જો ઈરાનમાં સ્થિતિ બગડી તો ભારતમાં શું અસર થશે?

ઈરાનમાં ઉથલ-પુથલ, અરાજકતા અને અશાંતિ છવાયેલી છે. દેશભરમાં વિરોધ પ્રદર્શનો તીવ્ર બન્યા છે, જેનાથી દેશ ફરી એકવાર રાજકીય અને આર્થિક અનિશ્ચિતતાના સમયમાં પછડાઈ ગયો છે. આ કટોકટી ભારત માટે પણ નજીકની જ કહી શકાય, કારણ કે ઈરાન ભારતના કેટલાક સૌથી મહત્વપૂર્ણ પ્રાદેશિક કનેક્ટિવિટી માર્ગોના કેન્દ્રમાં આવેલું છે, અને ત્યાં કોઈપણ પ્રકારની અસ્થિરતા સીધી રીતે ભારતના વ્યૂહાત્મક અને વેપાર હિતો સાથે જોડાયેલી છે. તો ચાલો સમજીએ કે, ઈરાનમાં વધતી અશાંતિ ભારત માટે કેવી રીતે સમસ્યા ઊભી કરી શકે છે.

Import-Export-Iran1
isas.nus.edu.sg

સૌથી પહેલા ઈરાનમાં બગડતી પરિસ્થિતિ વિશે વાત કરીએ તો, ડિસેમ્બર 2025ના અંતમાં શરૂ થયેલા આર્થિક સંકટ સામેના વિરોધ પ્રદર્શનોએ હવે મુખ્ય સ્વરૂપ ધારણ કર્યું છે. શરૂઆતમાં, દેશમાં વિરોધ પ્રદર્શનો ફુગાવા, બેરોજગારી અને ડૉલર સામે ઈરાની ચલણના સતત ઘટતા મૂલ્ય પર કેન્દ્રિત હતા, પરંતુ હવે તે શાસનને પડકારી રહ્યા હોય તેવું લાગે છે. અહેવાલો અનુસાર, હિંસામાં અત્યાર સુધીમાં આશરે 78 લોકો મૃત્યુ પામ્યા છે, જોકે આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો સૂચવે છે કે, આ આંકડો ઘણો વધારે હોઈ શકે છે. પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે, ઈરાની સરકારે 7 જાન્યુઆરીથી દેશમાં ઇન્ટરનેટ અને મોબાઇલ સેવાઓ બંધ કરી દીધી છે.

ભારતે મધ્ય એશિયા, રશિયા અને યુરોપ સુધી તેની પહોંચ મજબૂત બનાવવાના હેતુથી અનેક પ્રોજેક્ટ્સમાં ભારે રોકાણ કર્યું છે, જ્યાં ઈરાન એક મહત્વપૂર્ણ પરિવહન કેન્દ્ર તરીકે સેવા આપવાનું કામ કરે છે. આમાં સૌથી મહત્વપૂર્ણ ઈરાનના દક્ષિણપૂર્વ કિનારે આવેલું ચાબહાર બંદર છે, જે ભારતને પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય પૂર્વ સુધીનો સીધો માર્ગ પૂરો પાડે છે.

Import-Export-Iran2
newslaundry.com

વાણિજ્ય વિભાગ દ્વારા શેર કરાયેલા ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2024-25 (એપ્રિલ 2024-માર્ચ 2025)માં ભારત-ઈરાન દ્વિપક્ષીય વેપાર આશરે 1.68 અરબ ડૉલર સુધી પહોંચ્યો હતો. ભારતે 1.24 અરબ ડૉલર માલની નિકાસ કરી હતી, જ્યારે આયાત 0.44 અરબ ડૉલર હતી. આના પરિણામે નવી દિલ્હી માટે 0.80 અરબ ડૉલરનો વેપાર સરપ્લસ થયો. હવે જો કટોકટી વધુ વધશે, તો ચાબહાર બંદર પર કામગીરી ધીમી પડી શકે છે, અને INSTC દ્વારા કાર્ગો અવરજવર ખોરવાઈ શકે છે.

તાજેતરના વર્ષોમાં, ભારત ઈરાનના પાંચ સૌથી મોટા વેપારી ભાગીદારોમાંનું એક રહ્યું છે. ભારતથી ઈરાનમાં નિકાસ થતી મુખ્ય ચીજોમાં ચોખા, ચા, ખાંડ, ફાર્માસ્યુટિકલ્સ, કૃત્રિમ રેસા, ઇલેક્ટ્રિકલ મશીનરી અને કૃત્રિમ ઘરેણાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઈરાનથી આયાત થતી ચીજોમાં, સૂકા મેવા, અકાર્બનિક/કાર્બનિક રસાયણો અને કાચના વાસણો સૌથી વધુ આયાત કરવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

વંદે ભારત સ્લીપર: હવે વેઇટિંગ કે RACની ઝંઝટ ખતમ, માત્ર કન્ફર્મ ટિકિટ પર જ થશે મુસાફરી; જાણો ભાડું

ભારતીય રેલ્વે આવતા અઠવાડિયે વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરો માટે...
National 
વંદે ભારત સ્લીપર: હવે વેઇટિંગ કે RACની ઝંઝટ ખતમ, માત્ર કન્ફર્મ ટિકિટ પર જ થશે મુસાફરી; જાણો ભાડું

AM/NS Indiaએ સુંવાલી બીચને 350 સોલાર લાઇટથી ઝળહળતું બનાવ્યું

સુરત, જાન્યુઆરી 09, 2026: દક્ષિણ ગુજરાતના મહત્ત્વપૂર્ણ અને વિકસતા પર્યટન સ્થળ એવા સુંવાલી બીચ ખાતે માળખાકીય સુવિધાઓ અને સુરક્ષા વધારવા...
Gujarat 
 AM/NS Indiaએ સુંવાલી બીચને 350 સોલાર લાઇટથી ઝળહળતું બનાવ્યું

AAPના સહ-પ્રભારીનું રાજીનામું, AAPને 'ગુંડાઓ અને અમીરોની પાર્ટી' ગણાવી

છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં ખૂબ જ સક્રિય રહી છે. અને ગુજરાતની પેટા ચૂંટણીમાં કડી અને...
Gujarat 
AAPના સહ-પ્રભારીનું રાજીનામું, AAPને 'ગુંડાઓ અને અમીરોની પાર્ટી' ગણાવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.