મહારાષ્ટ્રમાં મુસ્લિમોના 5% અનામતનો આદેશ રદ્દ, AIMIMએ કર્યો કટાક્ષ- ‘સરકારે રમઝાનની ભેટ આપી’

મહારાષ્ટ્ર સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલી 5% અનામત અંગેના અગાઉના નિર્ણયને રદ કરી દીધો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિર્ણય મુજબ, હવે કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં આ 5% અનામત હેઠળ પ્રવેશ નહીં મળે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રદેશ અધ્યક્ષ ઇમ્તિયાઝ જલીલે સરકાર પર કટાક્ષ કરતા સરકાર પર પ્રહાર કર્યો છે.

imtiaz-jaleel
lokmattimes.com

ઇમ્તિયાઝ જલીલે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘મહારાષ્ટ્ર સરકારે મુસ્લિમોને રમઝાનની ભેટ આપી છે. સરકારે 5% અનામત નાબૂદ કરવાની જાહેરાત કરી દીધી છે. જલીલે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ‘આ (અનામત) ત્યારે આપવામાં આવી હતી, જ્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે, ‘મુસ્લિમોમાં ડ્રોપઆઉટ રેટ સૌથી વધુ છે. ત્યારબાદ પણ, સરકારે મુસ્લિમો માટે 5% અનામત નાબૂદ કરી દીધી. આમ છતા અમે અમારા છોકરા-છોકરીઓને કહીશું કે તેઓ અભ્યાસ ન છોડે. જો પઢેગા ઈન્ડિયા તો બઢેગા ઈન્ડિયા!

જાણો કયા આધાર પર 5% અનામત આપવામાં આવી હતી

મહારાષ્ટ્રમાં, વર્ષ 2014માં એક વટહુકમ દ્વારા સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ પછાત વર્ગ-A (SBC-A) હેઠળ મુસ્લિમ સમુદાયને 5% અનામત આપવામાં આવી હતી. આ વટહુકમના આધારે જાતિ પ્રમાણપત્રો અને જાતિ માન્યતા પ્રમાણપત્રો પણ જાહેર કરવામાં આવી રહ્યા હતા. આ વટહુકમને મુંબઈ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, અને 14 નવેમ્બર, 2014ના રોજ, હાઈકોર્ટે વટહુકમ પર સ્ટે મૂક્યો હતો. 23 ડિસેમ્બર, 2014 સુધીમાં આ વટહુકમ કાયદામાં પરિવર્તિત ન થયો હોવાથી તે આપમેળે રદ થઈ ગયો. હવે, સરકારે સ્પષ્ટતા કરી છે કે તે વટહુકમના આધારે જાહેર કરાયેલા તમામ સરકારી નિર્ણયો અને પરિપત્રો પણ રદબાતલ ગણવામાં આવશે. મહારાષ્ટ્રમાં પહેલાથી જ મુસ્લિમો માટે 5% અનામત રદ છે.

મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણય મુજબ, હવે કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં આ 5% અનામત હેઠળ પ્રવેશ નહીં મળે. નવા જાતિ પ્રમાણપત્રો અથવા માન્યતા પ્રમાણપત્રો જાહેર કરવામાં નહીં આવે, અને અગાઉ જાહેર કરાયેલા તમામ સંબંધિત આદેશો હવે અસરકારક રહેશે નહીં. એવામાં મુસ્લિમ યુવાનો સામે એક મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે AIMIM અને અન્ય વિપક્ષી પક્ષો નજીકના ભવિષ્યમાં આ સરકારના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન શરૂ કરી શકે છે.

BJP1
newsarenaindia.com

આ અગાઉ, નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાન બાદ તરત જ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં 75 લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓને આપવામાં આવેલ દરજ્જા પર પણ રોક લગાવી દીધી હતી. અજિત પવારના અવસાનના દિવસે 7  સંસ્થાઓને મંજૂરી મળી હતી, અને થોડા દિવસોમાં આ સંખ્યા 75 થી વધુ થઈ ગઈ હતી. અજિત પવાર અગાઉ મહારાષ્ટ્રમાં લઘુમતી વિકાસ વિભાગ સંભાળતા હતા અને તેમના અવસાન બાદ હવે તેમના પત્ની સુનેત્રા પવાર ચાર્જ સંભાળી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી પ્રેમ પ્રકરણનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવક તેની પરિણીત પ્રેમિકાના ઘરે રાત્રે 2 વાગ્યે...
National 
CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ ઘટનામાં...
National 
આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને...
Business 
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. તાજેતરમાં, તે તેની નવી...
Sports 
હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.