એ કયા દેવી છે, જેમનું અપમાન કરવા પર ફસાયો રણવીર સિંહ

લાઈમલાઇટની દુનિયામાં મોટાભાગે એક નિવેદન, એક સ્ટેજ અથવા એક પ્રદર્શન ઘણીવાર કહાનીનો માર્ગ બદલી શકે છે. આ વખતે, ચર્ચાનું કેન્દ્ર અભિનેતા રણવીર સિંહ છે, જેના પર કર્ણાટકની પવિત્ર ચાવુંડી દૈવ પરંપરાનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલો માત્ર એક કલાકાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં આસ્થા, પરંપરા અને સંવેદનશીલ સાંસ્કૃતિક ઓળખ જોડાયેલી છે.

કર્ણાટકમાં, ચાવુંડી દૈવને દેવી-શક્તિ તરીકે પૂજવામાં આવે છે, અને તેમની માન્યતાઓ રોજિંદા જીવન સાથે ઊંડે સુધી જોડાયેલી છે. એવામાં કોઈ પણ સાર્વજનિક, મંચ પર કરવામાં આવેલકી પ્રસ્તુતિને લોકો માત્ર કલા નહીં, પરંતુ તેમની શ્રદ્ધા સાથે જોડીને જુએ છે. આ જ કારણ છે કે આ વિવાદ ઝડપથી કાયદાકીય અને સામાજિક બહેસમાં ફેરવાઈ ગયો. ચાલો જાણીએ ચાવુંડી દૈવ કોણ છે, તેમની માન્યતાઓ શું છે અને આખરે આ મામલો આટલો ગંભીર કેમ બની ગયો છે?

Ranveer1
moneycontrol.com

રણવીર સિંહ પર શું આરોપ છે?

બેંગ્લોરના વકીલ પ્રશાંત મેથલે ફરિયાદ નોંધાવી છે કે રણવીર સિંહના એક પ્રદર્શને દરિયાકાંઠાના કર્ણાટકની પવિત્ર ચાવુંડી દૈવ પરંપરાનું અપમાન કર્યું છે. ફરિયાદ મુજબ, આનાથી હિન્દુ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 196, 299 અને 302 હેઠળ કેસ નોંધ્યો છે.

ચાવુંડી દૈવ અને મા ચામુંડેશ્વરીનું ધાર્મિક મહત્ત્વ

51 શક્તિપીઠોમાંથી એક

કર્ણાટકના મૈસૂરથી લગભગ 13 કિલોમીટર દૂર ચામુંડેશ્વરી પર્વતો પર સ્થિત, મા ચામુંડેશ્વરી મંદિરની ગણતરી 51 શક્તિપીઠોમાં થાય છે. એવું માનવામાં આવે છે કે દેવી સતીના વાળ અહીં પડ્યા હતા. દેવીને મા દુર્ગાનો અવતાર માનવામાં આવે છે અને સ્થાનિક લોકો તેમને પોતાના શહેરના સંરક્ષિકા દેવી માને છે.

ચામુંડેશ્વરી મંદિર સાથે જોડાયેલી દંતકથા

એક દંતકથા અનુસાર, મહિષાસુર એક શક્તિશાળી રાક્ષસ હતો. તેણે ભગવાન બ્રહ્માની કઠોર તપસ્યા કરી અને વરદાન મેળવ્યું કે કોઈ પુરુષ કે દૈવ તેને મારી નહીં શકે, માત્ર એક સ્ત્રી જ તેનો વધ કરી શકશે. આ વરદાન બાદ, મહિષાસુરને તેની શક્તિ પર ખૂબ જ ઘમંડ આવી ગયો હતો. તેણે દેવતાઓ, ઋષિઓ અને સામાન્ય લોકોને ત્રાસ આપવાનું શરૂ કર્યું. ચારેય તરફ ભય અને અશાંતિ ફેલાઈ ગઈ.

મહિષાસુરના વધતા જતા અત્યાચારોથી પરેશાન થઈને, બધા દેવતાઓ ભેગા થયા અને દેવી શક્તિની આરાધના કરી. દેવતાઓની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને દેવી ભગવતી પ્રગટ થયા. તેમણે દેવતાઓને ખાતરી આપી કે તેઓ બધાને મહિષાસુરના ભયમાંથી મુક્ત કરશે.

Chamundeshwari-Mandir
ndtv.in

ત્યારબાદ, દેવી અને મહિષાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધ ઘણા દિવસો સુધી ચાલ્યું. દેવીએ મહિષાસુરની આખી રાક્ષસી સેનાનો વધ કર્યો. અંતે, દેવીએ મહિશાસૂરનું માથું કાપીને તેનો અંત કરી દીધો. મહિષાસુરના વધને કારણે, દેવીના આ સ્વરૂપને ચામુંડા કહેવામાં આવ્યું. આ યુદ્ધ જ્યાં થયું તે સ્થળ ચામુન્ડી પહાડી તરીકે પ્રખ્યાત થયું, અને પાછળથી ત્યાં ચામુંડેશ્વરી મંદિરની સ્થાપના થઈ.

મંદિરનું સ્થાપત્ય અને પરંપરાઓ

આ મંદિર દ્રવિડ સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. 7 માળનું મંદિર લગભગ 40 મીટર ઊંચું છે. ગર્ભગૃહમાં દેવીની મૂર્તિ શુદ્ધ સોનાની બનેલી હોવાનું કહેવાય છે. મંદિરની પાછળ મહાબળેશ્વરને સમર્પિત એક પ્રાચીન શિવ મંદિર છે. મૈસૂર દશેરા તહેવારમાં દેવીની પ્રતિકૃતિને શાહી પાલખીમાં વિરાજમાન કરવી અહીની અનોખી પરંપરા છે.

Ranveer2
moneycontrol.com

આસ્થા અને આધુનિક વિવાદ

સ્થાનિક લોકોનું માનવું છે કે સદીઓથી દેવી ચામુંડાની કૃપાથી મૈસૂર સમૃદ્ધ રહ્યું છે. એવામાં, કોઈપણ સાર્વજનિક પ્રસ્તુતિને દેવી અથવા દૈવી પરંપરા સાથે જોડવું સ્વાભાવિક છે. આ જ કારણ છે કે આ વિવાદ માત્ર કાયદાકીય જ નહીં, પરંતુ ભાવનાત્મક પણ બની ગયો છે.

About The Author

Related Posts

Top News

AI કન્ટેન્ટમાં ફરજિયાત લખવું પડશે કે આ AI જનરેટેડ વિઝ્યુઅલ છે, સરકારનો આદેશ

સોશિયલ મીડિયા પર આજકાલ જે વીડિયો અને ફોટા જોવા મળે છે, તેના પર આંખ બંધ કરીને ભરોસો કરવો હવે...
Tech and Auto 
AI કન્ટેન્ટમાં ફરજિયાત લખવું પડશે કે આ AI જનરેટેડ વિઝ્યુઅલ છે, સરકારનો આદેશ

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.