જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડનગરની માટીમાંથી પેદા થયેલા ભારત ભૂમિના સૌથી મોટા જૂઠ્ઠા કહ્યા હતા. આ ઉપરાંત, તેમણે એમ પણ કહ્યું હતું કે જે વડનગરનો વિકાસ ન કરી શક્યો તે વિશ્વગુરુ બનવાના પ્રયાસ કરે છે. આ નિવેદનને કરાને આ તકે મોદી સમાજના આગેવાનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે

આ મુદ્દે આજે મોદી સમાજના આગેવાનોએ અમદાવાદ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમણે કહ્યું કે મોદી સામે મેવાણીનું કોઈ અસ્તિત્વ નથી. તેમના આકાઓ મોદીના શરણે થઈ ગયા, તો મેવાણીનું શું આવે? તેમણે માગ કરી કે, મેવાણી જાહેરમાં માફી માગે. તથા ભવિષ્યમાં આવો વાણીવિલાસ ન કરવા માટે પણ ચેતવ્યા હતા.

jignesh mevani
hindustantimes.com

મોદી સમાજના પ્રવક્તા નીરવ મોદીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા માર્ફતે તમને પણ વીડિયો જોવા મળ્યા હશે. જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસના ધારાસભ્ય છે, તેમણે સુંઢિયા ગામે વડનગરમાં 30 તારીખે એક જાહેર સભામાં નરેન્દ્ર મોદીને લઇને અશોભનીય શબ્દોનો ઉપયોગ કર્યો હતો. નરેન્દ્ર મોદી અમારા સમાજનું સ્વાભિમાન છે, અમારું ગર્વ છે તેમના માટે આવા શબ્દોનો ઉપયોગ કરવા યોગ્ય નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક લોકશાહીની અંદર વાણી સ્વતંત્રતા છે, પણ એનો મતલબ એ નથી કે આપણે દરેક માટે ગમે ત્યાં વાપરી શકીએ. દરેકમાં એક મર્યાદા હોવી જોઇએ જે તેઓ ચૂક્યા છે, જેના કારણે અમને ખૂબ આક્રોશ છે. આ આક્રોશ અમે જાહેરમાં આવીને પણ વ્યક્ત કરી શકતા હતા, પરંતુ આજે શાંતિપ્રિય માર્ગે અમે 15-20 સભ્ય-આગેવાનો આગળ આવીને અમે આ વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.

modi community
bhaskarenglish.in

મુંબઈ-પુણે મોદી સમાજના પ્રેસિડેન્ટ જયંતિભાઈ મોદીએ જણાવ્યું હતું કે, રાજનીતિ અલગ વસ્તુ છે, પરંતુ મોદી સાહેબ અમારા સમાજના છે, અમારા ગામના છે, અમારી પવિત્ર ભૂમિના છે, તેનું અમને ગૌરવ છે, અમારું અભિમાન છે. આજે પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી. પરંતુ નરેન્દ્ર મોદી માટે જિગ્નેશ મેવાણીએ વડનગરની પવિત્ર ભૂમિની બાજુના સુંઢિયા ગામમાં જે વાણી વિલાસ કર્યો છે, જે તુચ્છ શબ્દોનો ઉપયોગ કર્યો છે, શબ્દોની મર્યાદા ચૂકી ગયા છે, ભાષાની મર્યાદા ચૂકી ગયા છે, ત્યારે આ શબ્દોનો અને એની ખરાબ ભાષાનો અમે મોદી સમાજના યુવાનો સખત વિરોધ કરીએ છીએ.

મેવાણીના આકાઓે મુંબઈ-દિલ્હીમાં છે, એ લોકો પણ નરેન્દ્ર મોદીના શરણે થઈ ગયા છે, તો જિગ્નેશ મેવાણી એક ધારાસભ્ય સુંઢિયા ગામમાં જે વાણીવિલાસ કરે છે, તેનું અમે જાહેરમાં ખંડન કરીએ છીએ અને જાહેરમાં એ માફી માગે એવો પણ એક આગ્રહ કરીએ છીએ. અમે પ્રતિકાત્મક વિરોધ કરવા માટે 25-30 યુવાનો કલેક્ટરે કચેરીએ આવ્યા છીએ.

About The Author

Related Posts

Top News

અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

અમદાવાદના બહુચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ...
Gujarat 
અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.