મંત્રીજીએ કહ્યું- પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરો, SPએ કહ્યું- મારી પાસે અધિકાર નથી, મંત્રીજીએ કહ્યું- પાવર નથી તો અહીંથી ઉઠી જાવ

હરિયાણાના કૈથલમાં એક સમિતિની બેઠક દરમિયાન એ સમયે તણાવપૂર્ણ સ્થિતિ બની ગઈ, જ્યારે મંત્રી અનિલ વિજ અને કૈથલના SP ઉપાસના વચ્ચે પોલીસ અધિકારીના સસ્પેન્શનને લઈને તીખી બહેસ થઈ ગઈ. બંનેએ હાજર અધિકારીઓની સામે ખુલ્લેઆમ અધિકારક્ષેત્ર અને પ્રક્રિયાને લઈને ખૂલીને ચર્ચા થઈ.

anil-vij2
x.com/ians_india

અહેવાલો અનુસાર, કરનાલ પોલીસમાં તૈનાત ASI સંદીપ કુમાર પર જમીન વિવાદ સંબંધિત છેતરપિંડીનો આરોપ છે. એવો આરોપ છે કે ASI સંદીપે જમીન વેચવાના બદલામાં એક વ્યક્તિ પાસેથી લગભગ 7 લાખની રૂપિયા એડવાન્સ લીધા હતા. બાદમાં, જ્યારે જમીનના દસ્તાવેજો ખોટા હોવાનું જાણવા મળ્યું, ત્યારે ખરીદનારે સોદો રદ કર્યો અને તેના પૈસા પાછા માંગ્યા, પરંતુ સંદીપે પૈસા પાછા આપવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ કૈથલના તિત્રમ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન, એવું પણ સામે આવ્યું હતું કે આરોપી પોલીસ અધિકારીએ તપાસ ધીમી કરવા અને કેસને કરનાલના આર્થિક સેલમાં ટ્રાન્સફર કરવા માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કર્યો હતો. કૈથલ સમિતિની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થઈ હતી.

બેઠક દરમિયાન મંત્રી અનિલ વિજે SP ઉપાસનાને નિર્દેશ આપ્યો કે, સંબંધિત પોલીસ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. જેના પર SPએ સ્પષ્ટતા કરી કે સંબંધિત પોલીસ અધિકારી બીજા જિલ્લા એટલે કે કરનાલમાં પોસ્ટેડ છે અને એટલે તેને તેમના અધિકારક્ષેત્રમાં સસ્પેન્ડ કરવાનું શક્ય નથી. તેમણે કહ્યું કે તેઓ માત્ર DIG જેવા ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ મોકલી કરી શકે છે.

Tarique-Rahman
ndtv.com

મંત્રી વિજે આ અંગે સખત નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ‘પાવર નથી તો અહીંથી ઉઠી જાવ’, તેમના આદેશોના આધારે કાર્યવાહી થવી જોઈએ. જોકે, SPએ નિયમોનું પાલન કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. બાદમાં, જ્યારે પરિસ્થિતિ સ્પષ્ટ થઈ, ત્યારે મંત્રીએ કહ્યું કે તેમના આદેશનો ઉલ્લેખ કરીને DIGને પત્ર મોકલવામાં આવે.

આ સમગ્ર ઘટનાને પાછળથી ગેરસમજ ગણાવવામાં આવી. નિયમો અનુસાર, કોઈ પણ SP બીજા જિલ્લાના પોલીસ અધિકારીને સીધા સસ્પેન્ડ કરી શકતો નથી. બેઠક બાદ, નિયમો અનુસાર વહીવટી સ્તરે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો થવા પામ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ...
Business 
હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે મોટો નિર્ણય લેવા માટે તૈયાર છે. તેઓ વૈભવ સૂર્યવંશીને...
Sports 
વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

ભારત સરકારે સોમવારે જાહેર કર્યું કે વર્ષ 2026માં દેશમાં ચોમાસુ વરસાદ સામાન્ય કરતાં નબળો રહેવાની સંભાવના છે. આ ત્રણ વર્ષમાં...
National 
ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની તૈયારી, આનાથી શું ફાયદો થશે?

દેશની રાજકીય વ્યવસ્થામાં ધરખમ ફેરફાર લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વકાંક્ષી પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ અંતર્ગત...
National 
લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની તૈયારી, આનાથી શું ફાયદો થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.