રાહુલ ગાંધીએ SIRને થોપવામાં આવેલો જુલમ ગણાવ્યો, જાણો X પર બીજું શું-શું લખ્યું?

રાહુલ ગાંધી મતદાર યાદી સુધારણા (SIR) પર ગુસ્સે ભરાયા છે. તેમણે કહ્યું કે, SIR કોઈ સુધારો નહીં, પરંતુ થોપવામાં આવેલો જુલમ છે. તેમણે X પર એક પોસ્ટ કરતા આ વાત કહી. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચે એક એવી સિસ્ટમ બનાવી છે, જેનાથી મતદારોને થાકીને હારી જાય, અને મત ચોરી રોક-ટોક વિના ચાલુ રહે.

રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં BLO આત્મહ*ત્યાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે લખ્યું હતું કે, ‘SIRના નામે દેશભરમાં અફરાતફરી મચાવી રાખી છે- પરિણામ? 3 અઠવાડિયામાં 16 BLOએ પોતાના જીવ ગુમાવ્યા. હાર્ટએટેક, તણાવ, આત્મહત્યા- SIRએ સુધારો નહીં, થોપવામાં આવેલો જુલમ છે.

rahul
x.com/RahulGandhi

તેમણે SIR દ્વારા મત ચોરીનો આરોપ લગાવતા આગળ લખ્યું હતું કે, ‘ECIએ એક એવી સિસ્ટમ બનાવી છે જ્યાં નાગરિકોને પોતાને શોધવા માટે 22 વર્ષ જૂની મતદાર યાદીઓના હજારો સ્કેન કરેલા પાનાં ફેરવવા પડે છે. ઉદ્દેશ્ય સ્પષ્ટ છે: યોગ્ય મતદારો થાકીને હારી જાય અને મત ચોરી રોક-ટોક વિના સતત ચાલુ રહે.

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની પારદર્શિતા અને જવાબદારી પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે લખ્યું કે, ‘ભારત વિશ્વ માટે અત્યાધુનિક સોફ્ટવેર વિકસાવે છે, પરંતુ ભારતીય ચૂંટણી પંચ હજુ પણ કાગળનું જંગલ ઊભું કરવા પર આગ્રહી છે. જો ઇરાદા સ્પષ્ટ હોત, તો યાદી ડિજિટલ, સર્ચેબલ અને મશીન-રિડેબલ હોત- અને ECI 30 દિવસની ઉતાવળમાં કામ પૂર્ણ કરવાને બદલે ઉચિત સમય લઈને પારદર્શિતા અને જવાબદારી પર ધ્યાન કેન્દ્રિત કરતું.

rahul
http://facebook.com/rahulgandhi

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આગળ લખ્યું કે, ‘SIR એક ઇરાદાપૂર્વકની ચાલ છે - જ્યાં નાગરિકોને હેરાન કરવામાં આવી રહ્યા છે અને BLOના બિનજરૂરી દબાણને કારણે થતા મૃત્યુને કોલેટરલ ડેમેજ માનીને અવગણવામાં આવી રહ્યા છે. આ નિષ્ફળતા નહીં, ષડયંત્ર છે - સત્તાના રક્ષણ માટે લોકશાહીની બલિ છે.

About The Author

Related Posts

Top News

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 25-01-2026 વાર - રવિવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.