પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ (LUMS)એ હવે સંસ્કૃત કોર્સ શરૂ કર્યો છે. LUMSએ એ આ કોર્સ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે 3 મહિના લાંબી સંસ્કૃત વર્કશોપમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ સામેલ થયા હતા. સંસ્કૃત કોર્સ શરૂ કર્યા બાદ LUMS હવે રામાયણ અને ગીતા-મહાભારત પર સંશોધન શરૂ કરવાની તૈયારી કરી છે. ચાલો જાણીએ કે આખો મામલો શું છે. લાહોરમાં કેટલા વર્ષો બાદ સંસ્કૃત ભણાવવામાં આવી? LUMSએ કયા પ્રકારનો સંસ્કૃત કોર્સ શરૂ કર્યો છે? સાથે જ એ જાણીશું કે, રામાયણ અને ગીતા-મહાભારત પર સંશોધન શરૂ કરવાની યોજના શું છે. આ તમામ વિષયો પર વિગતવાર ચર્ચા કરીશું.

Sanskrit2
dpsgfaridabad.com

પાકિસ્તાન સ્થિત લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ (LUMS)માં છેલ્લા 3 મહિનાથી સંસ્કૃત વર્કશોપ ચાલી રહ્યું છે. આ વર્કશોપમાં સંસ્કૃત વ્યાકરણથી લઈને પુરાણો સુધીના વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અંગ્રેજો પાસેથી સ્વતંત્રતા મળ્યા બાદ પહેલીવાર પાકિસ્તાનમાં આ સંસ્કૃતનો પાઠ આપવામાં આવ્યો છે. સંસ્કૃત પર વર્કશોપ યોજ્યા બાદ પાકિસ્તાનમાં લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ (LUMS)એ સંસ્કૃતમાં યુનિવર્સિટી સ્તરનો અભ્યાસક્રમ શરૂ કર્યો છે. આ 4-ક્રેડિટ કોર્સ છે. આ એક નિયમિત યુનિવર્સિટી કોર્સ છે. જો કે, તેમાં બેઠકો મર્યાદિત છે, પરંતુ 2027માં આ કોર્સમાં બેઠકોની સંખ્યા વધારવાની યોજના છે અને તેને સંસ્કૃત ડિપ્લોમા કોર્સ તરીકે શીખવવામાં આવશે.

પાકિસ્તાન સ્થિત લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ (LUMS) રામાયણ અને ગીતા-મહાભારત પર અભ્યાસક્રમો શરૂ કરવાની તૈયારી કરી રહી છે. LUMS ખાતે ગુરમણિ સેન્ટરના ડિરેક્ટર ડૉ. અલી ઉસ્માન કાસમી કહે છે કે આગામી 10-15 વર્ષમાં, પાકિસ્તાનના વિદ્વાનો સંસ્કૃત, ગીતા અને મહાભારત પર સંશોધન કરશે.

Sanskrit1
tribuneindia.com

ડૉ. કાસમી સંસ્કૃત અને વેદોના અભ્યાસને પાકિસ્તાન માટે આવશ્યક માને છે. તેઓ કહે છે કે ઘણા ઇતિહાસકારો માને છે કે વેદોની આ પ્રદેશમાં રચના થઈ હતી. એવામાં સંસ્કૃત અને વેદોનો અભ્યાસ જરૂરી છે. તેઓ કહે છે કે LUMSમાં હાલમાં પંજાબી, પશ્તો, સિંધી, બલોચી, અરબી અને ફારસી ભાષા શીખવવામાં આવે છે, જ્યારે સંસ્કૃત આ ભાષાઓ માટે ઘણા શબ્દોની જનની છે. સંસ્કૃતનો અભ્યાસ કરવાથી સમગ્ર ભાષાકીય ઇકોસિસ્ટમ મજબૂત બનશે. માહિતી અનુસાર, LUMSમાં પ્રાચીન સંસ્કૃત હસ્તપ્રતો છે. આ હસ્તપ્રતો 1930માં વિદ્વાન JCR વૂલનર દ્વારા તાડના પત્ર પર સંગ્રહિત કરવામાં આવી હતી. જો કે, 1947થી તેનો સ્પર્શ કરવામાં આવ્યો નથી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-08-2026 દિવસ: ગુરુવાર મેષ: આર્થિક સમસ્યા વધે, કુટુંબમાં ક્લેશ વધે, પ્રવાસ-મુસાફરી ટાળવી. વૃષભ: આકસ્મિક લાભ થાય, વેપાર-ધંધામાં નફો થાય,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રાષ્ટ્રગીત 'વંદે માતરમ'નું અપમાન હવે ગુનો ગણાશે. લોકસભા અને રાજ્યસભા દ્વારા 'વંદે માતરમ બિલ'ને...
National 
'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

એક વીડિયોમાં પાણી ભરાયેલું પાર્કિંગ છે. પાર્કિંગ પણ જેવું-તેવું નથી, પરંતુ નોઈડા એરપોર્ટનું પાર્કિંગ છે, એ જ એરપોર્ટ...
National 
રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

મરાઠી નથી આવડતી તો ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં મળે! મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય, ઉત્તર ભારતીયો ટેન્શનમાં

મુસાફરો સાથે સારી રીતે વાતચીત કરવા અને જાહેર પરિવહનને સુવ્યવસ્થિત કરવા માટે, મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરના તમામ વાણિજ્યિક વાહન ચાલકો...
National 
મરાઠી નથી આવડતી તો ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં મળે! મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય, ઉત્તર ભારતીયો ટેન્શનમાં

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.