મહારાષ્ટ્રમાં મુસ્લિમોના 5% અનામતનો આદેશ રદ્દ, AIMIMએ કર્યો કટાક્ષ- ‘સરકારે રમઝાનની ભેટ આપી’

મહારાષ્ટ્ર સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલી 5% અનામત અંગેના અગાઉના નિર્ણયને રદ કરી દીધો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિર્ણય મુજબ, હવે કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં આ 5% અનામત હેઠળ પ્રવેશ નહીં મળે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રદેશ અધ્યક્ષ ઇમ્તિયાઝ જલીલે સરકાર પર કટાક્ષ કરતા સરકાર પર પ્રહાર કર્યો છે.

imtiaz-jaleel
lokmattimes.com

ઇમ્તિયાઝ જલીલે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘મહારાષ્ટ્ર સરકારે મુસ્લિમોને રમઝાનની ભેટ આપી છે. સરકારે 5% અનામત નાબૂદ કરવાની જાહેરાત કરી દીધી છે. જલીલે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ‘આ (અનામત) ત્યારે આપવામાં આવી હતી, જ્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે, ‘મુસ્લિમોમાં ડ્રોપઆઉટ રેટ સૌથી વધુ છે. ત્યારબાદ પણ, સરકારે મુસ્લિમો માટે 5% અનામત નાબૂદ કરી દીધી. આમ છતા અમે અમારા છોકરા-છોકરીઓને કહીશું કે તેઓ અભ્યાસ ન છોડે. જો પઢેગા ઈન્ડિયા તો બઢેગા ઈન્ડિયા!

જાણો કયા આધાર પર 5% અનામત આપવામાં આવી હતી

મહારાષ્ટ્રમાં, વર્ષ 2014માં એક વટહુકમ દ્વારા સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ પછાત વર્ગ-A (SBC-A) હેઠળ મુસ્લિમ સમુદાયને 5% અનામત આપવામાં આવી હતી. આ વટહુકમના આધારે જાતિ પ્રમાણપત્રો અને જાતિ માન્યતા પ્રમાણપત્રો પણ જાહેર કરવામાં આવી રહ્યા હતા. આ વટહુકમને મુંબઈ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, અને 14 નવેમ્બર, 2014ના રોજ, હાઈકોર્ટે વટહુકમ પર સ્ટે મૂક્યો હતો. 23 ડિસેમ્બર, 2014 સુધીમાં આ વટહુકમ કાયદામાં પરિવર્તિત ન થયો હોવાથી તે આપમેળે રદ થઈ ગયો. હવે, સરકારે સ્પષ્ટતા કરી છે કે તે વટહુકમના આધારે જાહેર કરાયેલા તમામ સરકારી નિર્ણયો અને પરિપત્રો પણ રદબાતલ ગણવામાં આવશે. મહારાષ્ટ્રમાં પહેલાથી જ મુસ્લિમો માટે 5% અનામત રદ છે.

મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણય મુજબ, હવે કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં આ 5% અનામત હેઠળ પ્રવેશ નહીં મળે. નવા જાતિ પ્રમાણપત્રો અથવા માન્યતા પ્રમાણપત્રો જાહેર કરવામાં નહીં આવે, અને અગાઉ જાહેર કરાયેલા તમામ સંબંધિત આદેશો હવે અસરકારક રહેશે નહીં. એવામાં મુસ્લિમ યુવાનો સામે એક મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે AIMIM અને અન્ય વિપક્ષી પક્ષો નજીકના ભવિષ્યમાં આ સરકારના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન શરૂ કરી શકે છે.

BJP1
newsarenaindia.com

આ અગાઉ, નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાન બાદ તરત જ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં 75 લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓને આપવામાં આવેલ દરજ્જા પર પણ રોક લગાવી દીધી હતી. અજિત પવારના અવસાનના દિવસે 7  સંસ્થાઓને મંજૂરી મળી હતી, અને થોડા દિવસોમાં આ સંખ્યા 75 થી વધુ થઈ ગઈ હતી. અજિત પવાર અગાઉ મહારાષ્ટ્રમાં લઘુમતી વિકાસ વિભાગ સંભાળતા હતા અને તેમના અવસાન બાદ હવે તેમના પત્ની સુનેત્રા પવાર ચાર્જ સંભાળી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

જે રસ્તેથી નીકળે છે વિશ્વના 20 ટકા તેલના જહાજો, તે હોર્મુઝ સ્ટ્રેટને ઈરાને કેમ બંધ કરી દીધું

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, ઈરાને લશ્કરી કવાયત દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટના કેટલાક ભાગોને અસ્થાયી રૂપે બંધ...
World 
જે રસ્તેથી નીકળે છે વિશ્વના 20 ટકા તેલના જહાજો, તે હોર્મુઝ સ્ટ્રેટને ઈરાને કેમ બંધ કરી દીધું

ઉદ્યોગસાહસિક નિરવ શાહની દૂરંદેશી પહેલે એન્જિનિયર્ડ વૃવન ડિસ્પ્લેના વિઝનને રિયાલિટીમાં પરિવર્તિત કર્યો

સુરત: ડિસ્પ્લે અને જાહેરાત માટે ઉપયોગમાં લેવાતા પરંપરાગત PVC ફ્લેક્સને બદલે હવે એક નવું અને વધુ ટકાઉ વિકલ્પ બજારમાં આવી...
Gujarat 
ઉદ્યોગસાહસિક નિરવ શાહની દૂરંદેશી પહેલે એન્જિનિયર્ડ વૃવન ડિસ્પ્લેના વિઝનને રિયાલિટીમાં પરિવર્તિત કર્યો

વડોદરા પાલિકાની બજેટ સભામાં મેયરે વિપક્ષના બધા કોર્પોરેટરોને સસ્પેન્ડ કરી દીધા, BJP કોર્પોરેટરે નિવૃત્તિ જાહેર કરી

વડોદરા મહાનગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભા આજે રાજકીય ગરમાવા અને આશ્ચર્યજનક ઘટનાક્રમની સાક્ષી બની હતી. સભામાં સમય ફાળવણી મુદ્દે થયેલા વિવાદને...
Gujarat 
વડોદરા પાલિકાની બજેટ સભામાં મેયરે વિપક્ષના બધા કોર્પોરેટરોને સસ્પેન્ડ કરી દીધા, BJP કોર્પોરેટરે નિવૃત્તિ જાહેર કરી

બોલ્ડ લુક... AI સ્માર્ટ ફીચર્સ સાથે ભારતની સૌથી સસ્તી 7-સીટર કાર લોન્ચ

જાપાની કાર નિર્માતા Nissan માટે મંગળવારનો દિવસ ખૂબ જ ખાસ હતો. લાંબા સમય સુધી રાહ જોયા બાદ, કંપનીએ ભારતીય...
Tech and Auto 
બોલ્ડ લુક... AI સ્માર્ટ ફીચર્સ સાથે ભારતની સૌથી સસ્તી 7-સીટર કાર લોન્ચ
Copyright (c) Khabarchhe All Rights Reserved.