ટ્રેનમાં મુસાફરો કરી દીધી આ ભૂલ, રેલવેએ 155 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો

દરરોજ લાખો ભારતીયો તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે ટ્રેન દ્વારા મુસાફરી કરે છે. સામાન્ય રીતે જોવા મળે છે કે મુસાફરો જાણી જોઈને કે અજાણતાં ઘણા નિયમો તોડે છે. ભારતીય રેલવે સતત નિયમોનું ઉલ્લંઘન કરનારા મુસાફરો સામે કડક કાર્યવાહી કરી રહી છે. આ સંદર્ભમાં ભારતીય રેલવેના પશ્ચિમ રેલવે ઝોને ચાલુ નાણાકીય વર્ષના 3 ક્વાર્ટરમાં (1 એપ્રિલથી 31 ડિસેમ્બર સુધીમાં) ટિકિટ વિના મુસાફરી કરનારા મુસાફરો પાસેથી 155.46 કરોડ રૂપિયાનો ભારે દંડ વસૂલ્યો છે.

પશ્ચિમ રેલવેએ પોતાના વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ અનેક ટિકિટ ચેકિંગ અભિયાન હાથ ધર્યા હતા અને આ દરમિયાન મોટી સંખ્યામાં મુસાફરો ટિકિટ વિના મુસાફરી કરતા પકડાયા હતા. પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 3 ક્વાર્ટરમાં વસૂલવામાં આવેલ 155.46 કરોડ રૂપિયાનો દંડ પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં વસૂલવામાં આવેલા દંડ કરતા 49 ટકા વધુ છે. આ વખતે, 155.46 કરોડ રૂપિયાના દંડમાં મુંબઈ ઉપનગરીય વિભાગમાંથી વસૂલવામાં આવેલા 41.26 કરોડ રૂપિયાનો પણ સમાવેશ થાય છે.

railway1
indiatvnews.com

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જાહેર કરાયેલી એક અખબારી યાદી મુજબ, માત્ર ડિસેમ્બર મહિનામાં જ ટિકિટ વિના/અનિયમિત મુસાફરોના 2.51 લાખ કેસ ઓળખાયા હતા, જેમાં બુક ન કરાવેલો સામાન વહન કરનારાઓનો પણ સમાવેશ થાય છે, જેના માટે 15.54 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ દંડ ડિસેમ્બર 2024 કરતા લગભગ 42 ટકા વધુ છે.

railway
business-standard.com

પશ્ચિમ રેલવે AC લોકલ ટ્રેનોમાં અનધિકૃત પ્રવેશ અટકાવવા માટે નિયમિત ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. AC લોકલ ટ્રેનોમાં કેન્દ્રિત ટિકિટ ચેકિંગ અભિયાનના પરિણામે, એપ્રિલથી ડિસેમ્બર 2025 દરમિયાન લગભગ 91,000 અનધિકૃત મુસાફરોને પકડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી 2.97 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ દંડ ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળા દરમિયાન વસૂલવામાં આવેલા દંડ કરતા આશરે 97 ટકા વધુ છે. રેલવેએ મુસાફરોને હંમેશા ઉચિત અને માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવાની અપીલ કરી છે.

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.