ઈરાન-અમેરિકા યુદ્ધની અસરના કારણે ભારતમાં આ સૂકા મેવા થશે મોંઘા!

ગલ્ફ ક્ષેત્રમાં વધતા તણાવની અસર હવે ભારતીય બજારમાં સૂકા મેવા પર પડી રહી છે. ખાસ કરીને પિસ્તા, અંજીર અને કિસમિસ વધુ મોંઘા થઈ શકે છે. હકીકતમાં ભારત ઈરાન અને કેલિફોર્નિયા, USAથી મોટા પ્રમાણમાં પિસ્તા આયાત કરે છે. હાલમાં, ગલ્ફ તણાવને કારણે, બંદર અબ્બાસ અને ચાબહાર જેવા મુખ્ય ઈરાની બંદરો બંધ છે. જહાજો આવતા ન હોવાથી માલ અટકી ગયો છે. ચાલુ કટોકટી વચ્ચે, ઈરાનથી પુરવઠો અટકી ગયો છે, જેના કારણે પિસ્તાના ભાવમાં વધારો થયો છે.

બજાર નિષ્ણાતોના મતે, પિસ્તાના ભાવ રૂ. 40 થી રૂ. 100 પ્રતિ કિલો વધી ગયા છે. અગાઉ, છોતરાંવાળા પિસ્તાની કિંમત રૂ. 1,200-1,300 પ્રતિ કિલો હતી, અને દાણાવાળા પિસ્તાની કિંમત રૂ. 1,500-1,600 પ્રતિ કિલો હતી, જે હવે વધુ મોંઘા થઈ ગયા છે.

Dry-Fruits-Prices
ndtv.in

અંજીર મોટાભાગે અફઘાનિસ્તાનથી આવે છે. ત્યાં પહેલાથી જ તણાવ અને રસ્તાની સમસ્યાઓ છે, અને હવે ગલ્ફ કટોકટીએ પરિસ્થિતિને વધુ ખરાબ કરી છે. પ્રતિ કિલો રૂ. 100 સુધીના ભાવમાં વધારો થવાના અહેવાલો છે. આ દરમિયાન, સ્થાનિક કિસમિસનો પાક લગભગ ખતમ થઈ ગયો છે. હવે, આપણે આયાત પર વધુને વધુ નિર્ભર છીએ, તેથી પુરવઠો ઓછો આવવાને કારણે કિસમિસ વધુ મોંઘા થવાની સંભાવના રહેલી છે.

અખરોટના ભાવ હજુ સુધી વધ્યા નથી. આ દરમિયાન, કાશ્મીરથી સ્થાનિક અખરોટ પણ બજારમાં આવી રહ્યા છે. પરિણામે, અખરોટના ભાવ હાલમાં સ્થિર છે. આગામી 1-2 મહિના સુધી ગલ્ફ તણાવ અખરોટના ભાવને અસર કરશે નહીં.

Dry-Fruits-Prices1
hindi.news18.com

ઈરાનના બંદર અબ્બાસ અને ચાબહાર બંદરો બંધ થવાને કારણે દરિયાઈ માર્ગ અવરોધિત છે. ભારત માટે દરિયાઈ માર્ગ જ મુખ્ય વિકલ્પ હતો, પરંતુ બંદર બંધ થવાથી સૂકા મેવાના શિપમેન્ટ અટકી ગયા છે. અહીં તમને બતાવી દઈએ કે, ભારત-પાકિસ્તાન તણાવ પહેલાથી જ અફઘાનિસ્તાનથી શિપમેન્ટ પર અસર કરી ચૂક્યો હતો.હવે આવામાં ઈરાનથી સપ્લાય બંધ થઇ જવાથી બજારની અનિશ્ચિતતામાં વધુ વધારો થયો છે.

Dry-Fruits-Prices2
tradeindia.com

સુકા મેવાના ભાવમાં વધારો સામાન્ય લોકો પર સીધી અસર કરશે. તહેવારો, લગ્નો અને રમઝાન દરમિયાન સૂકા મેવાની માંગ વધી જાય છે. તેથી, ભાવ વધવાને કારણે ખર્ચમાં પણ વધારો થવાની શક્યતા રહેલી છે. જો આવી તણાવની પરિસ્થિતિ આગળ વધારે ચાલુ રહી, તો પિસ્તા, અંજીર અને કિસમિસના ભાવ ઊંચા રહેવાની શક્યતા છે.

About The Author

Top News

ખામેનેઈની હત્યા પછી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક કરતા વૈશ્વિક તેલ પુરવઠો જોખમમાં

28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હવાઈ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈનું મૃત્યુ થયું . આ...
World 
ખામેનેઈની હત્યા પછી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક કરતા વૈશ્વિક તેલ પુરવઠો જોખમમાં

ઈરાન-અમેરિકા યુદ્ધની અસરના કારણે ભારતમાં આ સૂકા મેવા થશે મોંઘા!

ગલ્ફ ક્ષેત્રમાં વધતા તણાવની અસર હવે ભારતીય બજારમાં સૂકા મેવા પર પડી રહી છે. ખાસ કરીને પિસ્તા, અંજીર અને...
Business 
ઈરાન-અમેરિકા યુદ્ધની અસરના કારણે ભારતમાં આ સૂકા મેવા થશે મોંઘા!

સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવ કાર્યક્રમ વિવાદમાં, મહિલા પાસે ‘તું ચીઝ બડી હૈ મસ્ત’ પર ડાન્સ કરાવાયો

સુરતમાં તહેવારો હવે વિવાદોમાં ફેરવાઇ રહ્યા છે. અગાઉ વસંત પંચમીના અવસર પર મા સરસ્વતીની પૂજાને બદલે 2 મહિલા ડાન્સરો પાસે...
Gujarat 
સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવ કાર્યક્રમ વિવાદમાં, મહિલા પાસે ‘તું ચીઝ બડી હૈ મસ્ત’ પર ડાન્સ કરાવાયો

કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

રવિવારે સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્ત્વપૂર્ણપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા...
Gujarat 
કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.