્રા તથ્યો પર નહીં, પરંતુ ધારણાઓ દ્વારા ફેલાઈ. તેમણે કહ્યું કે આને ધ્યાનમાં રાખીને દેશભરમાં નવા-નવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં RSS સ્વયંસેવકો, લોકો સાથે વાતચીત કરશે અને તેમની સાથે RSS બાબતે સચોટ અને તથ્યપૂર્ણ માહિતી શેર કરશે.

Mohan-Bhagwat
thehindu.com

‘RSSની 100 વર્ષની યાત્રા- નવા ક્ષિતિજ કાર્યક્રમમાં બોલતા ભાગવતે કહ્યું કે, ‘સંગઠને 100 વરશોનું કાર્ય પૂર્ણ કર્યું છે અને છેલ્લા 10-15 વર્ષોથી, RSS નિયમિત ચર્ચાનો વિષય રહ્યો છે. જ્યારે પણ ચર્ચા થાય છે, ત્યારે એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે અમારા શુભેચ્છકો અને વિરોધીઓ બંને તથ્યો પર નહીં, પણ ધારણાઓ પર બોલે છે.

About The Author

Related Posts

Top News

ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

ગુરુવાર, 11 ડિસેમ્બરના રોજ અભિનેત્રી અને રાજકારણી હેમા માલિનીએ નવી દિલ્હીમાં તેમના સ્વર્ગસ્થ પતિ અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર માટે...
Entertainment 
ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

કોલ્હાપુરી ચપ્પલને પોતાના હોવાનો દાવો કરીને વિવાદમાં આવેલી ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાડાએ ભારતીય કારીગરો સાથે મળીને લિમિટેડ એડિશન સેન્ડલ...
Business 
આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.