‘SIRમાં 65 લાખ મત કપાયા, તો 65 લોકો પણ રસ્તા પર કેમ ન આવ્યા?’, કોંગ્રેસના પૂર્વ સાંસદ શકીલ અહમદે રાહુલ ગાંધી પર કર્યો પ્રહાર

કોંગ્રેસના દિગ્ગજ નેતા શકીલ અહમદે બિહાર ચૂંટણી બાદ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો. બિહારમાં RJD-કોંગ્રેસ ગઠબંધનની કારમી હાર બાદ અહમદે હવે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં અપમાનિત અનુભવે છે. તેમણે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા શકીલ અહમદનું દુઃખ છલકાઈ ઉઠ્યું છે. તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસ પાર્ટીમાં અપમાનિત અનુભવી રહ્યો હતો. મેં ત્રણ વખત ધારાસભ્ય અને 2 વખત સાંસદ તરીકે સેવા આપી. તારિક અનવર અને હું જ બિહારના બે નેતા હતા, જેઓ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ બન્યા. મારી પાસે કોઈ અભિપ્રાય માંગવામાં આવ્યો નહોતો. મને અપમાનિત લાગ્યું. જ્યારે રાહુલ ગાંધી પહેલી ચૂંટણી જીત્યા, ત્યારે મેં મારા જીવનની પાંચમી ચૂંટણી જીતી હતી. તો હું કેવી રીતે કહી શકું કે હું તેમના કારણે જીત્યો? તે તેમનું અને મારું પણ અપમાન હોત.

Shakeel-Ahmad
indianexpress.com

શકીલ અહમદે કહ્યું કે, ‘રાહુલ ગાંધી એવા લોકો સાથે સહજ નથી, જ્યાં તેઓ તેમને તેમના પહેલા નામથી બોલાવી શકતા નથી, જ્યાં તેઓ બોસની જેમ અનુભવી ન શકે. સોનિયા ગાંધી, રાજીવ ગાંધી, નરસિંહ રાવ અને સીતા રામ કેસરીની કોંગ્રેસ બધાને સાથે લઈને ચાલી. રાહુલ ગાંધી સોનિયા ગાંધીની કોંગ્રેસને સાથે લઈને ચાલી ન શક્યા. સોનિયા ગાંધીની કોંગ્રેસના નેતાઓની અવગણના કરવામાં આવી. વરિષ્ઠ નેતાઓને અવગણવામાં આવ્યા. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વચ્ચેનો તફાવત એ છે કે સોનિયા ગાંધી લોકોને મળતા હતા, જ્યારે રાહુલ ગાંધી મળતા નથી. સોનિયા ગાંધી ટીકાકારોને પણ ખૂલીને મળતા હતા, પરંતુ મેં તેમને જોયા નથી.

શકીલ અહમદે કહ્યું કે, ‘રાહુલ ગાંધીનો યુથ કોંગ્રેસની ચૂંટણી યોજવાનો નિર્ણય ખોટો છે. NSUI અને યુથ કોંગ્રેસને પ્રોત્સાહન આપ્યું, જૂના ઉમેદવારોને નહીં. રાહુલ ગાંધી દ્વારા પ્રમોટ કરાયેલા લોકોનો જમીની સ્તરે કોઈ સંપર્ક નથી. રાહુલ ગાંધીને યુવાનો પ્રત્યે આકર્ષણ છે. એક સમયે બે ઉમેદવારોની ચર્ચા થઈ રહી હતી; બંને સારા ઉમેદવારો હતા. તેમણે સૂચન કર્યું કે નાના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. ત્રણ વર્ષ અગાઉ મેં એક સભામાં કહ્યું હતું કે બિહારમાં આપણી સ્થિતિ ખરાબ છે. નીતિશ કુમાર ક્યાંક છોડીને ન જતા રહે તેની ખાતરી કરવી જોઈએ. ત્યારબાદ મને આજ સુધી કોઈ સભામાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. તે દિવસ હતો અને આજનો દિવસ છે. કોંગ્રેસને લાગે છે કે મોદીથી થાકશે અને કોંગ્રેસ બીજા ક્રમની સૌથી મોટી પાર્ટી છે, એટલે સત્તામાં આવી જશે.

Shakeel-Ahmad2
hindustantimes.com

શકીલ અહમદે કહ્યું કે, ‘હું મારા મતવિસ્તારમાં મુસ્લિમ બહુમતી ધરાવતા સમુદાયમાં ગયો હતો. મેં પૂછ્યું કે કેટલા મુસ્લિમ મત કપાયા, તો ફક્ત એક મત કપાયું હતું અને તે પણ વ્યક્તિગત બાબત હતી. જો SIRમાં 65 લાખ મત કપાયા, તો 65 લોકો પણ રસ્તા પર કેમ ન આવ્યા? જો મત કપાયા અને લોકો હજુ પણ રસ્તા પર ન આવ્યા, તો આ પણ વિપક્ષની નિષ્ફળતા છે. પ્રિયંકા ગાંધી સાથે મારું કોઈ ખાસ કનેક્શન નથી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.