પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ (LUMS)એ હવે સંસ્કૃત કોર્સ શરૂ કર્યો છે. LUMSએ એ આ કોર્સ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે 3 મહિના લાંબી સંસ્કૃત વર્કશોપમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ સામેલ થયા હતા. સંસ્કૃત કોર્સ શરૂ કર્યા બાદ LUMS હવે રામાયણ અને ગીતા-મહાભારત પર સંશોધન શરૂ કરવાની તૈયારી કરી છે. ચાલો જાણીએ કે આખો મામલો શું છે. લાહોરમાં કેટલા વર્ષો બાદ સંસ્કૃત ભણાવવામાં આવી? LUMSએ કયા પ્રકારનો સંસ્કૃત કોર્સ શરૂ કર્યો છે? સાથે જ એ જાણીશું કે, રામાયણ અને ગીતા-મહાભારત પર સંશોધન શરૂ કરવાની યોજના શું છે. આ તમામ વિષયો પર વિગતવાર ચર્ચા કરીશું.

Sanskrit2
dpsgfaridabad.com

પાકિસ્તાન સ્થિત લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ (LUMS)માં છેલ્લા 3 મહિનાથી સંસ્કૃત વર્કશોપ ચાલી રહ્યું છે. આ વર્કશોપમાં સંસ્કૃત વ્યાકરણથી લઈને પુરાણો સુધીના વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અંગ્રેજો પાસેથી સ્વતંત્રતા મળ્યા બાદ પહેલીવાર પાકિસ્તાનમાં આ સંસ્કૃતનો પાઠ આપવામાં આવ્યો છે. સંસ્કૃત પર વર્કશોપ યોજ્યા બાદ પાકિસ્તાનમાં લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ (LUMS)એ સંસ્કૃતમાં યુનિવર્સિટી સ્તરનો અભ્યાસક્રમ શરૂ કર્યો છે. આ 4-ક્રેડિટ કોર્સ છે. આ એક નિયમિત યુનિવર્સિટી કોર્સ છે. જો કે, તેમાં બેઠકો મર્યાદિત છે, પરંતુ 2027માં આ કોર્સમાં બેઠકોની સંખ્યા વધારવાની યોજના છે અને તેને સંસ્કૃત ડિપ્લોમા કોર્સ તરીકે શીખવવામાં આવશે.

પાકિસ્તાન સ્થિત લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ (LUMS) રામાયણ અને ગીતા-મહાભારત પર અભ્યાસક્રમો શરૂ કરવાની તૈયારી કરી રહી છે. LUMS ખાતે ગુરમણિ સેન્ટરના ડિરેક્ટર ડૉ. અલી ઉસ્માન કાસમી કહે છે કે આગામી 10-15 વર્ષમાં, પાકિસ્તાનના વિદ્વાનો સંસ્કૃત, ગીતા અને મહાભારત પર સંશોધન કરશે.

Sanskrit1
tribuneindia.com

ડૉ. કાસમી સંસ્કૃત અને વેદોના અભ્યાસને પાકિસ્તાન માટે આવશ્યક માને છે. તેઓ કહે છે કે ઘણા ઇતિહાસકારો માને છે કે વેદોની આ પ્રદેશમાં રચના થઈ હતી. એવામાં સંસ્કૃત અને વેદોનો અભ્યાસ જરૂરી છે. તેઓ કહે છે કે LUMSમાં હાલમાં પંજાબી, પશ્તો, સિંધી, બલોચી, અરબી અને ફારસી ભાષા શીખવવામાં આવે છે, જ્યારે સંસ્કૃત આ ભાષાઓ માટે ઘણા શબ્દોની જનની છે. સંસ્કૃતનો અભ્યાસ કરવાથી સમગ્ર ભાષાકીય ઇકોસિસ્ટમ મજબૂત બનશે. માહિતી અનુસાર, LUMSમાં પ્રાચીન સંસ્કૃત હસ્તપ્રતો છે. આ હસ્તપ્રતો 1930માં વિદ્વાન JCR વૂલનર દ્વારા તાડના પત્ર પર સંગ્રહિત કરવામાં આવી હતી. જો કે, 1947થી તેનો સ્પર્શ કરવામાં આવ્યો નથી.

About The Author

Related Posts

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.