રાહુલ ગાંધી પણ વિયેતનામ મજા કરવા જાય છે: હરદીપ પુરી

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરી હાલ વિપક્ષના નિશાન પર છે. વિપક્ષે તેમના રાજીનામાની માગ કરતા લોકસભાની કાર્યવાહી 9 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે. તેમની ઉપર આરોપ છે કે અમેરિકામાં બાળકીઓના યૌનશોષણના ક્રિમિનલ અને જેલમાં મોતને ભેંટેલા ફાયનાન્સર જેફરી એપસ્ટિન સાથે તેમના સંબંધ હતા. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ સંસદમાં આ મુદ્દો ઉપાડ્યો હતો. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે રીલીઝ કરેલા ડોક્યુમેન્ટસમાં બહાર આવ્યું છે કે હરદીપ પૂરીએ એપસ્ટિન સાથે ઘણીવાર ઇ-મેઇલથી વાતચીત કરી હતી. આ મામલે મીડિયામાં પણ ખાસ્સી ચર્ચા જગાવી છે. તેને લઇને પૂરીએ પોતાને પક્ષ મૂકવો પડ્યો છે.  

હરદીપ સિંહ પુરીએ પહેલા તો પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને તેમની ઉપર લાગેલા આરોપોને સંદતર ખોટા ગણાવ્યા. ત્યારબાદ તેમણે જુદી જુદી ચેનલોમાં આપેલા ઇન્ટરવ્યૂમાં રાહુલ ગાંધીને મૂર્ખ, વિદૂષક સહિતના ઘણા આરોપો લગાવ્યા. તેમનું કહેવું છે કે રાહુલ ગાંધી તેમની ઉપર ખોટા આરોપો લગાવી રહ્યા છે. તેમના એપસ્ટિન સાથે માત્ર પ્રોફેશનલ સંબંધ હતા. તેઓ એપસ્ટિનને 4 વાર મળ્યા હતા. તે પણ બીજા લોકોની સાથે. તેઓ એકલા ક્યારેય એપસ્ટિન ને મળ્યા ન હતા. જ્યારે એવો સવાલ કરાયો કે તેઓ એપસ્ટિન સાથે કેમ સંપર્કમાં હતા તો તેમણે કહ્યું કે તેઓ સોશિયલ મીડિયા સાઇટ લિન્ક્ડ ઇનના સીઇઓ સાથે મળીને ભારતમાં સ્નેપડિલ માટે મૂડીરોકાણ કરાવવા માગતા હતા. તેઓ તો ડિજિટલ ઇન્ડિયાને પ્રમોટ કરવા માટે એપસ્ટિન સાથે સંપર્કમાં હતા. ત્યારે તેઓ કોઇ સરકારી પદ પર ન હતા.  

01

ઉલ્લેખનીય છે કે હરદીપ પૂરી અગાઉ અમેરિકામાં ભારતના રાજદૂત રહી ચૂક્યા હતા. રાજદૂત પદેથી રિટાયર થયા પછી તેઓ એક સંસ્થામાં કામ કરતા હતા ત્યારે તેમણે એપસ્ટિનને સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેઓ વર્ષ 2017માં કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રી બન્યા હતા. તેઓ પહેલા શહેરી વિકાસ મંત્રી બન્યા અને પછી તેઓ પેટ્રોલિયમ મિનિસ્ટ બન્યા. હવે એપસ્ટિન ફાઇલોમાં નામ આવ્યા પછી તેમની ઉપર ભારે પસ્તાળ પડી રહી છે. વિપક્ષ તેમના રાજીનામાની માગ કરી રહ્યું છે. 

આ મુદ્દે તેમણે જુદી જુદી ચેનલોમાં ઇન્ટરવ્યૂ આપ્યા. તેમને જ્યારે પૂછાયું કે એપસ્ટિન જેવા ક્રિમિનલને તેઓ કેમ મળ્યા તો તેમણે કહ્યું કે મળ્યા ત્યારે તેમને ખબર ન હતી. જોકે, તેમણે એમ પણ કહ્યું કે એક રાજદૂત તરીકે તેઓ ઘણા લોકોને મળતા હતા. તેમાં શ્રીલંકાના અતિવાદી સંગઠન એલટીટીટીઇના પ્રમુખ પ્રભાકરનને પણ મળ્યા હતા. 

એક એન્કરે એમને સવાલ પૂછ્યો કે એપસ્ટિનને તેમણે જે ઇ-મેઇલ કર્યા છે તેમાં તેમણે એક વાર લખ્યું છે કે એપસ્ટિન તેના એક્ઝોટિક આઇલેન્ડ એટલે કે વૈભવી ટાપૂ પરથી પરત ફરે ત્યારે રૂબરૂ મળીશું... હેવ ફન એટલે મઝા કરજો.. તો તમને કેવી રીતે ખબર પડી કે તેની પાસે એક વૈભવી ટાપુ છે અને મઝા એટલે શું?

આ સવાલના જવાબમાં હરદીપ પૂરીએ કહ્યું કે રાહુલ ગાંધી પણ વિયેતનામ મઝા કરવા જાય છે. તો એન્કરે પૂછ્યું કે કયા પ્રકારની મઝા તો પૂરીએ કહ્યું મને તેની ખબર નથી. મારે તેમની સાથે નજીકના સંબંધો નથી. તેમણે રાહુલ ગાંધીને બાળકબુદ્ધિ, મૂર્ખ, વિદૂષકથી લઇને ઘણા બધા શબ્દોથી નવાજ્યા હતા. 

02

હવે જો રાહુલ ગાંધીની વિયેતનામ વિઝિટની વાત કરીએ તો ગત વર્ષે તેઓ 22 દિવસની વિયેતનામ મુલાકાતે ગયા હતા. ત્યારે ભાજપના મોટા નેતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે રાહુલ ગાંધી નવું વર્ષ અને હોળી બન્ને વિયેતનામમાં જ કરે છે. તેઓ રાયબરેલી કરતા વધુ સમય તો વિયેતનામમાં વિતાવે છે. વિયેતનામમાં એવું શું છે. એવો પણ આરોપ લાગે છે કે દુનિયાભરમાં સરકારોને પાડી દેવામાં જેનો રોલ કહેવાય છે તે જ્યોર્જ સોરોસને મળવા રાહુલ વિયેતનામ જાય છે. આમ, રાહુલની વિયેતનામ યાત્રા અગાઉ પણ ભાજપના નેતાઓના નિશાન પર રહી છે. 

ઉલ્લેખનીય છે કે એપસ્ટિનના વૈભવી ટાપૂ પર દુનિયાભરના નેતાઓ, બુદ્ધિજીવિયો જેમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન, ઇંગ્લેડના પ્રધાનમંત્રી અને રોયલ ફેમેલીના સભ્યો ઉપરાંત માઇક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સ, ટેસ્લાના માલિક એલન મસ્ક સહિત જઇ આવ્યા હોવાના આરોપો છે. આ ટાપુ પર દુનિયાભરની છોકરીઓ અને તે પણ સગીર છોકરીઓ જુદા જુદા પાવરફૂલ લોકોને સપ્લાય કરવાનો આરોપ એપસ્ટિન પર લાગ્યો હતો. વિપક્ષે આજે લોકસભાની બહાર ભેગા થઇને બેનરો સાથે હરદીપ પૂરીના રાજીનામાની માગ કરી. લોકસભા 9 માર્ચ સુધી સ્થગિત છે. આ મામલે હવે શું થાય છે તે જોવાનું રહ્યું. શું હરદીપ પૂરી રાજીનામું આપશે...

About The Author

Related Posts

Top News

આજ જોવાનું બાકી હતું! હવે ગુજરાતના શિક્ષકો કૂતરાઓ ગણશે; મંત્રી કહે કોર્ટનો આદેશ છે

શિક્ષકોને છેલ્લા કેટલાક સમયથી એવા કામો સોંપવામાં આવે છે જે શિક્ષણ ક્ષેત્ર સાથે લાગતા વળગતા નથી. જેમાં કેટલાક કામો તો...
Education 
આજ જોવાનું બાકી હતું! હવે ગુજરાતના શિક્ષકો કૂતરાઓ ગણશે; મંત્રી કહે કોર્ટનો આદેશ છે

સુધરે એ બીજા... માયાભાઈ આહિરના પુત્રનું વધુ એક કારસ્તાન, ભવનાથની તળેટીમાં બસ લઈ પહોંચ્યો

ગિરનારની ગોદમાં યોજાયેલા મહાશિવરાત્રીના મિની કુંભ મેળામાં વહીવટી તંત્રના કડક નિયમોના લીરેલીરા ઉડ્યા હોય તેવી ઘટના સામે આવી છે. જાણીતા...
Gujarat 
સુધરે એ બીજા... માયાભાઈ આહિરના પુત્રનું વધુ એક કારસ્તાન, ભવનાથની તળેટીમાં બસ લઈ પહોંચ્યો

રાહુલ ગાંધી પણ વિયેતનામ મજા કરવા જાય છે: હરદીપ પુરી

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરી હાલ વિપક્ષના નિશાન પર છે. વિપક્ષે તેમના રાજીનામાની માગ કરતા લોકસભાની કાર્યવાહી 9 માર્ચ...
Politics 
રાહુલ ગાંધી પણ વિયેતનામ મજા કરવા જાય છે: હરદીપ પુરી

8000mAh બેટરીવાળો સૌથી પાતળો ફોન લોન્ચ, કિંમત પણ છે ઓછી

Tecnoએ Pova Curve 5Gનું અપગ્રેડેડ વર્ઝન Tecno Pova Curve 2 5G લોન્ચ કરી દીધું છે. મુખ્ય સુવિધાઓમાં 144Hz ...
Tech and Auto 
8000mAh બેટરીવાળો સૌથી પાતળો ફોન લોન્ચ, કિંમત પણ છે ઓછી

Opinion

હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરવામાં આગળ રહેલા યુવાનો હાલ ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચામાં રહે છે. આંદોલનના અંતે પાટીદાર...
એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.