અમિત શાહે લોકસભામાં 'મત ચોરી'ના આ 3 કેસો અંગે કરી વાત, સંસદમાં મચ્યો હોબાળો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર મત ચોરીના 3 આરોપ લગાવ્યા, જેના પર કોંગ્રેસના સાંસદોએ ભારે વાંધો ઉઠાવ્યો. શાહે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીનું નામ લીધું અને સોનિયા ગાંધી સાથે જોડાયેલા એક કેસનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં મતદાર નોંધણી પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસે આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા અને સંસદમાં હોબાળો શરૂ કરી દીધો હતો.

amit-shah
financialexpress.com

શાહે કહ્યું કે, ‘મત ચોરીના 3 ઉદાહરણ છે. પહેલું, જ્યારે જવાહરલાલ નેહરુ દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે ચૂંટાવા માટે સરદાર પટેલ સામે હાર્યા છતા વડાપ્રધાન બન્યા. બીજું, જ્યારે 1975માં અલ્લાહબાદ હાઈકોર્ટે રાયબરેલીથી ઈન્દિરા ગાંધીની ચૂંટણી રદ કરી, અને તેને ઢાંકવા માટે તેમણે સંસદમાં એક બિલ રજૂ કર્યું, જેથી વડાપ્રધાનોને કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવે. ત્રીજું, જ્યારે તમે લાયક ન હોવ ત્યારે પણ મતદાર બની જાવ છો. થોડા સમય અગાઉ, દિલ્હીની એક કોર્ટમાં એક કેસ સામે આવ્યો હતો, જેમાં વિવાદ એ છે કે, સોનિયા ગાંધી દેશના નાગરિક બનતા પહેલા મતદાર બની ગયા હતા.

શાહે કહ્યું કે, 2014માં નરેન્દ્ર મોદી આ દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી તેમને (વિપક્ષને) વાંધો છે. અમે 2014 થી 2025 સુધી કુલ 44 લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ જીતી છે, પરંતુ તેમણે (વિપક્ષ) પણ કુલ 30 ચૂંટણીઓ જીતી છે, જેમાં વિવિધ વિધાનસભા ચૂંટણીઓ પણ સામેલ છે. જો મતદાર યાદી ભ્રષ્ટ છે, તો પછી શપથ શા માટે લેવામાં આવ્યા?

amit-shah4
deccanherald.com

તેમણે કહ્યું કે, 15 માર્ચ 1989ના રોજ રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન EVM રજૂ કરવામાં આવ્યા હતા. 2002માં જ્યારે એક અરજી દાખલ કરવામાં આવી હતી, ત્યારે આ દેશની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ EVMમાં ફેરફારને યોગ્ય ઠેરવ્યા હતા. તેઓ સુપ્રીમ કોર્ટને માનતા નથી, તેઓ રાજીવ ગાંધીને પણ માનતા નથી. 1998માં, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીની 16 વિધાનસભા બેઠકો પર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ તપાસ બાદ EVMનો ઉપયોગ 2004માં કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસે 2004ની ચૂંટણી જીતી હતી. તે સમયે EVM પર ચર્ચાઓ બંધ થઈ ગઈ હતી.

amit-shah5
livemint.com

અમિત શાહે કહ્યું કે, 2009ની ચૂંટણી પણ EVMથી થઈ અને તેઓ જીતી ગયા અને ચર્ચા ફરીથી બંધ થઈ ગઈ. તેમના સમયમાં ચૂંટણી થતી હતી, બિહાર અને ઉત્તર પ્રદેશમાં આખે આખી મતપેટીઓ ગાયબ થઈ જતી હતી. EVM આવ્યા પછી આ બંધ થઈ ગયું. ચૂંટણીમાં ગોટાળા બંધ થઈ ગયા છે, જેના કારણે પેટમાં દુઃખાવો થાય છે. દોષ EVMનો નથી; ચૂંટણી જીતવાની પદ્ધતિ જનાદેશનો નહોતો, પરંતુ ભ્રષ્ટ પદ્ધતિનો હતો. આજે તેઓ એક્સપોઝ થઈ ચૂક્યા છે.

About The Author

Related Posts

Top News

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.