‘SIRમાં 65 લાખ મત કપાયા, તો 65 લોકો પણ રસ્તા પર કેમ ન આવ્યા?’, કોંગ્રેસના પૂર્વ સાંસદ શકીલ અહમદે રાહુલ ગાંધી પર કર્યો પ્રહાર

કોંગ્રેસના દિગ્ગજ નેતા શકીલ અહમદે બિહાર ચૂંટણી બાદ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો. બિહારમાં RJD-કોંગ્રેસ ગઠબંધનની કારમી હાર બાદ અહમદે હવે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં અપમાનિત અનુભવે છે. તેમણે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા શકીલ અહમદનું દુઃખ છલકાઈ ઉઠ્યું છે. તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસ પાર્ટીમાં અપમાનિત અનુભવી રહ્યો હતો. મેં ત્રણ વખત ધારાસભ્ય અને 2 વખત સાંસદ તરીકે સેવા આપી. તારિક અનવર અને હું જ બિહારના બે નેતા હતા, જેઓ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ બન્યા. મારી પાસે કોઈ અભિપ્રાય માંગવામાં આવ્યો નહોતો. મને અપમાનિત લાગ્યું. જ્યારે રાહુલ ગાંધી પહેલી ચૂંટણી જીત્યા, ત્યારે મેં મારા જીવનની પાંચમી ચૂંટણી જીતી હતી. તો હું કેવી રીતે કહી શકું કે હું તેમના કારણે જીત્યો? તે તેમનું અને મારું પણ અપમાન હોત.

Shakeel-Ahmad
indianexpress.com

શકીલ અહમદે કહ્યું કે, ‘રાહુલ ગાંધી એવા લોકો સાથે સહજ નથી, જ્યાં તેઓ તેમને તેમના પહેલા નામથી બોલાવી શકતા નથી, જ્યાં તેઓ બોસની જેમ અનુભવી ન શકે. સોનિયા ગાંધી, રાજીવ ગાંધી, નરસિંહ રાવ અને સીતા રામ કેસરીની કોંગ્રેસ બધાને સાથે લઈને ચાલી. રાહુલ ગાંધી સોનિયા ગાંધીની કોંગ્રેસને સાથે લઈને ચાલી ન શક્યા. સોનિયા ગાંધીની કોંગ્રેસના નેતાઓની અવગણના કરવામાં આવી. વરિષ્ઠ નેતાઓને અવગણવામાં આવ્યા. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વચ્ચેનો તફાવત એ છે કે સોનિયા ગાંધી લોકોને મળતા હતા, જ્યારે રાહુલ ગાંધી મળતા નથી. સોનિયા ગાંધી ટીકાકારોને પણ ખૂલીને મળતા હતા, પરંતુ મેં તેમને જોયા નથી.

શકીલ અહમદે કહ્યું કે, ‘રાહુલ ગાંધીનો યુથ કોંગ્રેસની ચૂંટણી યોજવાનો નિર્ણય ખોટો છે. NSUI અને યુથ કોંગ્રેસને પ્રોત્સાહન આપ્યું, જૂના ઉમેદવારોને નહીં. રાહુલ ગાંધી દ્વારા પ્રમોટ કરાયેલા લોકોનો જમીની સ્તરે કોઈ સંપર્ક નથી. રાહુલ ગાંધીને યુવાનો પ્રત્યે આકર્ષણ છે. એક સમયે બે ઉમેદવારોની ચર્ચા થઈ રહી હતી; બંને સારા ઉમેદવારો હતા. તેમણે સૂચન કર્યું કે નાના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. ત્રણ વર્ષ અગાઉ મેં એક સભામાં કહ્યું હતું કે બિહારમાં આપણી સ્થિતિ ખરાબ છે. નીતિશ કુમાર ક્યાંક છોડીને ન જતા રહે તેની ખાતરી કરવી જોઈએ. ત્યારબાદ મને આજ સુધી કોઈ સભામાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. તે દિવસ હતો અને આજનો દિવસ છે. કોંગ્રેસને લાગે છે કે મોદીથી થાકશે અને કોંગ્રેસ બીજા ક્રમની સૌથી મોટી પાર્ટી છે, એટલે સત્તામાં આવી જશે.

Shakeel-Ahmad2
hindustantimes.com

શકીલ અહમદે કહ્યું કે, ‘હું મારા મતવિસ્તારમાં મુસ્લિમ બહુમતી ધરાવતા સમુદાયમાં ગયો હતો. મેં પૂછ્યું કે કેટલા મુસ્લિમ મત કપાયા, તો ફક્ત એક મત કપાયું હતું અને તે પણ વ્યક્તિગત બાબત હતી. જો SIRમાં 65 લાખ મત કપાયા, તો 65 લોકો પણ રસ્તા પર કેમ ન આવ્યા? જો મત કપાયા અને લોકો હજુ પણ રસ્તા પર ન આવ્યા, તો આ પણ વિપક્ષની નિષ્ફળતા છે. પ્રિયંકા ગાંધી સાથે મારું કોઈ ખાસ કનેક્શન નથી.

About The Author

Related Posts

Top News

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 25-01-2026 વાર - રવિવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.