સંસદમાં ઇ-સિગારેટ પર બબાલ! અનુરાગ ઠાકુરે TMC સાંસદ પર લગાવ્યો આરોપ, સ્પીકર બોલ્યા- ‘.. તો કાર્યવાહી થશે’

ગુરુવારે લોકસભામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ સાંસદ અનુરાગ ઠાકુરે ઈ-સિગારેટ પીવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોઈનું નામ લીધા વિના ભાજપના સાંસદે તૃણમૂલ કોંગ્રેસના (TMC)ના સાંસદ પર ગૃહની અંદર ઈ-સિગારેટ પીવાનો આરોપ લગાવ્યો.

આ સમયે સંસદનું શિયાળુ સત્ર હાલમાં ચાલી રહ્યું છે. ગુરુવારે સંસદની કાર્યવાહી દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે લોકસભાની અંદર ઈ-સિગારેટ પીવાનો આરોપ લગાવ્યો. તેમણે કોઈ સાંસદનું નામ લીધું નહોતું, પરંતુ એક TMC સાંસદનો ઉલ્લેખ જરૂર કર્યો હતો. ઠાકુરના આરોપ પર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે એવી કોઈ પરંપરા કે નિયમ નથી કે જે કોઈપણ સાંસદને સંસદમાં ઈ-સિગારેટ પીવાની મંજૂરી આપે. જો આવો કોઈ મામલો તેમના ધ્યાન પર આવશે, તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

anurag-thakur1
thefederal.com

ઓમ બિરલાએ જણાવ્યું હતું કે નિયમો બધા સાંસદોને સમાન રીતે લાગૂ પડે છે અને ગૃહની ગરિમા જાળવવી એ દરેક સભ્યની જવાબદારી છે. સ્પીકરે એમ પણ કહ્યું હતું કે હજુ સુધી તેમના ધ્યાન પર કોઈ ઔપચારિક ફરિયાદ લાવવામાં આવી નથી, પરંતુ જો આવો કોઈ કેસ સામે આવે અથવા તેમને કોઈ પુરાવા મળે, તો નિયમો અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે. સંસદ લોકશાહીનું સર્વોચ્ચ મંચ છે, અને અહીં બેઠેલા તમામ પ્રતિનિધિઓની જવાબદારી છે કે તેઓ જનતાની અપેક્ષાઓ અનુસાર અનુશાસન અને ગરિમા જાળવી રાખે.

લોકસભામાં TMCના સાંસદે ઈ-સિગારેટ પીધી હોવાના ભાજપના સાંસદના આરોપ અંગે TMC સાંસદ ડોલા સેને કહ્યું કે, ‘જેમનુ કામ નજર રાખવાનું છે તેઓ જોશે. કોઈપણ અનુશાસનહીનતા માટે સંસદમાં જોગવાઈઓ છે. અનુરાગ ઠાકુર કોઈ ગુરુ નથી કે અમે તેમની વાત માની લઈએ.

શું છે ઈ-સિગારેટ અને ભારતમાં તેના પર કેમ પ્રતિબંધ મૂકવામાં આવ્યો?

ભારત સરકારે ઈ-સિગારેટ પર પ્રતિબંધ મૂક્યો છે કારણ કે તે યુવાનોમાં, ખાસ કરીને સ્કૂલનાં બાળકોમાં ઝડપથી લોકપ્રિય થઈ રહી હતી. ઈ-સિગારેટ એ બેટરીથી ચાલતા ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે જે નિકોટિન ધરાવતા પ્રવાહીને ગરમ કરે છે અને તેને વરાળમાં ફેરવે છે, જે વપરાશકર્તાઓ શ્વાસ દ્વારા અંદર લે છે.

2019માં પ્રતિબંધની જાહેરાત કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે યુવાનોમાં એક ગેરસમજ હતી કે ઈ-સિગારેટ હાનિકારક નથી, જોકે નિષ્ણાતોએ જણાવ્યું કે તે નિયમિત સિગારેટ જેટલી જ ખતરનાક છે. સરકારની ચિંતા એ વાતને લઈને વધી ગઈ કે કેટલાક યુવાનો ઈ-સિગારેટ દ્વારા ઘાતક ડ્રગ્સનો ઉપયોગ પણ કરી રહ્યા હતા.

અહેવાલો અનુસાર, ભારતમાં ઈ-સિગારેટ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે, જે 'ઈલેક્ટ્રોનિક સિગારેટ પ્રતિબંધ અધિનિયમ 2019 હેઠળ લાગૂ કરવામાં આવી છે, જેનો અર્થ છે કે તેમનું ઉત્પાદન, વેચાણ, આયાત, નિકાસ અને જાહેરાત ગેરકાયદેસર છે, જેના ઉલ્લંઘ પર કેદ અને દંડની જોગવાઈ છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, ઇ-સિગારેટનો દૈનિક ઉપયોગ હૃદયરોગના હુમલાનું જોખમ 79 ટકા વધારી શકે છે. તેમાં નિકલ, ટીન અને સીસું જેવી ભારે ધાતુઓ હોય છે. આ ધાતુઓ કેન્સર, DNA નુકસાન અને ફેફસાના ગંભીર રોગોનું કારણ બની શકે છે.

About The Author

Related Posts

Top News

રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

રાજકોટમાં TRP જેમ ઝોનની ઘટના પછી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે રાજકોટમાં  3 હજારથી વધુ ગેરકાયદે બંધકામો શોધી નાંખ્યા હતા....
Gujarat 
રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રવિવારે વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
Sports 
T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીની હત્યા કરવામાં આવી. તાજેતરના...
Business 
પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -03-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.