પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ (LUMS)એ હવે સંસ્કૃત કોર્સ શરૂ કર્યો છે. LUMSએ એ આ કોર્સ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે 3 મહિના લાંબી સંસ્કૃત વર્કશોપમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ સામેલ થયા હતા. સંસ્કૃત કોર્સ શરૂ કર્યા બાદ LUMS હવે રામાયણ અને ગીતા-મહાભારત પર સંશોધન શરૂ કરવાની તૈયારી કરી છે. ચાલો જાણીએ કે આખો મામલો શું છે. લાહોરમાં કેટલા વર્ષો બાદ સંસ્કૃત ભણાવવામાં આવી? LUMSએ કયા પ્રકારનો સંસ્કૃત કોર્સ શરૂ કર્યો છે? સાથે જ એ જાણીશું કે, રામાયણ અને ગીતા-મહાભારત પર સંશોધન શરૂ કરવાની યોજના શું છે. આ તમામ વિષયો પર વિગતવાર ચર્ચા કરીશું.

Sanskrit2
dpsgfaridabad.com

પાકિસ્તાન સ્થિત લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ (LUMS)માં છેલ્લા 3 મહિનાથી સંસ્કૃત વર્કશોપ ચાલી રહ્યું છે. આ વર્કશોપમાં સંસ્કૃત વ્યાકરણથી લઈને પુરાણો સુધીના વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અંગ્રેજો પાસેથી સ્વતંત્રતા મળ્યા બાદ પહેલીવાર પાકિસ્તાનમાં આ સંસ્કૃતનો પાઠ આપવામાં આવ્યો છે. સંસ્કૃત પર વર્કશોપ યોજ્યા બાદ પાકિસ્તાનમાં લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ (LUMS)એ સંસ્કૃતમાં યુનિવર્સિટી સ્તરનો અભ્યાસક્રમ શરૂ કર્યો છે. આ 4-ક્રેડિટ કોર્સ છે. આ એક નિયમિત યુનિવર્સિટી કોર્સ છે. જો કે, તેમાં બેઠકો મર્યાદિત છે, પરંતુ 2027માં આ કોર્સમાં બેઠકોની સંખ્યા વધારવાની યોજના છે અને તેને સંસ્કૃત ડિપ્લોમા કોર્સ તરીકે શીખવવામાં આવશે.

પાકિસ્તાન સ્થિત લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ (LUMS) રામાયણ અને ગીતા-મહાભારત પર અભ્યાસક્રમો શરૂ કરવાની તૈયારી કરી રહી છે. LUMS ખાતે ગુરમણિ સેન્ટરના ડિરેક્ટર ડૉ. અલી ઉસ્માન કાસમી કહે છે કે આગામી 10-15 વર્ષમાં, પાકિસ્તાનના વિદ્વાનો સંસ્કૃત, ગીતા અને મહાભારત પર સંશોધન કરશે.

Sanskrit1
tribuneindia.com

ડૉ. કાસમી સંસ્કૃત અને વેદોના અભ્યાસને પાકિસ્તાન માટે આવશ્યક માને છે. તેઓ કહે છે કે ઘણા ઇતિહાસકારો માને છે કે વેદોની આ પ્રદેશમાં રચના થઈ હતી. એવામાં સંસ્કૃત અને વેદોનો અભ્યાસ જરૂરી છે. તેઓ કહે છે કે LUMSમાં હાલમાં પંજાબી, પશ્તો, સિંધી, બલોચી, અરબી અને ફારસી ભાષા શીખવવામાં આવે છે, જ્યારે સંસ્કૃત આ ભાષાઓ માટે ઘણા શબ્દોની જનની છે. સંસ્કૃતનો અભ્યાસ કરવાથી સમગ્ર ભાષાકીય ઇકોસિસ્ટમ મજબૂત બનશે. માહિતી અનુસાર, LUMSમાં પ્રાચીન સંસ્કૃત હસ્તપ્રતો છે. આ હસ્તપ્રતો 1930માં વિદ્વાન JCR વૂલનર દ્વારા તાડના પત્ર પર સંગ્રહિત કરવામાં આવી હતી. જો કે, 1947થી તેનો સ્પર્શ કરવામાં આવ્યો નથી.

About The Author

Related Posts

Top News

ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને...
National 
ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન, સાઉદી અરેબિયા, કુવૈત અને સાયપ્રસ સહિતના દેશો અત્યારે યુદ્ધની...
World 
ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે કોલકાતામાં રમાયેલી T20 વર્લ્ડ કપની કરો યા મરો સુપર-8 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી કચડી...
Sports 
કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.