જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડનગરની માટીમાંથી પેદા થયેલા ભારત ભૂમિના સૌથી મોટા જૂઠ્ઠા કહ્યા હતા. આ ઉપરાંત, તેમણે એમ પણ કહ્યું હતું કે જે વડનગરનો વિકાસ ન કરી શક્યો તે વિશ્વગુરુ બનવાના પ્રયાસ કરે છે. આ નિવેદનને કરાને આ તકે મોદી સમાજના આગેવાનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે

આ મુદ્દે આજે મોદી સમાજના આગેવાનોએ અમદાવાદ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમણે કહ્યું કે મોદી સામે મેવાણીનું કોઈ અસ્તિત્વ નથી. તેમના આકાઓ મોદીના શરણે થઈ ગયા, તો મેવાણીનું શું આવે? તેમણે માગ કરી કે, મેવાણી જાહેરમાં માફી માગે. તથા ભવિષ્યમાં આવો વાણીવિલાસ ન કરવા માટે પણ ચેતવ્યા હતા.

jignesh mevani
hindustantimes.com

મોદી સમાજના પ્રવક્તા નીરવ મોદીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા માર્ફતે તમને પણ વીડિયો જોવા મળ્યા હશે. જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસના ધારાસભ્ય છે, તેમણે સુંઢિયા ગામે વડનગરમાં 30 તારીખે એક જાહેર સભામાં નરેન્દ્ર મોદીને લઇને અશોભનીય શબ્દોનો ઉપયોગ કર્યો હતો. નરેન્દ્ર મોદી અમારા સમાજનું સ્વાભિમાન છે, અમારું ગર્વ છે તેમના માટે આવા શબ્દોનો ઉપયોગ કરવા યોગ્ય નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક લોકશાહીની અંદર વાણી સ્વતંત્રતા છે, પણ એનો મતલબ એ નથી કે આપણે દરેક માટે ગમે ત્યાં વાપરી શકીએ. દરેકમાં એક મર્યાદા હોવી જોઇએ જે તેઓ ચૂક્યા છે, જેના કારણે અમને ખૂબ આક્રોશ છે. આ આક્રોશ અમે જાહેરમાં આવીને પણ વ્યક્ત કરી શકતા હતા, પરંતુ આજે શાંતિપ્રિય માર્ગે અમે 15-20 સભ્ય-આગેવાનો આગળ આવીને અમે આ વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.

modi community
bhaskarenglish.in

મુંબઈ-પુણે મોદી સમાજના પ્રેસિડેન્ટ જયંતિભાઈ મોદીએ જણાવ્યું હતું કે, રાજનીતિ અલગ વસ્તુ છે, પરંતુ મોદી સાહેબ અમારા સમાજના છે, અમારા ગામના છે, અમારી પવિત્ર ભૂમિના છે, તેનું અમને ગૌરવ છે, અમારું અભિમાન છે. આજે પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી. પરંતુ નરેન્દ્ર મોદી માટે જિગ્નેશ મેવાણીએ વડનગરની પવિત્ર ભૂમિની બાજુના સુંઢિયા ગામમાં જે વાણી વિલાસ કર્યો છે, જે તુચ્છ શબ્દોનો ઉપયોગ કર્યો છે, શબ્દોની મર્યાદા ચૂકી ગયા છે, ભાષાની મર્યાદા ચૂકી ગયા છે, ત્યારે આ શબ્દોનો અને એની ખરાબ ભાષાનો અમે મોદી સમાજના યુવાનો સખત વિરોધ કરીએ છીએ.

મેવાણીના આકાઓે મુંબઈ-દિલ્હીમાં છે, એ લોકો પણ નરેન્દ્ર મોદીના શરણે થઈ ગયા છે, તો જિગ્નેશ મેવાણી એક ધારાસભ્ય સુંઢિયા ગામમાં જે વાણીવિલાસ કરે છે, તેનું અમે જાહેરમાં ખંડન કરીએ છીએ અને જાહેરમાં એ માફી માગે એવો પણ એક આગ્રહ કરીએ છીએ. અમે પ્રતિકાત્મક વિરોધ કરવા માટે 25-30 યુવાનો કલેક્ટરે કચેરીએ આવ્યા છીએ.

About The Author

Related Posts

Top News

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.