સરકારી શિક્ષકોને મોટી રાહત મળી શકે છે, મોદી સરકારે આપ્યો સંકેત

દેશભરના લાખો સરકારી શિક્ષકો માટે એક રાહત આપનારા સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા સમયથી શિક્ષક પાત્રતા કસોટી (TET)ને લઈને જે ભય, તણાવ અને મૂંઝવણ ચાલી રહી છે. હવે તેના પર વિરામ લાગવાની અપેક્ષા જાગી છે, ખાસ કરીને એવા શિક્ષકો માટે કે જેઓ ઘણા વર્ષોથી શાળાઓમાં શિક્ષણ આપી રહ્યા છે, પરંતુ કોઈ કારણોસર અત્યાર સુધી TET પાસ કરી શક્યા નથી. તેમના ભવિષ્યને લઈને ગંભીર સવાલ ઊભા થઇ રહ્યા હતા.

સપ્ટેમ્બર 2025માં આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ હતી. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે TET પાસ કરવી બધા શિક્ષકો માટે ફરજિયાત રહેશે. ત્યારબાદ દેશભરના લાખો પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો પર તેની સીધી અસર પડી. ઘણા શિક્ષકો જે 10-15, અથવા તો 20 વર્ષથી સેવા આપી રહ્યા છે, અચાનક અસુરક્ષિત અનુભવવા લાગ્યા હતા. તેમને ડર હતો કે જો તેઓ TET પાસ ન કરી શક્યા તો તેમની નોકરી જતી રહેશે અથવા તેમને સમય પહેલા નિવૃત્તિ લેવી પડશે.

TET ન પાસ કરી હોય તેવા શિક્ષકો સતત પ્રશ્ન ઉઠાવી રહ્યા હતા કે શું તેમણે વિદ્યાર્થીઓને ભણાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે પછી તેમની નોકરી બચાવવા માટે પરીક્ષાની તૈયારી કરવી જોઈએ. શિક્ષકો માટે પરીક્ષા ફરીથી આપવી સરળ નથી. આ કારણે, શિક્ષક સંગઠનો વારંવાર કેન્દ્ર સરકાર અને રાજ્યો પાસે માંગ કરી રહ્યા છે કે જૂના અને અનુભવી શિક્ષકોને TETની અનિવાર્યતામાંથી મુક્તિ આપવામાં આવે અથવા કોઈ ખાસ રાહત આપવામાં આવે.

teacher
indiatoday.in

કેન્દ્ર સરકારનું મહત્ત્વપૂર્ણ પગલું

હવે, કેન્દ્ર સરકારે આ દિશામાં એક મોટું અને મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી વિગતવાર અહેવાલો માંગ્યા છે. મંત્રાલયે 2011 અગાઉ નિયુક્ત થયેલા ધોરણ 1 થી 8ના શિક્ષકોની સંપૂર્ણ વિગતો માંગી છે.

રાજ્યોએ 16 જાન્યુઆરી સુધીમાં આ માહિતી આપવી પડશે છે. તેના માટે, 31 ડિસેમ્બરે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને એક પત્ર મોકલવામાં આવ્યો હતો. આ અહેવાલમાં ઘણી મહત્ત્વપૂર્ણ માહિતી માંગવામાં આવી છે, જેમ કે 2011 પહેલા અને 2011 પછી કેટલા શિક્ષકોની નિમણૂક થઈ, કેટલા શિક્ષકોએ TET અથવા CTET પાસ કરી છે, અને કેટલા શિક્ષકોએ અત્યાર સુધી TET પાસ કરી નથી, અને શિક્ષકોની ઉંમર, શૈક્ષણિક યોગ્યતા અને તાલીમની સ્થિતિ. સરકારનું આ પગલું સ્પષ્ટપણે સંકેત આપે છે કે તે આ મામલાને ગંભીરતાથી સમજવા માંગે છે અને સંપૂર્ણ માહિતી વિના કોઈપણ નિર્ણય લેવા માંગતી નથી.

કેન્દ્ર સરકારની આ પહેલથી લગભગ 12 લાખ શિક્ષકોને રાહત મળવાની અપેક્ષા છે. વિવિધ રાજ્યોમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ હજુ સુધી TET પાસ કરી નથી. ઉત્તર પ્રદેશમાં લગભગ 1.86 લાખ શિક્ષકો, રાજસ્થાનમાં આશરે 80 હજાર થર્ડ ગ્રેડ શિક્ષકો, મધ્ય પ્રદેશમાં લગભગ 3 લાખ શિક્ષકો અને ઝારખંડમાં લગભગ 27 હજાર પ્રાથમિક શિક્ષકો આ નિર્ણયથી સીધી રીતે પ્રભાવિત થયા છે અને હવે તેમને સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

teacher2
indianexpress.com

સુપ્રીમ કોર્ટનો નિર્ણય શું હતો?

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે, જે શિક્ષકો TET યોગ્ય નથી, તેમણે 2 વર્ષની અંદર પરીક્ષા પાસ કરવી પડશે. જો તેઓ આમ ન કરી શક્યા, તો તેમને નોકરી છોડવી પડી શકે છે અથવા નિવૃત્ત કરી શકાય છે. જોકે, કોર્ટે એમ પણ કહ્યું હતું કે જે શિક્ષકોની સેવામાં માત્ર 5 વર્ષ બાકી છે તેમને થોડી રાહત મળી શકે છે.

આગળ શું થશે?

બધી નજર હવે કેન્દ્ર સરકાર અને રાજ્યોના નિર્ણયો પર છે. જો સરકાર જૂના અને અનુભવી શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લે છે અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરે છે, તો તે લાખો પરિવારોને રાહત આપશે. આ સરકારી પગલું ભવિષ્યમાં શિક્ષકોના ભવિષ્યને નવી દિશા આપી શકે છે.

About The Author

Top News

Pikashow જેવી એપથી મફતમાં જુવો છો ફિલ્મો તો ધ્યાન રાખજો નહિતર જેલમાં જવું પડશે

ફેસ્ટિવ સીઝનની શરૂઆત થઈ ચૂકી છે અને ઘણી નવી ફિલ્મો પહેલાથી જ થિયેટરોમાં આવી ગઈ છે. જો તમે તમારા સ્માર્ટફોનમાં...
Tech and Auto 
Pikashow જેવી એપથી મફતમાં જુવો છો ફિલ્મો તો ધ્યાન રાખજો નહિતર જેલમાં જવું પડશે

સરકારી શિક્ષકોને મોટી રાહત મળી શકે છે, મોદી સરકારે આપ્યો સંકેત

દેશભરના લાખો સરકારી શિક્ષકો માટે એક રાહત આપનારા સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા સમયથી શિક્ષક પાત્રતા કસોટી (TET)...
Education 
સરકારી શિક્ષકોને મોટી રાહત મળી શકે છે, મોદી સરકારે આપ્યો સંકેત

મહિલાઓને ગર્ભવતી બનાવવાના બદલામાં લાખો રૂપિયા મળશે... ધ્યાન રાખજો નહિતર...

સોશિયલ મીડિયા પર એક કિસ્સો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે લોકો હેરાની, ગુસ્સો અને શરમ અનુભવી...
National 
મહિલાઓને ગર્ભવતી બનાવવાના બદલામાં લાખો રૂપિયા મળશે... ધ્યાન રાખજો નહિતર...

રેસ્ટોરાંના જે ખાવાનું રૂ. 320માં મળે છે તે Zomato પર 655નું કેવી રીતે? મહિલાએ કંપનીને પૂછ્યો સવાલ તો મળ્યો જવાબ

આ સમાચાર વાંચ્યા બાદ, બીજી વાર ઓર્ડર નાઉ બટન દબાવતા પહેલા તમારા હાથ ચોક્કસ ધ્રૂજશે! આપણે બધા જાણીએ છીએ...
Lifestyle 
રેસ્ટોરાંના જે ખાવાનું રૂ. 320માં મળે છે તે Zomato પર 655નું કેવી રીતે? મહિલાએ કંપનીને પૂછ્યો સવાલ તો મળ્યો જવાબ
Copyright (c) Khabarchhe All Rights Reserved.