પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ (LUMS)એ હવે સંસ્કૃત કોર્સ શરૂ કર્યો છે. LUMSએ એ આ કોર્સ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે 3 મહિના લાંબી સંસ્કૃત વર્કશોપમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ સામેલ થયા હતા. સંસ્કૃત કોર્સ શરૂ કર્યા બાદ LUMS હવે રામાયણ અને ગીતા-મહાભારત પર સંશોધન શરૂ કરવાની તૈયારી કરી છે. ચાલો જાણીએ કે આખો મામલો શું છે. લાહોરમાં કેટલા વર્ષો બાદ સંસ્કૃત ભણાવવામાં આવી? LUMSએ કયા પ્રકારનો સંસ્કૃત કોર્સ શરૂ કર્યો છે? સાથે જ એ જાણીશું કે, રામાયણ અને ગીતા-મહાભારત પર સંશોધન શરૂ કરવાની યોજના શું છે. આ તમામ વિષયો પર વિગતવાર ચર્ચા કરીશું.

Sanskrit2
dpsgfaridabad.com

પાકિસ્તાન સ્થિત લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ (LUMS)માં છેલ્લા 3 મહિનાથી સંસ્કૃત વર્કશોપ ચાલી રહ્યું છે. આ વર્કશોપમાં સંસ્કૃત વ્યાકરણથી લઈને પુરાણો સુધીના વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અંગ્રેજો પાસેથી સ્વતંત્રતા મળ્યા બાદ પહેલીવાર પાકિસ્તાનમાં આ સંસ્કૃતનો પાઠ આપવામાં આવ્યો છે. સંસ્કૃત પર વર્કશોપ યોજ્યા બાદ પાકિસ્તાનમાં લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ (LUMS)એ સંસ્કૃતમાં યુનિવર્સિટી સ્તરનો અભ્યાસક્રમ શરૂ કર્યો છે. આ 4-ક્રેડિટ કોર્સ છે. આ એક નિયમિત યુનિવર્સિટી કોર્સ છે. જો કે, તેમાં બેઠકો મર્યાદિત છે, પરંતુ 2027માં આ કોર્સમાં બેઠકોની સંખ્યા વધારવાની યોજના છે અને તેને સંસ્કૃત ડિપ્લોમા કોર્સ તરીકે શીખવવામાં આવશે.

પાકિસ્તાન સ્થિત લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ (LUMS) રામાયણ અને ગીતા-મહાભારત પર અભ્યાસક્રમો શરૂ કરવાની તૈયારી કરી રહી છે. LUMS ખાતે ગુરમણિ સેન્ટરના ડિરેક્ટર ડૉ. અલી ઉસ્માન કાસમી કહે છે કે આગામી 10-15 વર્ષમાં, પાકિસ્તાનના વિદ્વાનો સંસ્કૃત, ગીતા અને મહાભારત પર સંશોધન કરશે.

Sanskrit1
tribuneindia.com

ડૉ. કાસમી સંસ્કૃત અને વેદોના અભ્યાસને પાકિસ્તાન માટે આવશ્યક માને છે. તેઓ કહે છે કે ઘણા ઇતિહાસકારો માને છે કે વેદોની આ પ્રદેશમાં રચના થઈ હતી. એવામાં સંસ્કૃત અને વેદોનો અભ્યાસ જરૂરી છે. તેઓ કહે છે કે LUMSમાં હાલમાં પંજાબી, પશ્તો, સિંધી, બલોચી, અરબી અને ફારસી ભાષા શીખવવામાં આવે છે, જ્યારે સંસ્કૃત આ ભાષાઓ માટે ઘણા શબ્દોની જનની છે. સંસ્કૃતનો અભ્યાસ કરવાથી સમગ્ર ભાષાકીય ઇકોસિસ્ટમ મજબૂત બનશે. માહિતી અનુસાર, LUMSમાં પ્રાચીન સંસ્કૃત હસ્તપ્રતો છે. આ હસ્તપ્રતો 1930માં વિદ્વાન JCR વૂલનર દ્વારા તાડના પત્ર પર સંગ્રહિત કરવામાં આવી હતી. જો કે, 1947થી તેનો સ્પર્શ કરવામાં આવ્યો નથી.

About The Author

Related Posts

Top News

સ્વ. ઘનશ્યામભાઈ કાછડિયા પરિવારને પાટીદાર પરિવાર સુરક્ષા કવચ દ્વારા રૂ. 10 લાખની સહાય

સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ-સુરત પ્રેરિત “પાટીદાર પરિવાર સુરક્ષા કવચ” (PPSK) યોજના આજે સમાજના હજારો પરિવારો માટે મુશ્કેલીના સમયમાં આશા, સુરક્ષા...
Gujarat 
સ્વ. ઘનશ્યામભાઈ કાછડિયા પરિવારને પાટીદાર પરિવાર સુરક્ષા કવચ દ્વારા રૂ. 10 લાખની સહાય

AMNS ઈન્ડિયા અને IIT રૂરકીએ ઉત્પાદન અને ટેકનોલોજીમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

હઝીરા, સુરત, 9 જૂન, 2026 – આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) અને ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી રૂરકી (આઇઆઇટી રૂરકી)એ શિક્ષણ,...
Gujarat 
AMNS ઈન્ડિયા અને IIT રૂરકીએ ઉત્પાદન અને ટેકનોલોજીમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

AM/NS Indiaએ મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટમાં પ્રથમ MBA બેચના ગ્રેજ્યુએશનની ઉજવણી કરી

હજીરા-સુરત, ગુજરાત, 11 જૂન, 2023: વિશ્વના બે અગ્રણી સ્ટીલ ઉત્પાદકો વચ્ચેના સંયુક્ત સાહસ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ...
Gujarat 
AM/NS Indiaએ મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટમાં પ્રથમ MBA બેચના ગ્રેજ્યુએશનની ઉજવણી કરી

ટોમેટો સોસ પણ નકલી, તમે તો આ લાલ કેમિકલવાળો સોસ નથી ખાતા ને? કેવી રીતે જાણશો?

FSSAI, ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ, જે નકલી અથવા ભેળસેળયુક્ત ખોરાકની તપાસ કરે છે અને શોધી કાઢે છે. ઉત્તર પ્રદેશના હાપુરમાં...
Lifestyle 
ટોમેટો સોસ પણ નકલી,  તમે તો આ લાલ કેમિકલવાળો સોસ નથી ખાતા ને? કેવી રીતે જાણશો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.